નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓને આજે તેમના નિવાસ બંગલાઓની ફાળવણી કરાઇ
રાજેન્દ્ર ત્રિવેદીને 6 નંબરનો બંગલો અપાયો, જ્યારે યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને 19 નંબરના બંગલાની ફાળવણી કરાઈ
13 નંબરને અપશુકનિયાળ મનાતો હોવાથી મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી
12 નંબરના બંગલા પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે
WatchGujarat. ભાજપની નો રિપીટની થિયરી સાથે નવી સરકાર રચતા પૂર્વમંત્રીઓને પોતાના નિવાસનો સ્થાનો ખાલી કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય તે પહેલા જ નવા મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે તમામ મંત્રીઓને પોતાના નિવાસ સ્થાનો ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ ગાંધીનગરમાં બેસી વહીવટનો કારભાર સંભાળે છે. અહીં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સાથે મંત્રીઓ માટેના બંગલા, અને ધારાસભ્યો માટે ક્વાટર્સ પણ છે. આજે નવનિયુકત પટેલ સરકારના મંત્રીઓને બંગલાઓની ફાળવણી કરાઇ ત્યારે આવો તમને જણાવીએ કે કયા મંત્રીને કયો બંગલો ફાળવવામાં આવ્યો.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર નવનિયુકત મંત્રીઓને ફાળવવામાં આવેલા બંગલાની યાદી નીચે મુજબ છે:
કયા મંત્રીને કયો બંગલો મળ્યો
ભૂપેન્દ્ર પટેલ - 26
રાજેન્દ્ર ત્રિવેદી - 6
જીતુ વાઘાણી - 4
હર્ષ સંઘવી - 19
રૂષિકેશ પટેલ - 21
પૂર્ણેશ મોદી - 11
રાઘવજી પટેલ - 37
કનુભાઈ દેસાઈ - 22
કિરીટસિંહ રાણા - 10
નરેશ પટેલ - 33
પ્રદિપસિંહ પરમાર - 38
અર્જુનસિંહ ચૌહાણ - 30
જગદીશ પંચાલ - 18
બ્રિજેશ મેરજા - 5
જીતુ ચૌધરી - 3
મનિષા વકીલ - 16
મુકેશ પટેલ - 20
નિમિષા સુથાર - 29
અરવિંદ રૈયાણી - 23
કુબેર ડિંડોર - 12
કિર્તીસિંહ વાઘેલા - 35
ગજેન્દ્રસિંહ પરમાર - 36
આર.સી.મકવાણા - 31
વિનોદ મોરડિયા - 15
દેવા માલમ - 14
13 નંબરનો બંગલો જ નથી
ગુજરાત સરકારના મંત્રાલય, મંત્રીઓ અને સચિવાલય અંગે કેટલીક ગેરમાન્યતા ઘર કરી ગઇ છે. વિજ્ઞાનની અણી ઉપર કસીને ગુજરાતના વિકાસની વાતો કરનારા કેટલાય નેતાઓ વળી આ બધી માન્યતાઓની ગંભીરતાપૂર્વક નોંધ પણ લે છે. પરંતુ શું તમે જાણો છે કે મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. આ નંબર અપશુકનિયાળ મનાય છે. 12 નંબરના બંગલા પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પાસે વૈજ્ઞાનિક અભિગમની આશા રાખવામાં આવતી હોય છે પણ અહીં મંત્રી નિવાસમાં જ 13 નંબર બંગલાને આપવામાં આવતો નથી તે બાબત નવાઇ પમાડે તેવી છે.
એટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટુ પ્રધાન 26 નંબરના બંગલામાં રહે તો એમનો મુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી સેકન્ડ ઈન કમાન્ડ તરીકે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો હતો. એ પછી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતાં હતા. ચીમનભાઈનું અવસાન બાદ છબીલદાસ મુખ્યમંત્રી બન્યા હતા.
કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવ્યો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યમંત્રી બન્યા હતા. બળવો કરીને સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળ વખતે દિલીપ પરીખને આપ્યો હતો. દિલીપ પરીખ પણ થોડા મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2001માં ગુજરાતની ગાદી સંભાળ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી GAD દ્વારા આ બંગલો કોઈને આજ દિન સુધી રહેવા આપ્યો ન હતો.
અત્રે ઉલ્લેખીય છે કે, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ તમામ મંત્રીઓને તેમના ઘર ખાલી કરી દેવાની સુચના આપી દેવામાં આવી હતી. તાજેતરમાં નવા મંત્રીઓની શપથવિધી બાદ શ્ર્દ્ધ પર્વ પહેલા તમામને આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે.
- નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓને આજે તેમના નિવાસ બંગલાઓની ફાળવણી કરાઇ
- રાજેન્દ્ર ત્રિવેદીને 6 નંબરનો બંગલો અપાયો, જ્યારે યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને 19 નંબરના બંગલાની ફાળવણી કરાઈ
- 13 નંબરને અપશુકનિયાળ મનાતો હોવાથી મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી
- 12 નંબરના બંગલા પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે
WatchGujarat. ભાજપની નો રિપીટની થિયરી સાથે નવી સરકાર રચતા પૂર્વમંત્રીઓને પોતાના નિવાસનો સ્થાનો ખાલી કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય તે પહેલા જ નવા મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે તમામ મંત્રીઓને પોતાના નિવાસ સ્થાનો ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ ગાંધીનગરમાં બેસી વહીવટનો કારભાર સંભાળે છે. અહીં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સાથે મંત્રીઓ માટેના બંગલા, અને ધારાસભ્યો માટે ક્વાટર્સ પણ છે. આજે નવનિયુકત પટેલ સરકારના મંત્રીઓને બંગલાઓની ફાળવણી કરાઇ ત્યારે આવો તમને જણાવીએ કે કયા મંત્રીને કયો બંગલો ફાળવવામાં આવ્યો.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર નવનિયુકત મંત્રીઓને ફાળવવામાં આવેલા બંગલાની યાદી નીચે મુજબ છે:
કયા મંત્રીને કયો બંગલો મળ્યો
- ભૂપેન્દ્ર પટેલ - 26
- રાજેન્દ્ર ત્રિવેદી - 6
- જીતુ વાઘાણી - 4
- હર્ષ સંઘવી - 19
- રૂષિકેશ પટેલ - 21
- પૂર્ણેશ મોદી - 11
- રાઘવજી પટેલ - 37
- કનુભાઈ દેસાઈ - 22
- કિરીટસિંહ રાણા - 10
- નરેશ પટેલ - 33
- પ્રદિપસિંહ પરમાર - 38
- અર્જુનસિંહ ચૌહાણ - 30
- જગદીશ પંચાલ - 18
- બ્રિજેશ મેરજા - 5
- જીતુ ચૌધરી - 3
- મનિષા વકીલ - 16
- મુકેશ પટેલ - 20
- નિમિષા સુથાર - 29
- અરવિંદ રૈયાણી - 23
- કુબેર ડિંડોર - 12
- કિર્તીસિંહ વાઘેલા - 35
- ગજેન્દ્રસિંહ પરમાર - 36
- આર.સી.મકવાણા - 31
- વિનોદ મોરડિયા - 15
- દેવા માલમ - 14
13 નંબરનો બંગલો જ નથી
ગુજરાત સરકારના મંત્રાલય, મંત્રીઓ અને સચિવાલય અંગે કેટલીક ગેરમાન્યતા ઘર કરી ગઇ છે. વિજ્ઞાનની અણી ઉપર કસીને ગુજરાતના વિકાસની વાતો કરનારા કેટલાય નેતાઓ વળી આ બધી માન્યતાઓની ગંભીરતાપૂર્વક નોંધ પણ લે છે. પરંતુ શું તમે જાણો છે કે મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. આ નંબર અપશુકનિયાળ મનાય છે. 12 નંબરના બંગલા પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પાસે વૈજ્ઞાનિક અભિગમની આશા રાખવામાં આવતી હોય છે પણ અહીં મંત્રી નિવાસમાં જ 13 નંબર બંગલાને આપવામાં આવતો નથી તે બાબત નવાઇ પમાડે તેવી છે.
એટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટુ પ્રધાન 26 નંબરના બંગલામાં રહે તો એમનો મુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી સેકન્ડ ઈન કમાન્ડ તરીકે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો હતો. એ પછી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતાં હતા. ચીમનભાઈનું અવસાન બાદ છબીલદાસ મુખ્યમંત્રી બન્યા હતા.
કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવ્યો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યમંત્રી બન્યા હતા. બળવો કરીને સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળ વખતે દિલીપ પરીખને આપ્યો હતો. દિલીપ પરીખ પણ થોડા મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2001માં ગુજરાતની ગાદી સંભાળ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી GAD દ્વારા આ બંગલો કોઈને આજ દિન સુધી રહેવા આપ્યો ન હતો.
અત્રે ઉલ્લેખીય છે કે, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ તમામ મંત્રીઓને તેમના ઘર ખાલી કરી દેવાની સુચના આપી દેવામાં આવી હતી. તાજેતરમાં નવા મંત્રીઓની શપથવિધી બાદ શ્ર્દ્ધ પર્વ પહેલા તમામને આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે.