જોતા જ ગમી જાય તેવા બાળકને ત્યજી દેવાનો વિચાર માતા – પિતાને કેવી રીતે આવ્યો હશે, લોક મુખે ચર્ચાઇ રહ્યું છે
સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે
મામલાની જાણ થતા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ બાળકની મુલાકાત લેવા પહોંચી ગયા
WatchGujarat. ગાંધીનગર પેથાપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે એક ચોંકવનારી ઘટના બની હતી. એક નાના માસુમ બાળકને મંદિર પાસે કોઈ તરછોડી ગયું હતું. આ ઘટનાને લઈને લોકો હેબતાઈ ગયા હતા. પેથાપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઇ ગયો હોવાની ઘટના થઇ હતી. એવું તો શું બન્યું હશે કે જેને લઈને આ નાના માસુમ બાળકને મંદિરની બહાર એકલવાયું મૂકીને જતા રહ્યા. જો કે જોતાં જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ફરાર થતા માણસોનો જીવ કેમ ચાલ્યો હશે. આ નાના બાળકને જોઈને હૃદય પીગળી જાય તેવી પરિસ્થિતિ લોકોમાં જોવા મળી હતી. નાના બાળકની સારસંભાળ લેવાના બદલે માતા પિતા પોતાની જવાબદારીથી કેમ પીછેહઠ કરે છે તે એક શરમજનક બાબત છે.આ નાના બાળકની એવી તો શું ભૂલ થઇ કે કઠોર માતાપિતાએ તરછોડી દીધું. આ બાબતને લઈને લોકોમાં એક પ્રશ્નનું કારણ બની ગયું છે.
સમગ્ર મામલાની જાણ થતા જ ગાંધીનગરની પોલીસે આ ઘટનાના પગલે તપાસ કરવાની પ્રક્રિયા ધમધમાટ શરુ કરી દીધી છે. બાળકના ફોટા અને એના વિષે તપાસ માટેની જાણકારી સમગ્ર રાજ્યના પોલીસને આપી દેવામાં આવી છે. ગાંધીનગર LCB,SOG, મહિલા અને પેથાપુરની પોલીસની ટીમોને આ દોઢ વર્ષના બાળકને મૂકી જનાર શખ્સ અને તે બાળકના માતાપિતાની શોધખોળ માટે કામે લગાડવામાં આવી દીધા છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે.ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે.
નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર પાસેના પેથાપુર સ્વામિનારાયણ મંદિર પાસે શુક્રવારે રાતે સાડાનવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. પરંતુ હજી સુધી આ માસૂમનાં માતા-પિતાની ભાળ મળી નથી. બાળકનેને ત્યજી દેનારા શખસની ગાંધીનગર પોલીસ શોધખોળ કરી રહી છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, વિવિધ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પોલીસે તપાસ હાથ ધરી છે. કોણ મૂકી ગયું અને કયા કારણસર મૂકી ગયું એ તપાસ અને કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો એ પણ તપાસીશું. તેમજ આજુબાજુના લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જવાયું છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે.
મામલાની જાણ થતા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ બાળકની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. અને તમામને બાળકના માતા પિતા શોધી આપવા માટે આગળ આવવા જણાવ્યું હતું.
જોતા જ ગમી જાય તેવા બાળકને ત્યજી દેવાનો વિચાર માતા – પિતાને કેવી રીતે આવ્યો હશે, લોક મુખે ચર્ચાઇ રહ્યું છે
સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે
મામલાની જાણ થતા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ બાળકની મુલાકાત લેવા પહોંચી ગયા
WatchGujarat. ગાંધીનગર પેથાપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે એક ચોંકવનારી ઘટના બની હતી. એક નાના માસુમ બાળકને મંદિર પાસે કોઈ તરછોડી ગયું હતું. આ ઘટનાને લઈને લોકો હેબતાઈ ગયા હતા. પેથાપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઇ ગયો હોવાની ઘટના થઇ હતી. એવું તો શું બન્યું હશે કે જેને લઈને આ નાના માસુમ બાળકને મંદિરની બહાર એકલવાયું મૂકીને જતા રહ્યા. જો કે જોતાં જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ફરાર થતા માણસોનો જીવ કેમ ચાલ્યો હશે. આ નાના બાળકને જોઈને હૃદય પીગળી જાય તેવી પરિસ્થિતિ લોકોમાં જોવા મળી હતી. નાના બાળકની સારસંભાળ લેવાના બદલે માતા પિતા પોતાની જવાબદારીથી કેમ પીછેહઠ કરે છે તે એક શરમજનક બાબત છે.આ નાના બાળકની એવી તો શું ભૂલ થઇ કે કઠોર માતાપિતાએ તરછોડી દીધું. આ બાબતને લઈને લોકોમાં એક પ્રશ્નનું કારણ બની ગયું છે.
સમગ્ર મામલાની જાણ થતા જ ગાંધીનગરની પોલીસે આ ઘટનાના પગલે તપાસ કરવાની પ્રક્રિયા ધમધમાટ શરુ કરી દીધી છે. બાળકના ફોટા અને એના વિષે તપાસ માટેની જાણકારી સમગ્ર રાજ્યના પોલીસને આપી દેવામાં આવી છે. ગાંધીનગર LCB,SOG, મહિલા અને પેથાપુરની પોલીસની ટીમોને આ દોઢ વર્ષના બાળકને મૂકી જનાર શખ્સ અને તે બાળકના માતાપિતાની શોધખોળ માટે કામે લગાડવામાં આવી દીધા છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે.ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે.
નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર પાસેના પેથાપુર સ્વામિનારાયણ મંદિર પાસે શુક્રવારે રાતે સાડાનવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. પરંતુ હજી સુધી આ માસૂમનાં માતા-પિતાની ભાળ મળી નથી. બાળકનેને ત્યજી દેનારા શખસની ગાંધીનગર પોલીસ શોધખોળ કરી રહી છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, વિવિધ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પોલીસે તપાસ હાથ ધરી છે. કોણ મૂકી ગયું અને કયા કારણસર મૂકી ગયું એ તપાસ અને કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો એ પણ તપાસીશું. તેમજ આજુબાજુના લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જવાયું છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે.
મામલાની જાણ થતા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ બાળકની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. અને તમામને બાળકના માતા પિતા શોધી આપવા માટે આગળ આવવા જણાવ્યું હતું.