અમદાવાદનાં વિરમગામના એક ગામમાં 46 ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો
ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી અને કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા
ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે 670 વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી
ભોગ બનનાર ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ
WatchGujarat. આપણે ત્યાં ખેડૂતો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવતા હોય છે.ખેડૂતોને મળતા લાભ અને યોજનાઓમાં ભારે છેતરપિંડી થતી જોવા મળતી હોય છે. જેને લીધે ખેડૂતોને મળતા લાભથી વંચિત રહી જતા હોય છે. એવામાં અમદાવાદનાં વિરમગામના એક ગામમાં 46 ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અને આ મામલો કંઇ ઓછી જમીન લઇને નથી પરંતુ 670 વિઘા જમીનને લઇને છે.
જી.હા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ખોટા દસ્તાવેજોથી ભૂમાફિયાએ બાનાખત કરાવી દીધાની ઘટના ઘટતા ચકચાર મચી છે. વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે 670 વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી છે. જે પૈકી કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા. આ મામલાથી ભોગ બનનાર 46 ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ કૌભાંડ સામે આવતા ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.આ સાથે ખેડૂતોએ ગેરરીતિ આચરનારા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.હવે જોવાનુ એ રહ્યુ કે આ 46 ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે.
- અમદાવાદનાં વિરમગામના એક ગામમાં 46 ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો
- ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી અને કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા
- ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે 670 વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી
- ભોગ બનનાર ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ
WatchGujarat. આપણે ત્યાં ખેડૂતો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવતા હોય છે.ખેડૂતોને મળતા લાભ અને યોજનાઓમાં ભારે છેતરપિંડી થતી જોવા મળતી હોય છે. જેને લીધે ખેડૂતોને મળતા લાભથી વંચિત રહી જતા હોય છે. એવામાં અમદાવાદનાં વિરમગામના એક ગામમાં 46 ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અને આ મામલો કંઇ ઓછી જમીન લઇને નથી પરંતુ 670 વિઘા જમીનને લઇને છે.
જી.હા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ખોટા દસ્તાવેજોથી ભૂમાફિયાએ બાનાખત કરાવી દીધાની ઘટના ઘટતા ચકચાર મચી છે. વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે 670 વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી છે. જે પૈકી કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા. આ મામલાથી ભોગ બનનાર 46 ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ કૌભાંડ સામે આવતા ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.આ સાથે ખેડૂતોએ ગેરરીતિ આચરનારા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.હવે જોવાનુ એ રહ્યુ કે આ 46 ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે.