કોરોના મહામારી કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી
ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટીસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી અને જરૂરી તૈયારીઓ નહિ કરવામાં આવતી કડક કાર્યવાહી હાથ ધરી
પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના
Watchgujarat. વડોદરામાં ફાયર એનઓસી નહિ ધરાવતી વધુ પાંચ હોસ્પિટલોને સીલ મારી દેવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. અગાઉ પણ અનેક હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નહિ હોવાથી સીલ મારી દેવામાં આવ્યા હતા. પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટની કામગીરીને લઇને ચોતરફથી સહારના કરવામાં આવી રહી છે.
કોરોના મહામારી કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઇને હાઇ કોર્ટ પણ રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે સરકારને અનેક વખત ટકોર કરી ચુકી છે. તેવા સમયે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટીસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી અને જરૂરી તૈયારીઓ નહિ કરવામાં આવતી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજડ પાલિકા દ્વારા પાંચથી વધુ હોસ્પિટલોની સીલ મારી દેવામાં આવ્યા હતા. જે કાર્યવાહી આજે પણ ચાલુ જ રહી હતી.
પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના કરી રહ્યા છે.
આજે કઇ હોસ્પિટલ સીલ કરવામાં આવશે
સિદ્ધી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – દાંડીયા બજાર
કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ – ઉમા સોસાયટી, વાઘોડિયા
ગુજરાત સર્જીકલ હોસ્પિટલ – સમા
ચાર્મી હોસ્પિટલ – અમીન નગર પાસે, છાણી
આદિત નર્સિંગ હોમ, મધર સ્કુલ પાસે, પ્રણાલી કોમ્પલેક્ષ નજીક, દિવાળીપુરા
આ અંગે ફાયર વિભાગના અધિકારી હર્ષવર્ધન પુવાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઉઇપરોક્ત પાંચ હોસ્પિટલમાંથી ત્રણ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આગળની કામગીરી ચાલી રહીં છે. જ્યારે વાઘોડીયા રોડ સ્થિત કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલ દ્વારા ફાયર એન.ઓ.સી માટે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે ફાઇલ સબમીટ કરી છે. પરંતુ અધિકારી રજા પર હોવાથી ફાઇલ પ્રોસેસ થઇ શકી નથી, હોસ્પિટલમાં ફાયરના સાધનો પુરતા પ્રમાણમાં લાગેલા હોવાની તપાસ દરમિયાન જાણવા મળી આવ્યું છે. જેથી કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલને હાલ સીલ કરવામાં આવી નથી.
કોરોના મહામારી કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી
ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટીસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી અને જરૂરી તૈયારીઓ નહિ કરવામાં આવતી કડક કાર્યવાહી હાથ ધરી
પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના
Watchgujarat. વડોદરામાં ફાયર એનઓસી નહિ ધરાવતી વધુ પાંચ હોસ્પિટલોને સીલ મારી દેવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. અગાઉ પણ અનેક હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નહિ હોવાથી સીલ મારી દેવામાં આવ્યા હતા. પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટની કામગીરીને લઇને ચોતરફથી સહારના કરવામાં આવી રહી છે.
કોરોના મહામારી કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઇને હાઇ કોર્ટ પણ રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે સરકારને અનેક વખત ટકોર કરી ચુકી છે. તેવા સમયે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટીસો આપ્યા બાદ પણ ફાયર એનઓસી અને જરૂરી તૈયારીઓ નહિ કરવામાં આવતી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજડ પાલિકા દ્વારા પાંચથી વધુ હોસ્પિટલોની સીલ મારી દેવામાં આવ્યા હતા. જે કાર્યવાહી આજે પણ ચાલુ જ રહી હતી.
પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના કરી રહ્યા છે.
આ અંગે ફાયર વિભાગના અધિકારી હર્ષવર્ધન પુવાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઉઇપરોક્ત પાંચ હોસ્પિટલમાંથી ત્રણ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આગળની કામગીરી ચાલી રહીં છે. જ્યારે વાઘોડીયા રોડ સ્થિત કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલ દ્વારા ફાયર એન.ઓ.સી માટે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે ફાઇલ સબમીટ કરી છે. પરંતુ અધિકારી રજા પર હોવાથી ફાઇલ પ્રોસેસ થઇ શકી નથી, હોસ્પિટલમાં ફાયરના સાધનો પુરતા પ્રમાણમાં લાગેલા હોવાની તપાસ દરમિયાન જાણવા મળી આવ્યું છે. જેથી કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલને હાલ સીલ કરવામાં આવી નથી.