જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી
નાણાપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ
ડીડીઓને વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી માટે બાવાળીયાએ ટકોર કરી
Watchgujarat.ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી. આજે નાણાપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. એજન્ડામાં કુલ 12 દરખાસ્તો મુકવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યા બાદ હાજર રહ્યા હતા. આ તકે બાવાળીયાએ વિકાસનાં કામો સમયસર પુરા ન થતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્ય કોન્ટ્રાક્ટર કામ લઇ પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે. અને પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી. જેના કારણે વિકાસના કામો અટકે છે. સાથે ડીડીઓને વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી માટે બાવાળીયાએ ટકોર પણ કરી હતી. બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારમાં કામ થતા ન હોવાની રજૂઆત અંગે વધુમાં જણાવ્યું હતું કે, PIU દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કામ સમયસર પૂર્ણ કરવામાં આવતા નથી. પેટા કોન્ટ્રાકટ આપવામાં આવતા હોવાને લઈને કામગીરી પૂર્ણ થવામાં વાર લાગે છે. જો કે કુંવરજીનાં આ આક્ષેપને લઈને ભાજપમાં આંતરિક ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કુંવરજી બાવળિયાએ 40 જેટલા પ્રશ્નો પૂછતાં ફરિયાદ સમિતિની બેઠક ત્રણ વખત રદ્દ થઈ ચૂકી છે. ત્યારે આજની સામાન્ય સભા દરમિયાન પણ રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા. આજની સામાન્ય સભામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણી બાબતે શાસકોએ રાજકીય રીતે ફાળવણી કરી હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ લગાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સભ્યો વાળી બેઠકના વિસ્તારમાં ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે. જો કે પ્રમુખે આવો કોઈપણ ભેદભાવ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી
નાણાપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ
ડીડીઓને વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી માટે બાવાળીયાએ ટકોર કરી
Watchgujarat.ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના બે નવા ચૂંટાયેલા સભ્યો માટે પ્રથમ સામાન્ય સભા હતી. આજે નાણાપંચ અને કામોની ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. એજન્ડામાં કુલ 12 દરખાસ્તો મુકવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યા બાદ હાજર રહ્યા હતા. આ તકે બાવાળીયાએ વિકાસનાં કામો સમયસર પુરા ન થતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્ય કોન્ટ્રાક્ટર કામ લઇ પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે. અને પેટા કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂર્ણ કરતા નથી. જેના કારણે વિકાસના કામો અટકે છે. સાથે ડીડીઓને વિકાસના કામો સમયસર પૂરા થાય તેની તકેદારી માટે બાવાળીયાએ ટકોર પણ કરી હતી. બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારમાં કામ થતા ન હોવાની રજૂઆત અંગે વધુમાં જણાવ્યું હતું કે, PIU દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કામ સમયસર પૂર્ણ કરવામાં આવતા નથી. પેટા કોન્ટ્રાકટ આપવામાં આવતા હોવાને લઈને કામગીરી પૂર્ણ થવામાં વાર લાગે છે. જો કે કુંવરજીનાં આ આક્ષેપને લઈને ભાજપમાં આંતરિક ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કુંવરજી બાવળિયાએ 40 જેટલા પ્રશ્નો પૂછતાં ફરિયાદ સમિતિની બેઠક ત્રણ વખત રદ્દ થઈ ચૂકી છે. ત્યારે આજની સામાન્ય સભા દરમિયાન પણ રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા. આજની સામાન્ય સભામાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણી બાબતે શાસકોએ રાજકીય રીતે ફાળવણી કરી હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ લગાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સભ્યો વાળી બેઠકના વિસ્તારમાં ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે. જો કે પ્રમુખે આવો કોઈપણ ભેદભાવ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.