હવે ગુજરાતના આ ચાર ગામડાઓમાં દારૂબંધી નહીં હોય
વલસાડ જિલ્લાના ચાર ગામનો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવેશ કરવામાં આવશે
સૌરાષ્ટ્રમાં આવેલ ઘોઘાલા ગામનો એક વિસ્તાર પણ દીવ યુટીમાં ભેળવી દેવામાં આવશે
આ ચાર ગામોમાં ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે
WatchGujarat. રાજ્યના ચાર એવા ગામડા છે જેમણે હવે દારૂબંધીમાંથી મુક્તિ મળવા જઈ રહી છે. આ વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે પરંતુ આ હકિકત છે. મળતી વિગતો અનુસાર ગુજરાતના ચાર ગામડાઓનો સમાવેશ પાડોશના કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવનાર છે. જેના કારણે આ ગામોમાંથી દારૂબંધીના નિયમો લાગૂ નહીં પડે.
મીડિયા અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વલસાડના ચાર ગામોને દાદરા અને નગર હવેલીમાં અને ગુજરાતના ઘોઘાલા ગામનો એક વિસ્તાર દીવના યુટીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આગામી 28 જાન્યુઆરીએ ગોવામાં યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ગોખલા ગામનો એક વિસ્તાર દીવના કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપવામાં આવશે. જેને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશોનો પ્રવાસ વધુ મૈત્રીપૂર્ણ બનશે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે અન્ય ત્રણ ગામો મધુબન ડેમ જળાશય અને દાદરા અને નગર હવેલી વિસ્તારની વચ્ચે આવે છે. ચોમાસામાં આ ગામોનો મોટાભાગનો વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે અને તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી જ રહે છે. ગુજરાતના આ ચાર ગામોને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાની માંગણી અને સૂચન લાંબા સમયથી પડતર હતું. જે ગામડાઓમાં પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારને વેગ આપશે."
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતના છાંટોપાણીના શોખીન લોકો રાજ્યને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં નિયમિતપણે વારંવાર પોતાનો શોખ પૂરો કરવા માટે જાય છે. પરંતુ હવે આ ગામો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવિષ્ટ થતા દારૂ અને વીકેન્ડ ટુરીઝમને પ્રોત્સાહન મળવાની આશા છે, જોકે પોતાની સરહદમાં દારુબંધીના પોતાના નિર્ણયને ચાલુ રાખવા ગુજરાત દ્રઢતા સાથે વળગીને તેનું પાલન કરશે.
હવે ગુજરાતના આ ચાર ગામડાઓમાં દારૂબંધી નહીં હોય
વલસાડ જિલ્લાના ચાર ગામનો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવેશ કરવામાં આવશે
સૌરાષ્ટ્રમાં આવેલ ઘોઘાલા ગામનો એક વિસ્તાર પણ દીવ યુટીમાં ભેળવી દેવામાં આવશે
આ ચાર ગામોમાં ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે
WatchGujarat. રાજ્યના ચાર એવા ગામડા છે જેમણે હવે દારૂબંધીમાંથી મુક્તિ મળવા જઈ રહી છે. આ વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે પરંતુ આ હકિકત છે. મળતી વિગતો અનુસાર ગુજરાતના ચાર ગામડાઓનો સમાવેશ પાડોશના કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવનાર છે. જેના કારણે આ ગામોમાંથી દારૂબંધીના નિયમો લાગૂ નહીં પડે.
મીડિયા અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વલસાડના ચાર ગામોને દાદરા અને નગર હવેલીમાં અને ગુજરાતના ઘોઘાલા ગામનો એક વિસ્તાર દીવના યુટીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આગામી 28 જાન્યુઆરીએ ગોવામાં યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ગોખલા ગામનો એક વિસ્તાર દીવના કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપવામાં આવશે. જેને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશોનો પ્રવાસ વધુ મૈત્રીપૂર્ણ બનશે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે અન્ય ત્રણ ગામો મધુબન ડેમ જળાશય અને દાદરા અને નગર હવેલી વિસ્તારની વચ્ચે આવે છે. ચોમાસામાં આ ગામોનો મોટાભાગનો વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે અને તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી જ રહે છે. ગુજરાતના આ ચાર ગામોને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાની માંગણી અને સૂચન લાંબા સમયથી પડતર હતું. જે ગામડાઓમાં પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારને વેગ આપશે."
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતના છાંટોપાણીના શોખીન લોકો રાજ્યને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં નિયમિતપણે વારંવાર પોતાનો શોખ પૂરો કરવા માટે જાય છે. પરંતુ હવે આ ગામો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવિષ્ટ થતા દારૂ અને વીકેન્ડ ટુરીઝમને પ્રોત્સાહન મળવાની આશા છે, જોકે પોતાની સરહદમાં દારુબંધીના પોતાના નિર્ણયને ચાલુ રાખવા ગુજરાત દ્રઢતા સાથે વળગીને તેનું પાલન કરશે.