જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો યોજાશે
એક અંદાજે 7 લાખથી વધુ રોપા ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે
વિદેશથી આવતા ફુલોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે
WatchGujarat.કોરોના કાળમાં વિદેશથી આવતા પ્રવાસીઓ ક્વોરન્ટાઇન થાય છે અને ફરજિયાત ક્વોરન્ટાઇન થયું જ પડે છે. પરંતુ હવે ફુલોને પણ ક્વોરન્ટાઇન કરવાનો વારો આવ્યો છે. જી.હા. વઘતા જતાં ઓમિક્રોન વચ્ચે તંત્ર ખૂબ જ સાવચેતી રાખી રહ્યું છે માટે વિદેશથી આવતા ફુલોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને પરદેશમાંથી આવી રહેલા રંગબેરંગી ફુલોના રોપા રિવરફ્રન્ટ ખાતે ગોઠવવામાં આવી રહ્યા છે. એક અંદાજે 7 લાખથી વધુ રોપા ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે.
મળતી માહિતી મુજબ અમેરિકા, લંડન, યુરોપ અને અન્ય દેશોમાંથી વિવિધ રંગી ફુલોના રોપાઓની ખરીદી મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું નથી. પરંતુ ફ્લાવર શોમાં ભાગ લેનારી અમદાવાદની અગ્રગણ્ય નર્સરીઓ કરે છે અને એ નર્સરીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન તગડા ભાવે રોપા ખરીદે છે. પરંતુ દુનિયાભરમાં વ્યાપેલી કોરોનાની મહામારીના કારણે આ વખતે ખાનગી નર્સરીઓએ ઉંચા ભાવના ફુલોના રોપા મંગાવવા માટે ઓર્ડર આપ્યા નથી. પરિણામે ખાસ કરીને ગુલાબની વિવિધ જાતોના અલગ-અલગ રંગના ફુલો બહુ ઓછા જોવા મળશે.
મ્યુનિસિપલ બગીચા ખાતાનાં પ્રવક્તાએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે એક દેશમાંથી ફુલોના રોપા બીજા દેશમાં લઇ જવામાં આવે ત્યારે રોપા મંગાવનાર દેશની નર્સરીઓએ એ રોપાને ઓછામાં ઓછા દસ દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવાનો એક નિયમ છે. ક્વોરન્ટાઇન થયેલા ફુલોના રોપા જ ફ્લાવર શોમાં પ્રદર્શિત કરવાનો નિયમ હોવાથી સંબંધિત દેશના સંબંધિત રાજ્ય સરકારનાં પ્રમાણપત્ર મેળવવા ફરજિયાત હોવાથી અમદાવાદની ખાનગી નર્સરીનાં સંચાલકો પ્રમાણપત્ર મેળવવા રાજકીય વગનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષનાં ફ્લાવર શોમાં મુલાકાતીઓની ભીડને અંકુશમાં રાખવા પ્રવેશ ફી રાખવામાં આવનાર છે. સંભવત : પુખ્ત વયના માટે 15 રુપિયા અને નાના બાળકો માટે 10 રૂપિયા મનાય છે. એવી જ રીતે ખાનગી નર્સરીનાં સંચાલકોને ફ્લાવર શોમાં ભાડેથી સ્ટોલ રાખવાની મંજૂરી આપવામાં આવનાર છે. જ્યાં તેઓ મન ફાવે તે ભાવે ફુલછોડનાં રોપા વેંચી શકશે. પરંતુ આ દેશી-વિદેશી ફુલોના રોપાંની યોગ્યતાની તપાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. હાલ વિદેશમાં આવતા નાગરીકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. તાજેતરમાં બકરા - ગાયમાં વિશેષ લક્ષણો દેખાતા તેઓને ક્વોરન્ટાઇન કરવા પડ્યા હતા. અને હવે ફુલોને ક્વોરન્ટાઇન કરવાનો વારો આવ્યો છે.
જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો યોજાશે
એક અંદાજે 7 લાખથી વધુ રોપા ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે
વિદેશથી આવતા ફુલોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે
WatchGujarat.કોરોના કાળમાં વિદેશથી આવતા પ્રવાસીઓ ક્વોરન્ટાઇન થાય છે અને ફરજિયાત ક્વોરન્ટાઇન થયું જ પડે છે. પરંતુ હવે ફુલોને પણ ક્વોરન્ટાઇન કરવાનો વારો આવ્યો છે. જી.હા. વઘતા જતાં ઓમિક્રોન વચ્ચે તંત્ર ખૂબ જ સાવચેતી રાખી રહ્યું છે માટે વિદેશથી આવતા ફુલોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને પરદેશમાંથી આવી રહેલા રંગબેરંગી ફુલોના રોપા રિવરફ્રન્ટ ખાતે ગોઠવવામાં આવી રહ્યા છે. એક અંદાજે 7 લાખથી વધુ રોપા ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે.
મળતી માહિતી મુજબ અમેરિકા, લંડન, યુરોપ અને અન્ય દેશોમાંથી વિવિધ રંગી ફુલોના રોપાઓની ખરીદી મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું નથી. પરંતુ ફ્લાવર શોમાં ભાગ લેનારી અમદાવાદની અગ્રગણ્ય નર્સરીઓ કરે છે અને એ નર્સરીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન તગડા ભાવે રોપા ખરીદે છે. પરંતુ દુનિયાભરમાં વ્યાપેલી કોરોનાની મહામારીના કારણે આ વખતે ખાનગી નર્સરીઓએ ઉંચા ભાવના ફુલોના રોપા મંગાવવા માટે ઓર્ડર આપ્યા નથી. પરિણામે ખાસ કરીને ગુલાબની વિવિધ જાતોના અલગ-અલગ રંગના ફુલો બહુ ઓછા જોવા મળશે.
મ્યુનિસિપલ બગીચા ખાતાનાં પ્રવક્તાએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે એક દેશમાંથી ફુલોના રોપા બીજા દેશમાં લઇ જવામાં આવે ત્યારે રોપા મંગાવનાર દેશની નર્સરીઓએ એ રોપાને ઓછામાં ઓછા દસ દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવાનો એક નિયમ છે. ક્વોરન્ટાઇન થયેલા ફુલોના રોપા જ ફ્લાવર શોમાં પ્રદર્શિત કરવાનો નિયમ હોવાથી સંબંધિત દેશના સંબંધિત રાજ્ય સરકારનાં પ્રમાણપત્ર મેળવવા ફરજિયાત હોવાથી અમદાવાદની ખાનગી નર્સરીનાં સંચાલકો પ્રમાણપત્ર મેળવવા રાજકીય વગનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષનાં ફ્લાવર શોમાં મુલાકાતીઓની ભીડને અંકુશમાં રાખવા પ્રવેશ ફી રાખવામાં આવનાર છે. સંભવત : પુખ્ત વયના માટે 15 રુપિયા અને નાના બાળકો માટે 10 રૂપિયા મનાય છે. એવી જ રીતે ખાનગી નર્સરીનાં સંચાલકોને ફ્લાવર શોમાં ભાડેથી સ્ટોલ રાખવાની મંજૂરી આપવામાં આવનાર છે. જ્યાં તેઓ મન ફાવે તે ભાવે ફુલછોડનાં રોપા વેંચી શકશે. પરંતુ આ દેશી-વિદેશી ફુલોના રોપાંની યોગ્યતાની તપાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. હાલ વિદેશમાં આવતા નાગરીકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. તાજેતરમાં બકરા - ગાયમાં વિશેષ લક્ષણો દેખાતા તેઓને ક્વોરન્ટાઇન કરવા પડ્યા હતા. અને હવે ફુલોને ક્વોરન્ટાઇન કરવાનો વારો આવ્યો છે.