કવાંટ નગરમાં અશ્વોમાં જીવલેણ ગ્લેન્ડર રોગ દેખાતા તંત્રની ચિંતા વધી
રોગગ્રસ્ત ઘોડાને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો
ગ્લેન્ડર રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શકયતા રહેલી છે
WatchGujarat. હજુ માણસોમાં કોરોનાનો હાહાકાર ઓછો થયો નથી.ત્યા તો પ્રાણીઓમાં રોગ આવતા હાહાકાર મચ્યો છે.આ રોગ માણસોમાં આવી શકે છે.છોટાઉદેપુરના ક્વાંટમાં ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝિટિવ આવતાં તંત્ર દોડતુ થયુ છે. પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડી અશ્વકૂળના પશુઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તો કવાંટની આસપાસના 5 કિમી અંતરમાં તમામ ઘોડા, ખચ્ચર, ગધેડા વિગેરે અશ્વકૂળના પશુઓની સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે.
કવાંટ નગરમાં અશ્વોમાં જીવલેણ ગ્લેન્ડર રોગ દેખાતા તંત્રની ચિંતા વધી છે. એક ઘોડામાં બેક્ટેરિયાથી થતો ચેપી રોગ ગેલન્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રોગગ્રસ્ત ઘોડાને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી ઘોડાના મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. કવાંટમાં ગ્લેન્ડર રોગ દેખાતા જાહેરનામું બહાર પાડી અશ્વકૂળના પશુઓની સમગ્ર તાલુકામાં હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.તો કવાંટ અને તેની આસપાસના 5 કિલોમીટર અંતરમાં તમામ અશ્વો,ગન્દ્ર્ભ, ખચ્ચર વિગેરે અશ્વકૂળના પ્રાણીઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્લેન્ડર રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શકયતા રહી છે.આ તમામ માટે ચિંતાનો વિષય છે.કારણ કે તજજ્ઞોના મતે આ રોગથી પશુઓમાં 100 ટકા મૃત્યુ દર છે.
જ્યારે જો મનુષ્યમાં ચેપ લાગે તો મનુષ્યોમાં 50 ટકા જેટલો મૃત્યુદર રહી શકે છે. આ ગંભીરતાને જોઇને તંત્ર દોડતુ થયુ છે અને તમામ તકેદારી લેવાઇ છે.
રોગગ્રસ્ત ઘોડાને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો
ગ્લેન્ડર રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શકયતા રહેલી છે
WatchGujarat. હજુ માણસોમાં કોરોનાનો હાહાકાર ઓછો થયો નથી.ત્યા તો પ્રાણીઓમાં રોગ આવતા હાહાકાર મચ્યો છે.આ રોગ માણસોમાં આવી શકે છે.છોટાઉદેપુરના ક્વાંટમાં ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝિટિવ આવતાં તંત્ર દોડતુ થયુ છે. પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડી અશ્વકૂળના પશુઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તો કવાંટની આસપાસના 5 કિમી અંતરમાં તમામ ઘોડા, ખચ્ચર, ગધેડા વિગેરે અશ્વકૂળના પશુઓની સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે.
કવાંટ નગરમાં અશ્વોમાં જીવલેણ ગ્લેન્ડર રોગ દેખાતા તંત્રની ચિંતા વધી છે. એક ઘોડામાં બેક્ટેરિયાથી થતો ચેપી રોગ ગેલન્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રોગગ્રસ્ત ઘોડાને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી ઘોડાના મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. કવાંટમાં ગ્લેન્ડર રોગ દેખાતા જાહેરનામું બહાર પાડી અશ્વકૂળના પશુઓની સમગ્ર તાલુકામાં હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.તો કવાંટ અને તેની આસપાસના 5 કિલોમીટર અંતરમાં તમામ અશ્વો,ગન્દ્ર્ભ, ખચ્ચર વિગેરે અશ્વકૂળના પ્રાણીઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્લેન્ડર રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શકયતા રહી છે.આ તમામ માટે ચિંતાનો વિષય છે.કારણ કે તજજ્ઞોના મતે આ રોગથી પશુઓમાં 100 ટકા મૃત્યુ દર છે.
જ્યારે જો મનુષ્યમાં ચેપ લાગે તો મનુષ્યોમાં 50 ટકા જેટલો મૃત્યુદર રહી શકે છે. આ ગંભીરતાને જોઇને તંત્ર દોડતુ થયુ છે અને તમામ તકેદારી લેવાઇ છે.