GIDC,GPCB સહિત 11 બોર્ડ- નિગમમાં સૌથી વધુ ફરિયાદો
ભ્રષ્ટાચારની ફરિયાદનોમાં શહેરી વિકાસ મહેસૂલ, પંચાયત અને ગૃહ ટોપ સ્થાને
વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત તકેદારી આયોગના 57માં વાર્ષિક રિપોર્ટમાં જણાવાયુ
WatchGujarat.ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં આજે પણ શહેરી વિકાસ વિભાગ અને જાહેર સાહસોમાં જીઆઇડીસી ટોચ ક્રમે છે. રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત તકેદારી આયોગના 57માં વાર્ષિક રિપોર્ટમાં જણાવાયુ છે કે વર્ષ દરમ્યાન આયોગને ગેરરીતિઓની 8373 ફરિયાદો મળી છે.
સરકારના વિભાગોમાં કસૂરવાર 357 અને જાહેર સાહસોમાં 168 અધિકારી તેમજ કર્મચારી સામે સખ્ત પગલા લેવામાં આવે તેવી ભલામણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે 2018માં આયોગને કુલ 8792,2019માં 8501 અને 2020માં 8373 ફરિયાદો મળી છે. જે પૈકી પ્રાથમિક અહેવાલ માટે અનુક્રમે 915,527 અને 396 ફરિયાદો મોકલવામાં આવી હતી. તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે ત્રણ વર્ષમાં કુલ 18000 કરતાં વધુ ફરિયાદો મોકલવામાં આવી છે. આયોગની કચેરીમાં કુલ 4800 ફરિયાદો દફતરે કરવામાં આવી છે.
અહેવાલના વર્ષના અંતિ વિભાગ તેમજ જાહેર સાહસોના કુલ 2696 કેસો પડતર છે જે પૈકી સૌથી વધુ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના કેસોનો સમાવેશ થાય છે. નિવૃત્તિના માસમાં આયોગને 69 કિસ્સા મળ્યા હતા. આયોગ તરફથી 525 આક્ષેપિત અધિકારી તેમજ કર્મચારી સામે પગલા લેવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે વર્ષ દરમ્યાન જરૂરી પગલા લેવા સરકારનાં વિભાગોમાં 357 ભલામણો કરવામાં આવી છે જે પૈકી 211 સામે ભારે શિક્ષા કરવા તેમજ 78 સામે નાની શિક્ષા કરવાનું કહેવામાં આવ્યુ છે. એવી જ રીતે જાહેર સાહસોમાં 168 પૈકી 162 અધિકારી તેમજ કર્મચારીને ભારે શિક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકવામાં આવેલા છે. આયોગે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી જણાવ્યું છે કે વિભાગો અને જાહેર સાહસો તરફથી સમયસર વિગતો મળતી નથી.
પાંચ વર્ષમાં ACBનાં 1370 છટકાં
ગુજરાતના લાંચ રૂશ્વત બ્યુરોમાં પાંચ વર્ષમાં 1370 છટકાં ગોઠવવામાં આવ્યા હતા જે પૈકી 350 કરતાં વધુ છટકાં નિષ્ફળ ગયા હતા. વર્ષ દરમ્યાન એસીબીમાં દાખલ થયેલી ટ્રેપમાં વર્ગ-1ના સાત,વર્ગ-2નાં 41, વર્ગ-3નાં 161,વર્ગ-4નાં 3 અને ખાનગી 98 કેસોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પાંચ વિભાગો પૈકી શહેરી વિકાસમાં 1663,મહેસૂલ વિભાગમાં 1185, પંચાયતમાં 1051,ગૃહમાં 1005 અને શિક્ષણમાં 363 ફરિયાદો તકેદારી આયોગને પ્રાપ્ત થયેલી છે.
ભ્રષ્ટાચાર : પાંચ વિભાગ પાંચ નિગમો મોખરે
ભ્રષ્ટાચારમાં ટોપ પાંચ વિભાગોમાં શહેરી વિકાસ પછી મહેસૂલ, પંચાયત, ગૃહ અને શિક્ષણ વિભાગ આવે છે. રાજ્યના કુલ 33 વિભાગો અને 20 બોર્ડ-નિગમમાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે. પાંચ જાહેર સાહસો પૈકી ટોચ ક્રમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડનો સમાવેશ થાય છે.
- GIDC,GPCB સહિત 11 બોર્ડ- નિગમમાં સૌથી વધુ ફરિયાદો
- ભ્રષ્ટાચારની ફરિયાદનોમાં શહેરી વિકાસ મહેસૂલ, પંચાયત અને ગૃહ ટોપ સ્થાને
- વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત તકેદારી આયોગના 57માં વાર્ષિક રિપોર્ટમાં જણાવાયુ
WatchGujarat.ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં આજે પણ શહેરી વિકાસ વિભાગ અને જાહેર સાહસોમાં જીઆઇડીસી ટોચ ક્રમે છે. રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત તકેદારી આયોગના 57માં વાર્ષિક રિપોર્ટમાં જણાવાયુ છે કે વર્ષ દરમ્યાન આયોગને ગેરરીતિઓની 8373 ફરિયાદો મળી છે.
સરકારના વિભાગોમાં કસૂરવાર 357 અને જાહેર સાહસોમાં 168 અધિકારી તેમજ કર્મચારી સામે સખ્ત પગલા લેવામાં આવે તેવી ભલામણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે 2018માં આયોગને કુલ 8792,2019માં 8501 અને 2020માં 8373 ફરિયાદો મળી છે. જે પૈકી પ્રાથમિક અહેવાલ માટે અનુક્રમે 915,527 અને 396 ફરિયાદો મોકલવામાં આવી હતી. તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે ત્રણ વર્ષમાં કુલ 18000 કરતાં વધુ ફરિયાદો મોકલવામાં આવી છે. આયોગની કચેરીમાં કુલ 4800 ફરિયાદો દફતરે કરવામાં આવી છે.
અહેવાલના વર્ષના અંતિ વિભાગ તેમજ જાહેર સાહસોના કુલ 2696 કેસો પડતર છે જે પૈકી સૌથી વધુ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના કેસોનો સમાવેશ થાય છે. નિવૃત્તિના માસમાં આયોગને 69 કિસ્સા મળ્યા હતા. આયોગ તરફથી 525 આક્ષેપિત અધિકારી તેમજ કર્મચારી સામે પગલા લેવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે વર્ષ દરમ્યાન જરૂરી પગલા લેવા સરકારનાં વિભાગોમાં 357 ભલામણો કરવામાં આવી છે જે પૈકી 211 સામે ભારે શિક્ષા કરવા તેમજ 78 સામે નાની શિક્ષા કરવાનું કહેવામાં આવ્યુ છે. એવી જ રીતે જાહેર સાહસોમાં 168 પૈકી 162 અધિકારી તેમજ કર્મચારીને ભારે શિક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકવામાં આવેલા છે. આયોગે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી જણાવ્યું છે કે વિભાગો અને જાહેર સાહસો તરફથી સમયસર વિગતો મળતી નથી.
પાંચ વર્ષમાં ACBનાં 1370 છટકાં
ગુજરાતના લાંચ રૂશ્વત બ્યુરોમાં પાંચ વર્ષમાં 1370 છટકાં ગોઠવવામાં આવ્યા હતા જે પૈકી 350 કરતાં વધુ છટકાં નિષ્ફળ ગયા હતા. વર્ષ દરમ્યાન એસીબીમાં દાખલ થયેલી ટ્રેપમાં વર્ગ-1ના સાત,વર્ગ-2નાં 41, વર્ગ-3નાં 161,વર્ગ-4નાં 3 અને ખાનગી 98 કેસોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પાંચ વિભાગો પૈકી શહેરી વિકાસમાં 1663,મહેસૂલ વિભાગમાં 1185, પંચાયતમાં 1051,ગૃહમાં 1005 અને શિક્ષણમાં 363 ફરિયાદો તકેદારી આયોગને પ્રાપ્ત થયેલી છે.
ભ્રષ્ટાચાર : પાંચ વિભાગ પાંચ નિગમો મોખરે
ભ્રષ્ટાચારમાં ટોપ પાંચ વિભાગોમાં શહેરી વિકાસ પછી મહેસૂલ, પંચાયત, ગૃહ અને શિક્ષણ વિભાગ આવે છે. રાજ્યના કુલ 33 વિભાગો અને 20 બોર્ડ-નિગમમાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે. પાંચ જાહેર સાહસો પૈકી ટોચ ક્રમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડનો સમાવેશ થાય છે.