ફાયર સેફ્ટી વિભાગે શહેરમાં વધુ બે કોમ્પ્લેક્ષ સીલ કર્યાં
અલ્કાપુરી વિસ્તારમાં આવેલ નેશનલ પ્લાઝા અને સિલ્વર લાઇન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ
એક મહિનાથી વધારેનો સમય આપવા છતાં ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો ન વસાવતા સીલ કરાયા
WatchGujarat.જો કોમ્પ્લેક્ષમાં ફાયર સેલ્ટીનાં સાધનો નહીં હોય તો હવે ખેર નથી કારણ કે પાલિકાએ લાલ આંખ કરી છે. રાજ્યમાં અનેક વખત મોટા-મોટા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાનાં બનાવ બનતા હોય છે. અને ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો ન હોવાને કારણે અનેક પ્રકારની જાનહાની થતી હોય છે. માટે તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર ડિપાર્મેન્ટ દ્વારા શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માટે શહેરનાં અલ્કાપુરી વિસ્તારમાં આવેલ નેશનલ પ્લાઝા અને સિલ્વર લાઇન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર ડિપાર્મેન્ટની ટીમ દ્વારા અલ્કાપુરી વિસ્તારમાં આવેલ નેશનલ પ્લાઝા અને સિલ્વર લાઇન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરાયા છે. ફાયર ડિપાર્મેન્ટનાં અધિકારીનાં જણાવ્યાં પ્રમાણે અહીં ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનો ન હતા. અધિકારીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાત હાઇકોર્ટ તેમજ શહેર પોલીસ કમિશ્નરનાં આદેશ મુજબ અહીં ફાયર સેલ્ફીનાં પૂરતાં સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે.
જ્યારે કોમ્પ્લેક્ષનાં વહીવટ કર્તાએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે અમે ફાયર સેલ્ફીને લઇને 90 ટકા જેટલું કામ કરી લીધુ છે. માત્ર થોડુ કામ બાકી રહ્યું છે એ માટે અઠવાડિયાનો સમય માંગ્યો છે. પરંતુ હવે સમય ન આપીને ફાયર ડિપાર્મેન્ટ દ્વારા કોમ્પ્લેક્ષને સીલ કરાયો છે. આ કોમ્પ્લેક્ષમાં 90 દુકાનો આવેલી છે. વહીવટ કર્તાનું કહેવું છે કે કોરોના કાળમાં આમ પણ ધંધો ઠપ થઇ ગયો હતો અને કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવતા ધંધા પર માઠી અસર પડશે. જેની દુકાનકારો પર ભારે ખરાબ અસર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે શહેરનાં ગાંધીનગર ગૃહ પાસે આવેલા સીતાડેલ કોમ્પ્લેક્ષ અને નવરંગ કોમ્પ્લેક્ષને સીલ કરાયા હતા. પાલિકા દ્વારા પૂરજોશમાં આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે માટે આવનાર સમયમાં વધુ કોમ્પ્લેક્ષ સીલ કરાય તો નવાઇ નહીં.તંત્રની આ કામગીરીની ચારે તરફ ભારે પ્રશંસા થઇ રહી છે.
ફાયર સેફ્ટી વિભાગે શહેરમાં વધુ બે કોમ્પ્લેક્ષ સીલ કર્યાં
અલ્કાપુરી વિસ્તારમાં આવેલ નેશનલ પ્લાઝા અને સિલ્વર લાઇન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ
એક મહિનાથી વધારેનો સમય આપવા છતાં ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો ન વસાવતા સીલ કરાયા
WatchGujarat.જો કોમ્પ્લેક્ષમાં ફાયર સેલ્ટીનાં સાધનો નહીં હોય તો હવે ખેર નથી કારણ કે પાલિકાએ લાલ આંખ કરી છે. રાજ્યમાં અનેક વખત મોટા-મોટા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાનાં બનાવ બનતા હોય છે. અને ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો ન હોવાને કારણે અનેક પ્રકારની જાનહાની થતી હોય છે. માટે તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર ડિપાર્મેન્ટ દ્વારા શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માટે શહેરનાં અલ્કાપુરી વિસ્તારમાં આવેલ નેશનલ પ્લાઝા અને સિલ્વર લાઇન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર ડિપાર્મેન્ટની ટીમ દ્વારા અલ્કાપુરી વિસ્તારમાં આવેલ નેશનલ પ્લાઝા અને સિલ્વર લાઇન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરાયા છે. ફાયર ડિપાર્મેન્ટનાં અધિકારીનાં જણાવ્યાં પ્રમાણે અહીં ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનો ન હતા. અધિકારીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાત હાઇકોર્ટ તેમજ શહેર પોલીસ કમિશ્નરનાં આદેશ મુજબ અહીં ફાયર સેલ્ફીનાં પૂરતાં સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા છે.
જ્યારે કોમ્પ્લેક્ષનાં વહીવટ કર્તાએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે અમે ફાયર સેલ્ફીને લઇને 90 ટકા જેટલું કામ કરી લીધુ છે. માત્ર થોડુ કામ બાકી રહ્યું છે એ માટે અઠવાડિયાનો સમય માંગ્યો છે. પરંતુ હવે સમય ન આપીને ફાયર ડિપાર્મેન્ટ દ્વારા કોમ્પ્લેક્ષને સીલ કરાયો છે. આ કોમ્પ્લેક્ષમાં 90 દુકાનો આવેલી છે. વહીવટ કર્તાનું કહેવું છે કે કોરોના કાળમાં આમ પણ ધંધો ઠપ થઇ ગયો હતો અને કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવતા ધંધા પર માઠી અસર પડશે. જેની દુકાનકારો પર ભારે ખરાબ અસર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે શહેરનાં ગાંધીનગર ગૃહ પાસે આવેલા સીતાડેલ કોમ્પ્લેક્ષ અને નવરંગ કોમ્પ્લેક્ષને સીલ કરાયા હતા. પાલિકા દ્વારા પૂરજોશમાં આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે માટે આવનાર સમયમાં વધુ કોમ્પ્લેક્ષ સીલ કરાય તો નવાઇ નહીં.તંત્રની આ કામગીરીની ચારે તરફ ભારે પ્રશંસા થઇ રહી છે.