WatchGujarat. EPFO: લોકો ઘણીવાર નોકરી છોડ્યા પછી તેમના એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF) ના બધા પૈસા કાઢી (ઉપાડી) લે છે. પરંતુ શું તમે જાણો છો કે પીએફ એકાઉન્ટ (PF Account) ના બધા પૈસા ઉપાડી લેવા એ તમારા માટે નુકસાનકારક સોદો હોઈ શકે છે. આને કારણે, તમારા ભવિષ્ય માટે બનાવેલ મોટું ફંડ અને બચત સમાપ્ત થઇ જાય છે. આ ઉપરાંત, પેન્શનની કોઈ સાતત્ય રહેતું નથી. વધુ સારું રહેશે કે નવી કંપનીમાં જોડાણ કરતા પીએફને જુના સાથે જ જોડી દો. નિવૃત્તિ પછી પણ, જો તમને પૈસાની જરૂર ન હોય, તો પછી તમે થોડા વર્ષો સુધી PF જમા રાખી શકો છો.
ચાલો જાણીએ કે નોકરી છોડી દીધાં પછી તમારા પીએફ એકાઉન્ટ (PF Account) અને તેમાં જમા રકમનું શું થાય છે.
નોકરી છોડ્યા પછી પણ PF પર મળે છે વ્યાજ
નિષ્ણાતોના મતે, જો કર્મચારીઓ નોકરી છોડી દે છે અથવા કોઈ કારણોસર તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે, તો તમે થોડા વર્ષો માટે તમારો પીએફ છોડી શકો છો. જો તમને પીએફ પૈસાની જરૂર નથી, તો તરત જ તેને પાછા ન કાઢી લો. નોકરી છોડ્યા પછી પણ પીએફ પર વ્યાજ મળવાનું ચાલુ રહે છે અને નવી રોજગાર મળે કે તરત નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ શકે છે. નવી કંપનીમાં PF ને મર્જ કરી શકાય છે.
ત્રણ વર્ષ સુધી કંપની આપે છે આ સુવિધા
જણાવી દઈએ કે નોકરી છોડ્યાના 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી પીએફ એકાઉન્ટ વ્યાજ મળે છે. અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે પહેલા 36 મહિના સુધી કોઈ કોન્ટ્રિબ્યુશન (Contribution) નહિ થતા કર્મચારીના પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય એકાઉન્ટ (In Operative Account) ની કેટેગરીમાં મૂકવામાં આવતા હતા. આવી સ્થિતિમાં, તમારે તમારા એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે ત્રણ વર્ષ પહેલાં થોડી રકમ ઉપાડવી પડશે.
PF ની રકમ પર મળેલ વ્યાજ પર લાગે છે ટેક્સ
નિયમો અનુસાર, કોન્ટ્રિબ્યુશન ન કરવા પર પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થતું નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન મળેલા વ્યાજ પર ટેક્સ (Tax on Interest Income) લાગે છે. જો પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થયા પછી પણ ક્લેમ નહિ કરવામાં આવે તો રકમ સિનિયર સિટિઝન્સ વેલ્ફેર ફંડ (SCWF) માં જતી રહે છે.
WatchGujarat. EPFO: લોકો ઘણીવાર નોકરી છોડ્યા પછી તેમના એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF) ના બધા પૈસા કાઢી (ઉપાડી) લે છે. પરંતુ શું તમે જાણો છો કે પીએફ એકાઉન્ટ (PF Account) ના બધા પૈસા ઉપાડી લેવા એ તમારા માટે નુકસાનકારક સોદો હોઈ શકે છે. આને કારણે, તમારા ભવિષ્ય માટે બનાવેલ મોટું ફંડ અને બચત સમાપ્ત થઇ જાય છે. આ ઉપરાંત, પેન્શનની કોઈ સાતત્ય રહેતું નથી. વધુ સારું રહેશે કે નવી કંપનીમાં જોડાણ કરતા પીએફને જુના સાથે જ જોડી દો. નિવૃત્તિ પછી પણ, જો તમને પૈસાની જરૂર ન હોય, તો પછી તમે થોડા વર્ષો સુધી PF જમા રાખી શકો છો.
ચાલો જાણીએ કે નોકરી છોડી દીધાં પછી તમારા પીએફ એકાઉન્ટ (PF Account) અને તેમાં જમા રકમનું શું થાય છે.
નોકરી છોડ્યા પછી પણ PF પર મળે છે વ્યાજ
નિષ્ણાતોના મતે, જો કર્મચારીઓ નોકરી છોડી દે છે અથવા કોઈ કારણોસર તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે, તો તમે થોડા વર્ષો માટે તમારો પીએફ છોડી શકો છો. જો તમને પીએફ પૈસાની જરૂર નથી, તો તરત જ તેને પાછા ન કાઢી લો. નોકરી છોડ્યા પછી પણ પીએફ પર વ્યાજ મળવાનું ચાલુ રહે છે અને નવી રોજગાર મળે કે તરત નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ શકે છે. નવી કંપનીમાં PF ને મર્જ કરી શકાય છે.
ત્રણ વર્ષ સુધી કંપની આપે છે આ સુવિધા
જણાવી દઈએ કે નોકરી છોડ્યાના 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી પીએફ એકાઉન્ટ વ્યાજ મળે છે. અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે પહેલા 36 મહિના સુધી કોઈ કોન્ટ્રિબ્યુશન (Contribution) નહિ થતા કર્મચારીના પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય એકાઉન્ટ (In Operative Account) ની કેટેગરીમાં મૂકવામાં આવતા હતા. આવી સ્થિતિમાં, તમારે તમારા એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે ત્રણ વર્ષ પહેલાં થોડી રકમ ઉપાડવી પડશે.
PF ની રકમ પર મળેલ વ્યાજ પર લાગે છે ટેક્સ
નિયમો અનુસાર, કોન્ટ્રિબ્યુશન ન કરવા પર પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થતું નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન મળેલા વ્યાજ પર ટેક્સ (Tax on Interest Income) લાગે છે. જો પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય થયા પછી પણ ક્લેમ નહિ કરવામાં આવે તો રકમ સિનિયર સિટિઝન્સ વેલ્ફેર ફંડ (SCWF) માં જતી રહે છે.