આજે યોજાયેલા શપથવિધિ સમારોહ પહેલા શંકરસિંહ વાઘેલાના ટ્વિટથી રાજકારણ ગરમાયુ
આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે : શંકરસિંહ વાઘેલા
અર્જુન નામના સંબોધનથી બાપુનો કોણી તરફ ઈશારો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની અટકળો ચાલી રહી છે
WatchGujarat. આજે બપોરે 1 : 30 કલાકે નવા મંત્રીમંડળના સભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવા ચહેરા જોવા મળ્યા હતા. મંત્રી મંડળના નવા પ્રધાનોને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળમાં નો-રિપિટ થીઅરી આપનાવવાને કારણે અનેક વરિષ્ઠ નેતાઓનું પત્તુ કપાયું છે. જેના કારણે પક્ષના જ નેતાઓમાં છૂપો અસંતોષ જોવા મળ્યો છે. ત્યારે એવી માહિતી સામે આવી હતી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. આ અટકળો વચ્ચે હવે શપથવિધિ પહેલા શંકરસિંહ વાઘેલાએ કરેલા એક ટ્વિટથી અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. શંકરસિંહ વાઘેલાએ આજે ટ્વીટ કરીને લખ્યું છે કે, અર્જુને યુદ્ધ કરવું પડશે. આ વાક્યથી બાપુનો કોની તરફ ઈશારો છે તે વિશે રાજ્યભરમાં લોકો ચર્ચા કરી રહ્યાં છે.
https://twitter.com/ShankersinhBapu/status/1438358477374586880?s=20
અર્જુને યુદ્ધ કરવું પડશે : બાપુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.
શપથવિધિ સમારોહની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી હતી. જેમાં રાજીનામું આપનાર વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે. જેમને મનાવવા માટે અનેક પ્રયાસો પણ કરાયા હતા. આ રિસામણા-મણામના વચ્ચે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. જ્યાં બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી બનવાનો કોડીયો નીતિન પટેલના મુખ પાસેથી આવીને જતો રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
નીતિન પટેલ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાતની અટકળો વચ્ચે તેમનું આ ટ્વીટ અનેક પ્રકારની ચર્ચાઓને વેગ આપ્યું છે. અર્જુનના સંબોધનથી શંકરસિંહ વાઘેલા કોણી તરફ ઈશારો કરી રહ્યાં તે અંગે લોખમૂખે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે નવા મંત્રીમંડળમાં નો-રિપિટની થીઅરી અપનાવવી ભાજપ માટે સફળ નિવડે છે કે કેમ.
આજે યોજાયેલા શપથવિધિ સમારોહ પહેલા શંકરસિંહ વાઘેલાના ટ્વિટથી રાજકારણ ગરમાયુ
આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે : શંકરસિંહ વાઘેલા
અર્જુન નામના સંબોધનથી બાપુનો કોણી તરફ ઈશારો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની અટકળો ચાલી રહી છે
WatchGujarat. આજે બપોરે 1 : 30 કલાકે નવા મંત્રીમંડળના સભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવા ચહેરા જોવા મળ્યા હતા. મંત્રી મંડળના નવા પ્રધાનોને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળમાં નો-રિપિટ થીઅરી આપનાવવાને કારણે અનેક વરિષ્ઠ નેતાઓનું પત્તુ કપાયું છે. જેના કારણે પક્ષના જ નેતાઓમાં છૂપો અસંતોષ જોવા મળ્યો છે. ત્યારે એવી માહિતી સામે આવી હતી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. આ અટકળો વચ્ચે હવે શપથવિધિ પહેલા શંકરસિંહ વાઘેલાએ કરેલા એક ટ્વિટથી અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. શંકરસિંહ વાઘેલાએ આજે ટ્વીટ કરીને લખ્યું છે કે, અર્જુને યુદ્ધ કરવું પડશે. આ વાક્યથી બાપુનો કોની તરફ ઈશારો છે તે વિશે રાજ્યભરમાં લોકો ચર્ચા કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.
શપથવિધિ સમારોહની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી હતી. જેમાં રાજીનામું આપનાર વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે. જેમને મનાવવા માટે અનેક પ્રયાસો પણ કરાયા હતા. આ રિસામણા-મણામના વચ્ચે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. જ્યાં બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી બનવાનો કોડીયો નીતિન પટેલના મુખ પાસેથી આવીને જતો રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
નીતિન પટેલ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાતની અટકળો વચ્ચે તેમનું આ ટ્વીટ અનેક પ્રકારની ચર્ચાઓને વેગ આપ્યું છે. અર્જુનના સંબોધનથી શંકરસિંહ વાઘેલા કોણી તરફ ઈશારો કરી રહ્યાં તે અંગે લોખમૂખે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે નવા મંત્રીમંડળમાં નો-રિપિટની થીઅરી અપનાવવી ભાજપ માટે સફળ નિવડે છે કે કેમ.