રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 થી 3 વર્ષ દરમિયાન બનાવેલા રોડ ખખડધજ હાલમાં
રોડ બનાવવા એજન્સીએ ગેરંટીના ભાવ લીધા છતાં કામ ગેરંટી વિનાનું કર્યું
જિલ્લામાં ગેરંટીવાળા 767 કિમી રોડ ખખડધજ, એક વર્ષમાં જ તૂટી ગયા
તાત્કાલિક રોડ રિપેર કરવા માટે પંચાયતની એજન્સીને નોટિસ, નોટિસ પિરિયડમાં કામ પૂરા નહીં કરવામાં આવે તો કરાશે બ્લેક લિસ્ટ
WatchGujarat. પાક્કા રોડ રસ્તા હાલ નાગરિકોની જરૂરીયાત બની ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 769 કિમીના રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં ગામથી ગામ કે તાલુકાથી તાલુકાને જોડતા કેટલાક રોડ છેલ્લા 1 થી 3 વર્ષ દરમિયાન બનાવવામાં આવ્યા છે, જે ખખડધજ હાલતમાં થઇ ગયા છે. જેથી તાત્કાલિક રિપેર કરવામાં આવે તે માટે પંચાયત દ્વારા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લામાં વર્ષ 2017થી વર્ષ 2021ના અંત સુધીમાં બનાવવામાં આવેલા ગેરંટી પિરિયડવાળા કુલ 182 જેટલા રસ્તામાં 769.5 કિમીના 3થી 5 વર્ષના ગેરંટી વાળા રસ્તા ખખડધજ હાલતમાં છે. જેમાં જસદણ, ગોંડલ અને રાજકોટ તાલુકામાં રસ્તાની હાલત સૌથી વધુ ખરાબ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાના પ્રશ્નને લઇ અનેક ફરિયાદો ઊઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 1 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા ગેરંટીવાળા 12 રસ્તા પણ તૂટી ગયા છે. જેમાંં રાજકોટ તાલુકામાં 29, પડધરીમાં 17, લોધિકામાં 18, ગોંડલમાં 23, કોટડાસાંગાણીમાં 11, જસદણમાં 39, જેતપુરમાં 12, ધોરાજીમાં 9, જામકંડોરણામાં 13 અને ઉપલેટામાં 11 રસ્તા તૂટી ગયા છે. આ ઉપરાંત 3 વર્ષ પહેલા બનાવેલા રસ્તા પણ ખરાબ હાલતમાં છે. મીડિયા અહેવાલ મુજબ વર્ષ 2017માં બનાવેલા 27, વર્ષ 2018માં બનાવેલા 34, વર્ષ 2019માં બનાવેલા 54 અને વર્ષ 2020માં બનાવેલા 55 ગેરંટીવાળા રસ્તા તૂટી ગયા છે.
સામાન્ય રીતે ગેરંટી પિરિયડવાળા રસ્તાના ભાવ એજન્સી દ્વારા વધુ લેવામાં આવે છે છતાં કામ ગેરંટી વિનાના રસ્તા જેવું કરવામાં આવતા ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ રહ્યું છે. રાજકોટમાં રાજદીપ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 33 રસ્તામાં 142 કિમી, સ્વસ્તિક કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 24 રસ્તામાં 88 કિમી અને પવન કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 22 રસ્તામાં 77 કિમીના રસ્તામાં ખાડા જ જોવા મળે છે. જેને પગલે કારોબારી સમિતિના અધ્યક્ષસ્થાનેથી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપવામાં આવી છે. જો નોટિસ પિરિયડમાં આ કામ પૂરા નહીં કરવામાં આવે તો તમામ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 થી 3 વર્ષ દરમિયાન બનાવેલા રોડ ખખડધજ હાલમાં
રોડ બનાવવા એજન્સીએ ગેરંટીના ભાવ લીધા છતાં કામ ગેરંટી વિનાનું કર્યું
જિલ્લામાં ગેરંટીવાળા 767 કિમી રોડ ખખડધજ, એક વર્ષમાં જ તૂટી ગયા
તાત્કાલિક રોડ રિપેર કરવા માટે પંચાયતની એજન્સીને નોટિસ, નોટિસ પિરિયડમાં કામ પૂરા નહીં કરવામાં આવે તો કરાશે બ્લેક લિસ્ટ
WatchGujarat. પાક્કા રોડ રસ્તા હાલ નાગરિકોની જરૂરીયાત બની ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 769 કિમીના રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં ગામથી ગામ કે તાલુકાથી તાલુકાને જોડતા કેટલાક રોડ છેલ્લા 1 થી 3 વર્ષ દરમિયાન બનાવવામાં આવ્યા છે, જે ખખડધજ હાલતમાં થઇ ગયા છે. જેથી તાત્કાલિક રિપેર કરવામાં આવે તે માટે પંચાયત દ્વારા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લામાં વર્ષ 2017થી વર્ષ 2021ના અંત સુધીમાં બનાવવામાં આવેલા ગેરંટી પિરિયડવાળા કુલ 182 જેટલા રસ્તામાં 769.5 કિમીના 3થી 5 વર્ષના ગેરંટી વાળા રસ્તા ખખડધજ હાલતમાં છે. જેમાં જસદણ, ગોંડલ અને રાજકોટ તાલુકામાં રસ્તાની હાલત સૌથી વધુ ખરાબ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાના પ્રશ્નને લઇ અનેક ફરિયાદો ઊઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 1 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા ગેરંટીવાળા 12 રસ્તા પણ તૂટી ગયા છે. જેમાંં રાજકોટ તાલુકામાં 29, પડધરીમાં 17, લોધિકામાં 18, ગોંડલમાં 23, કોટડાસાંગાણીમાં 11, જસદણમાં 39, જેતપુરમાં 12, ધોરાજીમાં 9, જામકંડોરણામાં 13 અને ઉપલેટામાં 11 રસ્તા તૂટી ગયા છે. આ ઉપરાંત 3 વર્ષ પહેલા બનાવેલા રસ્તા પણ ખરાબ હાલતમાં છે. મીડિયા અહેવાલ મુજબ વર્ષ 2017માં બનાવેલા 27, વર્ષ 2018માં બનાવેલા 34, વર્ષ 2019માં બનાવેલા 54 અને વર્ષ 2020માં બનાવેલા 55 ગેરંટીવાળા રસ્તા તૂટી ગયા છે.
સામાન્ય રીતે ગેરંટી પિરિયડવાળા રસ્તાના ભાવ એજન્સી દ્વારા વધુ લેવામાં આવે છે છતાં કામ ગેરંટી વિનાના રસ્તા જેવું કરવામાં આવતા ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ રહ્યું છે. રાજકોટમાં રાજદીપ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 33 રસ્તામાં 142 કિમી, સ્વસ્તિક કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 24 રસ્તામાં 88 કિમી અને પવન કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 22 રસ્તામાં 77 કિમીના રસ્તામાં ખાડા જ જોવા મળે છે. જેને પગલે કારોબારી સમિતિના અધ્યક્ષસ્થાનેથી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપવામાં આવી છે. જો નોટિસ પિરિયડમાં આ કામ પૂરા નહીં કરવામાં આવે તો તમામ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.