WatchGujarat.આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોવા મળે છે.જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો મળતા હોય છે. તે પ્રમાણે અંગોનું ફરકવું પણ એ જ સૂચક છે. અલગ અલગ શાસ્ત્રોમાં તેને લઈને અલગ અલગ વાતો થતી રહે છે. કોઈ આંખોનું ફરકવું શુકન અને અપશુકન સાથે જોડી દેવામાં આવે છે. ક્યારેક આને કોઈક અપ્રિય ઘટનાનો સંકેત માનવામાં આવે છે.તો સાથે જ આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે આ બધું સ્ત્રી-પરુષ માટે અલગ અલગ મતલબ ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આંખોના ફરકવા પાછળ તમારી હેલ્થ જવાબદાર છે.આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે, જેની યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ પેદા થવા લાગે છે.આવું થવા પાછળ ઘણા કારણો છે. આજે અમે તમને આ જ કારણો અને તેની સાથે નિપટવાના કેટલાક કારણો વિશે જણાવવાના છીએ.
સ્ટ્રેસ અને અપૂરતી ઊંઘ
આંખની માંસપેશીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો આંખ ફરકી શકે છે. જો તમે વધારે સ્ટ્રેસના લીધે ઊંઘી શકતા નથી તો તમારી આંખોને ઘણું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત આંખોનો થાક, એલર્જીને કારણે પણ આંખો ફરકવા લાગે છે.
કોમ્પ્યુટર-લેપટોપ પર કામ
આ ઉપરાંત જો તમે લાંબો સમય સુધી કોમ્પ્યુટર અથવા લેપટોપ પર કામ કરો છો તો આંખો ફરકવા અથવા તેમાંથી પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.
આંખોની ડ્રાયનેસ અને ખંજવાળ
આંખોની ડ્રાયનેસ અને તેમાં ખંજવાળ આવવાને કારણે આંખો ફરકવા લાગે છે. આંખોમાં મેગ્નેશિયમની ઉણપ, વધારે પડતા કેફીન અને દારૂના સેવનથી પણ આંખો ફરકવાની સમસ્યા પેદા થઈ શકે છે.
આંખોની માલિશ કરો
જો તમને આ પ્રકારની સમસ્યા હોય તો આંગળીઓની મદદથી આંખની આજુબાજુની માંસપેશીઓ પર હળવી માલિશ કરો. થોડી જ વારમાં આંખો ફરકવાની બંધ થઈ જશે.
હૂંફાળા પાણીથી આંખો ધોવો
આ ઉપરાંત આંખોને હૂંફાળા પાણી વડે ધોવાથી ખૂબ આરામ મળે છે.તેમજ આંખોની એક્સરસાઈઝ કરવી જરૂરી છે.આંખોની નાની-મોટી એક્સરસાઈઝ, જોર-જોરથી પલકારા મારવાથી અથવા આંખો અર્ધખુલ્લી રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
ડોક્ટરની સલાહ
આંખની આ સમસ્યા આમ તો બહુ જલ્દી ઠીક થઈ જતી હોય છે પરંતુ ક્યારેક-ક્યારેક લાંબા સમય માટે આ તકલીફ થઈ શકે છે. જો એક સપ્તાબ કરતા વધુ સમય સુધી આ તકલીફ રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
WatchGujarat.આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોવા મળે છે.જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો મળતા હોય છે. તે પ્રમાણે અંગોનું ફરકવું પણ એ જ સૂચક છે. અલગ અલગ શાસ્ત્રોમાં તેને લઈને અલગ અલગ વાતો થતી રહે છે. કોઈ આંખોનું ફરકવું શુકન અને અપશુકન સાથે જોડી દેવામાં આવે છે. ક્યારેક આને કોઈક અપ્રિય ઘટનાનો સંકેત માનવામાં આવે છે.તો સાથે જ આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે આ બધું સ્ત્રી-પરુષ માટે અલગ અલગ મતલબ ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આંખોના ફરકવા પાછળ તમારી હેલ્થ જવાબદાર છે.આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે, જેની યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ પેદા થવા લાગે છે.આવું થવા પાછળ ઘણા કારણો છે. આજે અમે તમને આ જ કારણો અને તેની સાથે નિપટવાના કેટલાક કારણો વિશે જણાવવાના છીએ.
સ્ટ્રેસ અને અપૂરતી ઊંઘ
આંખની માંસપેશીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો આંખ ફરકી શકે છે. જો તમે વધારે સ્ટ્રેસના લીધે ઊંઘી શકતા નથી તો તમારી આંખોને ઘણું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત આંખોનો થાક, એલર્જીને કારણે પણ આંખો ફરકવા લાગે છે.
કોમ્પ્યુટર-લેપટોપ પર કામ
આ ઉપરાંત જો તમે લાંબો સમય સુધી કોમ્પ્યુટર અથવા લેપટોપ પર કામ કરો છો તો આંખો ફરકવા અથવા તેમાંથી પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.
આંખોની ડ્રાયનેસ અને ખંજવાળ
આંખોની ડ્રાયનેસ અને તેમાં ખંજવાળ આવવાને કારણે આંખો ફરકવા લાગે છે. આંખોમાં મેગ્નેશિયમની ઉણપ, વધારે પડતા કેફીન અને દારૂના સેવનથી પણ આંખો ફરકવાની સમસ્યા પેદા થઈ શકે છે.
આંખોની માલિશ કરો
જો તમને આ પ્રકારની સમસ્યા હોય તો આંગળીઓની મદદથી આંખની આજુબાજુની માંસપેશીઓ પર હળવી માલિશ કરો. થોડી જ વારમાં આંખો ફરકવાની બંધ થઈ જશે.
હૂંફાળા પાણીથી આંખો ધોવો
આ ઉપરાંત આંખોને હૂંફાળા પાણી વડે ધોવાથી ખૂબ આરામ મળે છે.તેમજ આંખોની એક્સરસાઈઝ કરવી જરૂરી છે.આંખોની નાની-મોટી એક્સરસાઈઝ, જોર-જોરથી પલકારા મારવાથી અથવા આંખો અર્ધખુલ્લી રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
ડોક્ટરની સલાહ
આંખની આ સમસ્યા આમ તો બહુ જલ્દી ઠીક થઈ જતી હોય છે પરંતુ ક્યારેક-ક્યારેક લાંબા સમય માટે આ તકલીફ થઈ શકે છે. જો એક સપ્તાબ કરતા વધુ સમય સુધી આ તકલીફ રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.