આગથી સુરક્ષા માટે બિલ્ડીંગોમાં બે સીડી મુકાય તો જ ફાયર NOC મળશે તેવા જાહેરનામા સામે બિલ્ડરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો
વર્ષ-2021ના જાહેરનામાનો હજુ અમલ થયો નથી ત્યારે જુના કાયદા મૂજબ અમલ કરવા રાજ્ય સરકારનો અભિપ્રાય
સરકારે કાયદામાં બિલ્ડરોને છટકબારી આપી, બિલ્ડીંગમાં હવે બે નહીં એક સીડી હશે તોય ફાયર NOC અપાશે
બિલ્ડરોને જુના અને નવા બન્ને કાયદામાં તેમને જે અનુકૂળ લાભકર્તા છે તે જોગવાઈનો અમલ થશે
WatchGujarat. એક વર્ષ પહેલા તા. 21 જાન્યુઆરી, 2021ના ગુજરાત અગિન નિવારણ અને સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) નિયમો-2021 માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મૂજબ આગથી સુરક્ષા ધ્યાને લઈને બિલ્ડીંગોમાં બે સીડી મુકાય તો જ ફાયર એન.ઓ.સી. મળે. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર રાજ્યના બિલ્ડરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જેને પગલે હવે રાજ્ય સરકારે ફાયર સેફ્ટીના કાયદામાં મોટી છૂટછાટો બિલ્ડરોને આપી છે.
રાજ્ય સરકારે કાયદામાં આપી છટકબારી
મીડિયા અહેવાલ મુજબ રાજ્ય સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીઝ વિભાગે રાજકોટ મનપાને જારી કરેલા એક પરિપત્ર મૂજબ હાઈરાઈઝ અને લૉ રાઈઝ બિલ્ડીંગોમાં હવે એક સીડી હશે તો પણ ફાયર એનઓસી આપી શકાશે. જ્યારે 2021ના વર્ષમાં લાગુ કરાયેલા નિયમો મુજબ બિલ્ડીંગમાં બે સીડી મુકાય તો જ ફાયર એનઓસી આપવામાં આવતા હતા. પરંતુ તેના કારણે રાજકોટમાં બિલ્ડરોએ આ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ કારણે 90 થી વધારે બિલ્ડીંગ પ્લાન ઈન્વર્ડ કરાવાયા નહોતા.
મહત્વનું છે કે આ જ પ્રશ્ન સમગ્ર રાજ્યમાં હતો. બિલ્ડરોએ ગાંધીનગરમાં સરકાર પાસે ધામા નાંખીને આ જોગવાઈ રદ કરવા ભારે દબાણ સાથે માંગણી કરી હતી. જેથી હવે સરકારે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, ઈ.2021ના જાહેરનામાનો હજુ અમલ થયો નથી ત્યારે જુના કાયદા મૂજબ અમલ કરવો. અર્થાત્ એક સીડી હોય તો પણ એનઓસી આપી શકાશે. આ મામલે રાજકોટના મેયર સહિત પદાધિકારીઓએ આજે સત્તાવાર તેની જાહેરાત કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂના નિયમ મુજબ ફાયર એનઓસીની મુદત એક વર્ષની હોય છે. જેથી બિલ્ડરોએ દર વર્ષે નવી અરજી કરવાની થતી હતી. જ્યારે નવા 2021 ના કાયદામાં 3 વર્ષની મુદતની ફાયર એનઓસી આપવાની અને રિન્યુઅલમાં 2 વર્ષની મુદતની એનઓસીની જોગવાઈ છે. આ કાયદાનો અમલ કરવા પણ સરકારે સૂચના જારી કરી છે. જોકે હજી સુધી નવા 2021ના કાયદાનું સંપૂર્ણ અમલ રાજ્યમાં શરૂ થયો નથી. ત્યારે સરકારનો આ પરિપત્ર સમગ્ર રાજ્યમાં અમલી થશે જેમાં બિલ્ડરોને જુના અને નવા બન્ને કાયદામાં તેમને જે અનુકૂળ લાભકર્તા છે તે જોગવાઈનો અમલ થશે. આ સાથે જ અટકેલા બિલ્ડીંગ પ્લાન હવે ધડાધડ મુકાવા લાગશે. જોકે આશ્ચર્યની વાત છે કે બિલ્ડરોનો જેમાં લાભ છે તે જોગવાઈ નવા ફાયર સેફ્ટીના કાયદા (2021) મુજબ કરવામાં આવશે, જ્યારે જેમાં બિલ્ડરોનું નુકશાન હતું તેમાં જૂના કાયદાનો અમલ કરાવાશે. જેને જોતા સરકારે જાણે બિલ્ડરોને કાયદામાંથી છટકબારી આપી હોય તેવું લાગી રહ્યું છે.
આગથી સુરક્ષા માટે બિલ્ડીંગોમાં બે સીડી મુકાય તો જ ફાયર NOC મળશે તેવા જાહેરનામા સામે બિલ્ડરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો
વર્ષ-2021ના જાહેરનામાનો હજુ અમલ થયો નથી ત્યારે જુના કાયદા મૂજબ અમલ કરવા રાજ્ય સરકારનો અભિપ્રાય
સરકારે કાયદામાં બિલ્ડરોને છટકબારી આપી, બિલ્ડીંગમાં હવે બે નહીં એક સીડી હશે તોય ફાયર NOC અપાશે
બિલ્ડરોને જુના અને નવા બન્ને કાયદામાં તેમને જે અનુકૂળ લાભકર્તા છે તે જોગવાઈનો અમલ થશે
WatchGujarat. એક વર્ષ પહેલા તા. 21 જાન્યુઆરી, 2021ના ગુજરાત અગિન નિવારણ અને સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) નિયમો-2021 માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મૂજબ આગથી સુરક્ષા ધ્યાને લઈને બિલ્ડીંગોમાં બે સીડી મુકાય તો જ ફાયર એન.ઓ.સી. મળે. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર રાજ્યના બિલ્ડરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જેને પગલે હવે રાજ્ય સરકારે ફાયર સેફ્ટીના કાયદામાં મોટી છૂટછાટો બિલ્ડરોને આપી છે.
રાજ્ય સરકારે કાયદામાં આપી છટકબારી
મીડિયા અહેવાલ મુજબ રાજ્ય સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીઝ વિભાગે રાજકોટ મનપાને જારી કરેલા એક પરિપત્ર મૂજબ હાઈરાઈઝ અને લૉ રાઈઝ બિલ્ડીંગોમાં હવે એક સીડી હશે તો પણ ફાયર એનઓસી આપી શકાશે. જ્યારે 2021ના વર્ષમાં લાગુ કરાયેલા નિયમો મુજબ બિલ્ડીંગમાં બે સીડી મુકાય તો જ ફાયર એનઓસી આપવામાં આવતા હતા. પરંતુ તેના કારણે રાજકોટમાં બિલ્ડરોએ આ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ કારણે 90 થી વધારે બિલ્ડીંગ પ્લાન ઈન્વર્ડ કરાવાયા નહોતા.
મહત્વનું છે કે આ જ પ્રશ્ન સમગ્ર રાજ્યમાં હતો. બિલ્ડરોએ ગાંધીનગરમાં સરકાર પાસે ધામા નાંખીને આ જોગવાઈ રદ કરવા ભારે દબાણ સાથે માંગણી કરી હતી. જેથી હવે સરકારે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, ઈ.2021ના જાહેરનામાનો હજુ અમલ થયો નથી ત્યારે જુના કાયદા મૂજબ અમલ કરવો. અર્થાત્ એક સીડી હોય તો પણ એનઓસી આપી શકાશે. આ મામલે રાજકોટના મેયર સહિત પદાધિકારીઓએ આજે સત્તાવાર તેની જાહેરાત કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂના નિયમ મુજબ ફાયર એનઓસીની મુદત એક વર્ષની હોય છે. જેથી બિલ્ડરોએ દર વર્ષે નવી અરજી કરવાની થતી હતી. જ્યારે નવા 2021 ના કાયદામાં 3 વર્ષની મુદતની ફાયર એનઓસી આપવાની અને રિન્યુઅલમાં 2 વર્ષની મુદતની એનઓસીની જોગવાઈ છે. આ કાયદાનો અમલ કરવા પણ સરકારે સૂચના જારી કરી છે. જોકે હજી સુધી નવા 2021ના કાયદાનું સંપૂર્ણ અમલ રાજ્યમાં શરૂ થયો નથી. ત્યારે સરકારનો આ પરિપત્ર સમગ્ર રાજ્યમાં અમલી થશે જેમાં બિલ્ડરોને જુના અને નવા બન્ને કાયદામાં તેમને જે અનુકૂળ લાભકર્તા છે તે જોગવાઈનો અમલ થશે. આ સાથે જ અટકેલા બિલ્ડીંગ પ્લાન હવે ધડાધડ મુકાવા લાગશે. જોકે આશ્ચર્યની વાત છે કે બિલ્ડરોનો જેમાં લાભ છે તે જોગવાઈ નવા ફાયર સેફ્ટીના કાયદા (2021) મુજબ કરવામાં આવશે, જ્યારે જેમાં બિલ્ડરોનું નુકશાન હતું તેમાં જૂના કાયદાનો અમલ કરાવાશે. જેને જોતા સરકારે જાણે બિલ્ડરોને કાયદામાંથી છટકબારી આપી હોય તેવું લાગી રહ્યું છે.