ગુલાબની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોળી બની
યોગ્ય ભાવ મળતાં ન વેંચાયેલા ગુલાબના ફૂલ પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર
દુર્દશાને ઉજાગર કરવા માટે કેટલાક ખેડૂતોએ ગુલાબના ફૂલને કેનાલમાં ફેંકી દીધા
નવરાત્રીમાં ગુલાબનો એક કિલોનો ભાવ 500 રૂ. હતો, જે ઘટીને 10 થી 15 રૂ. થયો
WatchGujarat. પંચમહાલ જિલ્લાના ગુલાબની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોળી બની છે. તેઓની આર્થિક સ્થિતિ લથડી છે. જેનું કારણ છે ગુલાબના ભાવમાં થયેલો નોંધપાત્ર ઘટાડો. ગુલાબના ફૂલનો યોગ્ય ભાવ ન મળતાં તેઓ વિકટ સ્થિતિમાં મૂકાયા છે. એટલું જ નહીં ન વેંચાયેલા ગુલાબના ફૂલને આ ખેડૂતો પશુઓને ખવડાવી રહ્યા છે.
પંચમહાલના ખેડૂતો તેમના પશુઓને ખવડાવી રહ્યા છે ફૂલ
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં ગુલાબની ખેતી કરતા ખેડૂતોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ આજકાલ પશુઓને કાશ્મીરી ગુલાબ ખવડાવી રહ્યા છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં મુકેશ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, તેમને એક દિવસમાં 100 કિલો ફૂલ ફેંકી દેવા અથવા મફતમાં વહેંચવાની ફરજ પડી હતી. જેનું કારણ છે ફૂલોના ભાવમાં થયેલો ઘટાડો. અમને વડોદરામાં કિલો ગુલાબના 10 રૂપિયા મળે છે. અમે શક્ય એટલા ગુલાબ વેચીએ છીએ અને બાકીના ગુલાબને પશુઓને ખવડાવીએ છીએ અથવા ફ્રીમાં આપીએ છીએ.
અન્ય એક કૌશલ પટેલ નામના ખેડૂતે મીડિયાને જણાવ્યું હતું કે, ફૂલોની ખેતી કરનારાઓ માટે ભાવ સમસ્યાનો એક ભાગ છે. એપીએમસી માર્કેટમાં પણ અમારા માટે જગ્યા નથી. વડોદરામાં ફૂલ બજાર અસંગઠિત છે, જે વહેલી સવારે ખૂલે છે. દલાલો ફૂલો વેચવા માટે 10 ટકા લે છે. હવે આવામાં ગુલાબનો ભાવ કિલોના 10 થી 15 રૂપિયા છે. જેથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુલાબ સિવાય ગલગોટાના ભાવ પણ તળીયે છે. ગલગોટાની ખેતી એક ખેડૂતે આ અંગે કહ્યું કે, અમારે પણ ગલગોટાના ફૂલ ફ્રીમાં વહેંચવા પડે છે. જો કે, હજી સુધી તેને ઘાસચારામાં ફેરવાયા નથી.
નોંધનીય છે કે ખેતી કરેલા ગુલાબ વ્યર્થ ન જાય તે માટે પશુઓને ગુલાબ ખવડાવવા ઉપરાંત, ખેડૂતો મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ ફૂલોનું દાન કરી રહ્યા છે. તેમજ જેમને જોઈતા હોય તેમને પણ વિનામૂલ્યે ગુલાબના ફૂલ આપવામાં આવે છે. હાલમાં જ, કેટલાક ખેડૂતોએ તેમની પરિસ્થિતિને ઉજાગર કરવા માટે કેનાલમાં નર્મદાના પાણીમાં ગુલાબ ફેંકી દીધા હતા. આ અંગે એક ખેડૂત જણાવે છે કે, દેલોલ પાસે આવેલા રામનાત, કંડાચ અને સગનપુરા ગામમાં મોટાપાયે ગુલાબની ખેતી થાય છે. સૌથી વધારે જથ્થો વડોદરા અને ગોધરામાં વેચાય છે. ખેડૂતો વહેલી સવારે ફૂલોને તોડીને બજારમાં લઈ જાય છે.
ગુલાબનો એક કિલોનો ભાવ 500 રૂ. થી ઘટીને 10થી 15 રૂ. થયો
ફૂલોની ખેતીમાં સંકળાયેલા દેલોલના સરપંચ નીરવ પટેલ જણાવે છે કે, અહિંયા રોજ આશરે બે હજાર કિલો ગુલાબનું ઉત્પાદન થાય છે. હાલમાં લગભગ 800 કિલો પાકનું વેચાણ થાય છે અને બાકીના પાકનો નિકાલ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન એક કિલો ગુલાબનો કિલોનો ભાવ 500 રૂપિયા હતો જે ઘટીને હવે 10થી 15 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જો આવનારા દિવસોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતોએ ગુલાબની ખેતી છોડી દેવી પડશે. તેમજ તેઓ આર્થિક રીતે પાયમાલ પણ બની શકે તેવી શક્યતાઓ છે.
દુર્દશાને ઉજાગર કરવા માટે કેટલાક ખેડૂતોએ ગુલાબના ફૂલને કેનાલમાં ફેંકી દીધા
નવરાત્રીમાં ગુલાબનો એક કિલોનો ભાવ 500 રૂ. હતો, જે ઘટીને 10 થી 15 રૂ. થયો
WatchGujarat. પંચમહાલ જિલ્લાના ગુલાબની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોળી બની છે. તેઓની આર્થિક સ્થિતિ લથડી છે. જેનું કારણ છે ગુલાબના ભાવમાં થયેલો નોંધપાત્ર ઘટાડો. ગુલાબના ફૂલનો યોગ્ય ભાવ ન મળતાં તેઓ વિકટ સ્થિતિમાં મૂકાયા છે. એટલું જ નહીં ન વેંચાયેલા ગુલાબના ફૂલને આ ખેડૂતો પશુઓને ખવડાવી રહ્યા છે.
પંચમહાલના ખેડૂતો તેમના પશુઓને ખવડાવી રહ્યા છે ફૂલ
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં ગુલાબની ખેતી કરતા ખેડૂતોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ આજકાલ પશુઓને કાશ્મીરી ગુલાબ ખવડાવી રહ્યા છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં મુકેશ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, તેમને એક દિવસમાં 100 કિલો ફૂલ ફેંકી દેવા અથવા મફતમાં વહેંચવાની ફરજ પડી હતી. જેનું કારણ છે ફૂલોના ભાવમાં થયેલો ઘટાડો. અમને વડોદરામાં કિલો ગુલાબના 10 રૂપિયા મળે છે. અમે શક્ય એટલા ગુલાબ વેચીએ છીએ અને બાકીના ગુલાબને પશુઓને ખવડાવીએ છીએ અથવા ફ્રીમાં આપીએ છીએ.
અન્ય એક કૌશલ પટેલ નામના ખેડૂતે મીડિયાને જણાવ્યું હતું કે, ફૂલોની ખેતી કરનારાઓ માટે ભાવ સમસ્યાનો એક ભાગ છે. એપીએમસી માર્કેટમાં પણ અમારા માટે જગ્યા નથી. વડોદરામાં ફૂલ બજાર અસંગઠિત છે, જે વહેલી સવારે ખૂલે છે. દલાલો ફૂલો વેચવા માટે 10 ટકા લે છે. હવે આવામાં ગુલાબનો ભાવ કિલોના 10 થી 15 રૂપિયા છે. જેથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુલાબ સિવાય ગલગોટાના ભાવ પણ તળીયે છે. ગલગોટાની ખેતી એક ખેડૂતે આ અંગે કહ્યું કે, અમારે પણ ગલગોટાના ફૂલ ફ્રીમાં વહેંચવા પડે છે. જો કે, હજી સુધી તેને ઘાસચારામાં ફેરવાયા નથી.
નોંધનીય છે કે ખેતી કરેલા ગુલાબ વ્યર્થ ન જાય તે માટે પશુઓને ગુલાબ ખવડાવવા ઉપરાંત, ખેડૂતો મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ ફૂલોનું દાન કરી રહ્યા છે. તેમજ જેમને જોઈતા હોય તેમને પણ વિનામૂલ્યે ગુલાબના ફૂલ આપવામાં આવે છે. હાલમાં જ, કેટલાક ખેડૂતોએ તેમની પરિસ્થિતિને ઉજાગર કરવા માટે કેનાલમાં નર્મદાના પાણીમાં ગુલાબ ફેંકી દીધા હતા. આ અંગે એક ખેડૂત જણાવે છે કે, દેલોલ પાસે આવેલા રામનાત, કંડાચ અને સગનપુરા ગામમાં મોટાપાયે ગુલાબની ખેતી થાય છે. સૌથી વધારે જથ્થો વડોદરા અને ગોધરામાં વેચાય છે. ખેડૂતો વહેલી સવારે ફૂલોને તોડીને બજારમાં લઈ જાય છે.
ગુલાબનો એક કિલોનો ભાવ 500 રૂ. થી ઘટીને 10થી 15 રૂ. થયો
ફૂલોની ખેતીમાં સંકળાયેલા દેલોલના સરપંચ નીરવ પટેલ જણાવે છે કે, અહિંયા રોજ આશરે બે હજાર કિલો ગુલાબનું ઉત્પાદન થાય છે. હાલમાં લગભગ 800 કિલો પાકનું વેચાણ થાય છે અને બાકીના પાકનો નિકાલ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન એક કિલો ગુલાબનો કિલોનો ભાવ 500 રૂપિયા હતો જે ઘટીને હવે 10થી 15 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જો આવનારા દિવસોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતોએ ગુલાબની ખેતી છોડી દેવી પડશે. તેમજ તેઓ આર્થિક રીતે પાયમાલ પણ બની શકે તેવી શક્યતાઓ છે.