ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી
આગમાં કોઈ ઈજા કે જાનહાની નથી,સામાન બળીને ખાખ
હજુ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
WatchGujarat.અમદાવાદના દાણીલીમડામાં ચંડોળા તળાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી, ત્યારે ફાયરફાઇટરોએ 12 જેટલા ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક આવેલ BRTS વર્કશોપ પાસેના એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી હતી, ત્યારે લોકોએ ફાયર ફાઇટરોને બનાવની જાણ કરતાં કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે, ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકમાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આગને બુઝાવ્યા બાદ હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અલગ અલગ 10 જગ્યાઓ પર થી પાણીની લાઈનો બનાવી આગને કાબુમા લેવામા આવી હતી. આ આગ બુઝાવવા માટે અંદાજે 2 લાખ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ આગમાં પાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિઝો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો, ટપ, ફર્નિચર વગેરે બળીને ખાખ થઇ ગયું હતુ જો કે આગનુ કારણ હજુ જાણવા મળ્યું નથી.
WatchGujarat.અમદાવાદના દાણીલીમડામાં ચંડોળા તળાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી, ત્યારે ફાયરફાઇટરોએ 12 જેટલા ફાયર ટેન્ડરની મદદથી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક આવેલ BRTS વર્કશોપ પાસેના એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી હતી, ત્યારે લોકોએ ફાયર ફાઇટરોને બનાવની જાણ કરતાં કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે, ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકમાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આગને બુઝાવ્યા બાદ હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અલગ અલગ 10 જગ્યાઓ પર થી પાણીની લાઈનો બનાવી આગને કાબુમા લેવામા આવી હતી. આ આગ બુઝાવવા માટે અંદાજે 2 લાખ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ આગમાં પાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિઝો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો, ટપ, ફર્નિચર વગેરે બળીને ખાખ થઇ ગયું હતુ જો કે આગનુ કારણ હજુ જાણવા મળ્યું નથી.