'વલસાડ ટ્રેનમાં યુવતીનાં મોત કેસમાં દુષ્કર્મ નહીં',
ગાંધીનગરથી આવેલા FSLરિપોર્ટમાં ખુલાસો
હાલમાં આ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો
એક મહિના બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ
WatchGujarat. હાલમાં છેલ્લા એક મહિનાથી ભારે ચકચાર મચાવનાર વલસાડ ટ્રેનમાં યુવતીનાં મોત કેસમાં એક ચોંકાવનાર માહિતી સામે આવી છે.એક સાથે ત્રણ-ત્રણ વિભાગની ટીમ કામે લાગી છે છતાં આરોપી સુધી પહોંચી શકી નથી પરંતુ ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં એક ખુલાસો થયો છે.આ FSL રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. એટલે કે યુવતી પર દુષ્કર્મ થયુ ન હતુ.હાલમાં આ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ FSL રિપોર્ટ નેગેટીવ આવ્યો છે એટલે કે યુવતી પર દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે પીએમ રિપોર્ટમાં યુવતી પર ઇજાનાં નિશાન મળ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની માનતી પોલીસ યુવતીનું મોત કઇ રીતે થયું છે તે જાણવામાં અસફળ રહી છે. જો કે હજુ પણ પોલીસ દુષ્કર્મ અને આપઘાતની થીયરી પર જ કામ કરી રહી છે.
ડી.વાય.એસ.પી બી.એસ જાદવે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે FSL રિપોર્ટ મુજબ પીડિતાનું મૃત્યું શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. તથા તેના પર દુષ્કર્મ થયું નથી. જો કે, હજુ ઘણા રિપોર્ટ આવવાનાં બાકી છે અમારી તપાસ ચાલુ છે બીજા ઘણા પુરાવા મળી શકે તેમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે પીએમ રિપોર્ટમાં મુજબ પિડીતાને હાથનાં ભાગે,જાંઘનાં ભાગે અને ગુપ્ત ભાગ નજીક ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. હજુ પણ દુષ્કર્મની થીયરી પર જ તપાસ ચાલી રહી છે. અમારી ટીમ તમામ દિશામાં તપાસ કરી રહી છે તેવો નેનૌયો બી.એસ જાદવે ભણ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી ગયા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. આ કેસની તપાસમાં અત્યાર સુધી તપાસ સંસ્થાને માત્ર એક સફળતા મળી છે. જેમાં પીડિતાની સાઇકલ પૈડા કાઢેલી હાલતમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતાની સાઈકલ લઈ જનારા સિક્યોરિટી ગાર્ડની કોઈ ભૂમિકા ના હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ બિવારસી સાઈકલ પોતાની દીકરી ફેરવશે, તે હેતુથી લઈને આવ્યો હતો. બીજી તરફ હજુ પણ પોલીસ એએસિસ સંસ્થા પાસેથી કોઈ નક્કર માહિતી મેળવી શકી નથી.
હાલમાં આ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો
એક મહિના બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ
WatchGujarat. હાલમાં છેલ્લા એક મહિનાથી ભારે ચકચાર મચાવનાર વલસાડ ટ્રેનમાં યુવતીનાં મોત કેસમાં એક ચોંકાવનાર માહિતી સામે આવી છે.એક સાથે ત્રણ-ત્રણ વિભાગની ટીમ કામે લાગી છે છતાં આરોપી સુધી પહોંચી શકી નથી પરંતુ ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં એક ખુલાસો થયો છે.આ FSL રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. એટલે કે યુવતી પર દુષ્કર્મ થયુ ન હતુ.હાલમાં આ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ FSL રિપોર્ટ નેગેટીવ આવ્યો છે એટલે કે યુવતી પર દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે પીએમ રિપોર્ટમાં યુવતી પર ઇજાનાં નિશાન મળ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની માનતી પોલીસ યુવતીનું મોત કઇ રીતે થયું છે તે જાણવામાં અસફળ રહી છે. જો કે હજુ પણ પોલીસ દુષ્કર્મ અને આપઘાતની થીયરી પર જ કામ કરી રહી છે.
ડી.વાય.એસ.પી બી.એસ જાદવે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે FSL રિપોર્ટ મુજબ પીડિતાનું મૃત્યું શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. તથા તેના પર દુષ્કર્મ થયું નથી. જો કે, હજુ ઘણા રિપોર્ટ આવવાનાં બાકી છે અમારી તપાસ ચાલુ છે બીજા ઘણા પુરાવા મળી શકે તેમ છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે પીએમ રિપોર્ટમાં મુજબ પિડીતાને હાથનાં ભાગે,જાંઘનાં ભાગે અને ગુપ્ત ભાગ નજીક ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. હજુ પણ દુષ્કર્મની થીયરી પર જ તપાસ ચાલી રહી છે. અમારી ટીમ તમામ દિશામાં તપાસ કરી રહી છે તેવો નેનૌયો બી.એસ જાદવે ભણ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી ગયા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. આ કેસની તપાસમાં અત્યાર સુધી તપાસ સંસ્થાને માત્ર એક સફળતા મળી છે. જેમાં પીડિતાની સાઇકલ પૈડા કાઢેલી હાલતમાં સિક્યોરિટી ગાર્ડ પાસેથી મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતાની સાઈકલ લઈ જનારા સિક્યોરિટી ગાર્ડની કોઈ ભૂમિકા ના હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ બિવારસી સાઈકલ પોતાની દીકરી ફેરવશે, તે હેતુથી લઈને આવ્યો હતો. બીજી તરફ હજુ પણ પોલીસ એએસિસ સંસ્થા પાસેથી કોઈ નક્કર માહિતી મેળવી શકી નથી.