GTU દ્વારા વધુ બે નવા સર્ટિફિકેટ કોર્સની શરૂઆત કરવામાં આવશે
GTU ઘોડેસવારી અને ભરતનાટ્યમના શિક્ષણ આધારીત બંને કોર્સ શરૂ કરશે
નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓને તક મળે અને સાહસિકવૃતિ કેળવાય તે હેતુથી આ નવા કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો
ગુજરાતમાં ભરતનાટ્યમ અને ઘોડેસવારી શીખવા માંગતા લોકો માટે સૌથી મોટી તક
WatchGujarat. રાજ્યમાં ઘોડેસવારી અને ભરતનાટ્યમ શીખવા માંગતા લોકો માટે ખુશ ખબર આવી છે. તાજેતરમાં જ GTU દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બે નવા કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. GTU હવે ઘોડેસવારી અને ભરતનાટ્યમ આ બંને વિષયોમાં કોર્ષ શરૂ કરવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓને તક મળે અને સાહસિકવૃતિ કેળવાય તે હેતુથી GTU દ્વારા આ નિર્ણય કરાયો છે. મળતી વિગતો અનુસાર સર્ટિફિકેટ કોર્સના ભાગરૂપે GTU ઘોડેસવારી તેમજ ભરતનાટ્યમના શિક્ષણ આધારીત બંને કોર્સ શરૂ કરશે. જે પણ વિદ્યાર્થીઓ આ પ્રવૃતિઓમાં રસ ધરાવતા હોય તેમના માટે આ ઉત્તમ તક છે.
ઘોડેસવારી અને ભરતનાટ્યમ જેવી પ્રવૃતિઓ લોકોનો શોખ હોય છે. પરંતુ ગુજરાતમાં પહેલી વાર તેનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ થવા જઈ રહ્યો છે. જેના કારણે ઘોડેસવારી અને ભરતનાટ્યમ સિખવા માંગતા લોકોને ઉત્તમ તક મળી રહેશે. આ સર્ટીફિકેટ કોર્ષ શરૂ થવાથી હવે લોકો ઘોડેસવારી અને ભરતનાટ્યમ યુનિવર્સિટીમાં શિખી સકાશે. આ પહેલા ગુજરાતમાં અનેક જગ્યાએ ઘોડેસવારી અને ભરતનાટ્યમ શિખવવામાં આવે છે. પરંતુ યુનિવર્સિટીમાં આ બંને વિષય શિક્ષણ આધારીત શિખવવામાં આવશે.
શું હશે આ બંને કોર્ષની ખાસિયતો
થોડા સમયમાં શરૂ થવા જનારા આ બંને કોર્ષમાં જીટીયુ દ્વારા ઘણી બાબતો સમાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઘોડેસવારીના કોર્ષમાં પહેલા અંતર્ગત વિદ્યાર્થીઓને ઘોડેસવારીના પાઠ ભણાવવામાં આવશે. જે 45 દિવસનો રહેશે. મહત્વનું છે કે ઘોડેસવારી આધારીત અન્ય કોર્સમાં ઘોડાની માવજતથી માંડીને તેનો ખોરાક અને બિમારી જેવી બાબતોને આવરી લેવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને તમામ જાણકારી મળી રહે. 3 મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઘોડાની તમામ બાબતોથી અવગત થઇ શકશે. આ સંપૂર્ણ ઘોડેસવારીના કોર્ષની ફી 20 હજાર રૂપિયા રહેશે. જેમાં વિદ્યાર્થીઓને ઘોડાના ખોરાક અંગે માહિતી સાથે જ બિમારી અને તેની સારવાર અંગેની માહિતી પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કોર્ષમાં અરજી કરવા માટે 11 વર્ષથી વધુ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
જીટીયુ દ્વારા નવા શરૂ કરાનારા કોર્ષમાં ભરતનાટ્યમનો કોર્ષ પણ સામેલ છે. જેમાં ભરતનાટ્યમનો ઈતિહાસ પણ સમાવવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓને વિવિધ આંગિક મુદ્રાઓ, નૃત્યકલા અને અભિનયના નવરસ સંબંધિત માર્ગદર્શન અપાશે. આગામી 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવશે. જેમાં વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ કોર્ષમાં 7 વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. અત્રે નોંધનીય છે કે ભરતનાટ્યમનો આ કોર્ષ પણ 3 મહિનાનો રહેશે. જેની ફી માત્ર 2 હજાર રૂપિયા રહેશે.
- GTU દ્વારા વધુ બે નવા સર્ટિફિકેટ કોર્સની શરૂઆત કરવામાં આવશે
- GTU ઘોડેસવારી અને ભરતનાટ્યમના શિક્ષણ આધારીત બંને કોર્સ શરૂ કરશે
- નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓને તક મળે અને સાહસિકવૃતિ કેળવાય તે હેતુથી આ નવા કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો
- ગુજરાતમાં ભરતનાટ્યમ અને ઘોડેસવારી શીખવા માંગતા લોકો માટે સૌથી મોટી તક
WatchGujarat. રાજ્યમાં ઘોડેસવારી અને ભરતનાટ્યમ શીખવા માંગતા લોકો માટે ખુશ ખબર આવી છે. તાજેતરમાં જ GTU દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બે નવા કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. GTU હવે ઘોડેસવારી અને ભરતનાટ્યમ આ બંને વિષયોમાં કોર્ષ શરૂ કરવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓને તક મળે અને સાહસિકવૃતિ કેળવાય તે હેતુથી GTU દ્વારા આ નિર્ણય કરાયો છે. મળતી વિગતો અનુસાર સર્ટિફિકેટ કોર્સના ભાગરૂપે GTU ઘોડેસવારી તેમજ ભરતનાટ્યમના શિક્ષણ આધારીત બંને કોર્સ શરૂ કરશે. જે પણ વિદ્યાર્થીઓ આ પ્રવૃતિઓમાં રસ ધરાવતા હોય તેમના માટે આ ઉત્તમ તક છે.
ઘોડેસવારી અને ભરતનાટ્યમ જેવી પ્રવૃતિઓ લોકોનો શોખ હોય છે. પરંતુ ગુજરાતમાં પહેલી વાર તેનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ થવા જઈ રહ્યો છે. જેના કારણે ઘોડેસવારી અને ભરતનાટ્યમ સિખવા માંગતા લોકોને ઉત્તમ તક મળી રહેશે. આ સર્ટીફિકેટ કોર્ષ શરૂ થવાથી હવે લોકો ઘોડેસવારી અને ભરતનાટ્યમ યુનિવર્સિટીમાં શિખી સકાશે. આ પહેલા ગુજરાતમાં અનેક જગ્યાએ ઘોડેસવારી અને ભરતનાટ્યમ શિખવવામાં આવે છે. પરંતુ યુનિવર્સિટીમાં આ બંને વિષય શિક્ષણ આધારીત શિખવવામાં આવશે.
શું હશે આ બંને કોર્ષની ખાસિયતો
થોડા સમયમાં શરૂ થવા જનારા આ બંને કોર્ષમાં જીટીયુ દ્વારા ઘણી બાબતો સમાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઘોડેસવારીના કોર્ષમાં પહેલા અંતર્ગત વિદ્યાર્થીઓને ઘોડેસવારીના પાઠ ભણાવવામાં આવશે. જે 45 દિવસનો રહેશે. મહત્વનું છે કે ઘોડેસવારી આધારીત અન્ય કોર્સમાં ઘોડાની માવજતથી માંડીને તેનો ખોરાક અને બિમારી જેવી બાબતોને આવરી લેવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને તમામ જાણકારી મળી રહે. 3 મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઘોડાની તમામ બાબતોથી અવગત થઇ શકશે. આ સંપૂર્ણ ઘોડેસવારીના કોર્ષની ફી 20 હજાર રૂપિયા રહેશે. જેમાં વિદ્યાર્થીઓને ઘોડાના ખોરાક અંગે માહિતી સાથે જ બિમારી અને તેની સારવાર અંગેની માહિતી પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કોર્ષમાં અરજી કરવા માટે 11 વર્ષથી વધુ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
જીટીયુ દ્વારા નવા શરૂ કરાનારા કોર્ષમાં ભરતનાટ્યમનો કોર્ષ પણ સામેલ છે. જેમાં ભરતનાટ્યમનો ઈતિહાસ પણ સમાવવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓને વિવિધ આંગિક મુદ્રાઓ, નૃત્યકલા અને અભિનયના નવરસ સંબંધિત માર્ગદર્શન અપાશે. આગામી 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવશે. જેમાં વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ કોર્ષમાં 7 વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. અત્રે નોંધનીય છે કે ભરતનાટ્યમનો આ કોર્ષ પણ 3 મહિનાનો રહેશે. જેની ફી માત્ર 2 હજાર રૂપિયા રહેશે.