યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશો બાદ પોલીસે મેરાથોન સર્ચ કરીને 20 કલાક બાદ શિવાંશના પિતાની ભાળ મેળવી લીધી
દિવસભરના સતત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે બાળક સાથે સમય વિતાવ્યો
માતાની હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારથી જ શિવાંશનું હવે શું થશે સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું
WatchGujarat. ગાંધીનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુલની ગૌશાળા પાસેથી મળી આવેલા બાળક શિવાંશના પિતાની ઓળખ થઇ ગઇ છે. અને તેની માતા હવે આ દુનિયામાં રહી નથી. દેશ-દુનિયા ભરમાંથી શિવાંશ પર પ્રેમનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે આજે શિશુગૃહમાં રહેતા શિવાંશની મુલાકાત લઇ તેની સાથે હળવાશની પળો વિતાવી હતી.
https://youtu.be/KPXqoejOdn0
ત્રણ દિવસ પહેલા વહેલી સવારે ગાંધીનગરના સ્વામિનારાયણ ગુરૂકુળની ગૌ શાળા પાસેથી શિવાંશ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને તેમના આદેશો બાદ પોલીસે મેરાથોન સર્ચ કરીને 20 કલાક બાદ શિવાંશના પિતાની ભાળ મેળવી લીધી હતી. જો કે, શિવાંશા પિતાની ભાળ મળતા જ તેની માતાની હત્યાનું રહસ્ય છતું થયું હતું.
રાજ્યના મહિલા-બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ છે. તેઓ વડોદરાના ધારાસભ્ય પણ છે. આજરોજ તેઓ ગાંધીનગર ખાતે આવેલા શિશુગૃહમાં દેખરેખ હેઠળ શિવાંશને મળવા પહોંચ્યા હતા. શિવાંશને લઇને બહાર આવતા જ શિવાંશ ખુશ જોવા મળ્યો હતો. દિવસભરના સતત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે બાળક સાથે સમય વિતાવ્યો હતો. અને હળવાશની પળો માણી હતી.
અત્રે ઉલ્લેખીય છે કે, શિવાંશ મળી આવતા જ તેના માતા – પિતાની શોધમાં મીડિયા અને રાજ્ય સરકારના ગૃહમંત્રીએ સક્રીય રહીને ભુમિકા ભજવી હતી. ગણતરીના કલાકોમાં તેના પિતા મળી ગયા હતા. અને તેની માતાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ત્યારથી જ શિવાંશનું હવે શું થશે સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે, હાલ શિવાંશ ગાંધીનગર ખાતે આવેલા શિશુગૃહમાં છે. માતા મહેંદી ઉર્ફે હિના અને પિતા સચિન દિક્ષીતના ડીએનએ ટેસ્ટ બાદ તેને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશો બાદ પોલીસે મેરાથોન સર્ચ કરીને 20 કલાક બાદ શિવાંશના પિતાની ભાળ મેળવી લીધી
દિવસભરના સતત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે બાળક સાથે સમય વિતાવ્યો
માતાની હત્યાનો ભેદ ઉકેલાયો ત્યારથી જ શિવાંશનું હવે શું થશે સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું
WatchGujarat. ગાંધીનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુલની ગૌશાળા પાસેથી મળી આવેલા બાળક શિવાંશના પિતાની ઓળખ થઇ ગઇ છે. અને તેની માતા હવે આ દુનિયામાં રહી નથી. દેશ-દુનિયા ભરમાંથી શિવાંશ પર પ્રેમનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે આજે શિશુગૃહમાં રહેતા શિવાંશની મુલાકાત લઇ તેની સાથે હળવાશની પળો વિતાવી હતી.
ત્રણ દિવસ પહેલા વહેલી સવારે ગાંધીનગરના સ્વામિનારાયણ ગુરૂકુળની ગૌ શાળા પાસેથી શિવાંશ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને તેમના આદેશો બાદ પોલીસે મેરાથોન સર્ચ કરીને 20 કલાક બાદ શિવાંશના પિતાની ભાળ મેળવી લીધી હતી. જો કે, શિવાંશા પિતાની ભાળ મળતા જ તેની માતાની હત્યાનું રહસ્ય છતું થયું હતું.
રાજ્યના મહિલા-બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ છે. તેઓ વડોદરાના ધારાસભ્ય પણ છે. આજરોજ તેઓ ગાંધીનગર ખાતે આવેલા શિશુગૃહમાં દેખરેખ હેઠળ શિવાંશને મળવા પહોંચ્યા હતા. શિવાંશને લઇને બહાર આવતા જ શિવાંશ ખુશ જોવા મળ્યો હતો. દિવસભરના સતત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે બાળક સાથે સમય વિતાવ્યો હતો. અને હળવાશની પળો માણી હતી.
અત્રે ઉલ્લેખીય છે કે, શિવાંશ મળી આવતા જ તેના માતા – પિતાની શોધમાં મીડિયા અને રાજ્ય સરકારના ગૃહમંત્રીએ સક્રીય રહીને ભુમિકા ભજવી હતી. ગણતરીના કલાકોમાં તેના પિતા મળી ગયા હતા. અને તેની માતાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ત્યારથી જ શિવાંશનું હવે શું થશે સહિતની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે, હાલ શિવાંશ ગાંધીનગર ખાતે આવેલા શિશુગૃહમાં છે. માતા મહેંદી ઉર્ફે હિના અને પિતા સચિન દિક્ષીતના ડીએનએ ટેસ્ટ બાદ તેને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.