રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
કોરોનાનુ સંક્રમણ હવે બાળકોમાં પણ વધી રહ્યું છે.
અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બનતા હાઇકોર્ટ ચાર દિવસ બંદ રાખવો ચીફ જસ્ટીસે નિર્ણય લીધો
ચાર દિવસ હાઇકોર્ટ બંધ રાખી તમામ વિભાગોમાં પુરતી સાફસફાઇ અને સેનેટાઇઝ કરાશે
WatchGujarat રાજ્ય ભરમાં કોરોનાની સ્થિતિ હવે બેકાબુ બની છે. ત્યારે ચાર મહાનગરોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યાં છે. સરકાર અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ બેડ, ઓક્સિજન અને વેન્ટીલેટરની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહીં છે. ત્યારે સુરત અને વડોદરા બાદ અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ વણસી છે. તેની સાથે હાઇકોર્ટમાં પણ કોરોના પોઝિટીવ કેસો વધતા જોવા મળી રહ્યાં છે. જેને પગલે હાઇકોર્ટમાં પુરતી સાફસફાઇ અને સેનેટાઇઝીંગની પ્રક્રિયા કરવા માટે ચાર દિવસ સુધી બંદ રાખવાનો હાઇકોર્ટના ચીફ જસ્ટીસે નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે બેકાબુ બની રહીં છે તેની નોંધ હવે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા પણ લેવામાં આવી છે. રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા સ્થિતિ ચિંતાજનક બનતી દેખાઇ રહીં છે. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બેડ, ICU, વેન્ટીલેટરની વધુ ફેસેલેટી ઉભી કરવા તંત્ર દોડધામ કરી રહ્યું છે. બીજી તરફ સ્મશાનોમાં કોરોના સંક્રમિત દર્દીઓની અંતિમક્રિયા માટે વેઇટીંગ ચાલતુ હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. તેવામાં રેમડેસીવીર ઇન્જેકશન મળતા ન હોવાની બુમો ઉઠી રહીં છે.
રાજ્યમાં વણસી રહેલી પરિસ્થિતિની ચેઇન તોડવા માટે ત્રણથી ચાર દિવસનુ લોકડાઉન અથવા કરફ્યુ લાદવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યુ છે. અમદાવાદની હાલની પરિસ્થિતિને પણ હાઇકોર્ટના ચીફ જસ્ટીસસે ધ્યાને લેતા આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઇકોર્ટ બંધ રાખવા નિર્ણય લીધો છે. આ સમય ગાળા દરમિયાન હાઇકોર્ટ તમામ વિભાગ અને કચેરીઓમાં પુરતી સાફ સફાઇ અને સેનેટાઇઝીંગની કામગીરી કરવા માટે હાઇકોર્ટને બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
- રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે.
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
- કોરોનાનુ સંક્રમણ હવે બાળકોમાં પણ વધી રહ્યું છે.
- અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બનતા હાઇકોર્ટ ચાર દિવસ બંદ રાખવો ચીફ જસ્ટીસે નિર્ણય લીધો
- ચાર દિવસ હાઇકોર્ટ બંધ રાખી તમામ વિભાગોમાં પુરતી સાફસફાઇ અને સેનેટાઇઝ કરાશે
WatchGujarat રાજ્ય ભરમાં કોરોનાની સ્થિતિ હવે બેકાબુ બની છે. ત્યારે ચાર મહાનગરોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યાં છે. સરકાર અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ બેડ, ઓક્સિજન અને વેન્ટીલેટરની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહીં છે. ત્યારે સુરત અને વડોદરા બાદ અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ વણસી છે. તેની સાથે હાઇકોર્ટમાં પણ કોરોના પોઝિટીવ કેસો વધતા જોવા મળી રહ્યાં છે. જેને પગલે હાઇકોર્ટમાં પુરતી સાફસફાઇ અને સેનેટાઇઝીંગની પ્રક્રિયા કરવા માટે ચાર દિવસ સુધી બંદ રાખવાનો હાઇકોર્ટના ચીફ જસ્ટીસે નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે બેકાબુ બની રહીં છે તેની નોંધ હવે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા પણ લેવામાં આવી છે. રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા સ્થિતિ ચિંતાજનક બનતી દેખાઇ રહીં છે. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બેડ, ICU, વેન્ટીલેટરની વધુ ફેસેલેટી ઉભી કરવા તંત્ર દોડધામ કરી રહ્યું છે. બીજી તરફ સ્મશાનોમાં કોરોના સંક્રમિત દર્દીઓની અંતિમક્રિયા માટે વેઇટીંગ ચાલતુ હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. તેવામાં રેમડેસીવીર ઇન્જેકશન મળતા ન હોવાની બુમો ઉઠી રહીં છે.
રાજ્યમાં વણસી રહેલી પરિસ્થિતિની ચેઇન તોડવા માટે ત્રણથી ચાર દિવસનુ લોકડાઉન અથવા કરફ્યુ લાદવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યુ છે. અમદાવાદની હાલની પરિસ્થિતિને પણ હાઇકોર્ટના ચીફ જસ્ટીસસે ધ્યાને લેતા આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઇકોર્ટ બંધ રાખવા નિર્ણય લીધો છે. આ સમય ગાળા દરમિયાન હાઇકોર્ટ તમામ વિભાગ અને કચેરીઓમાં પુરતી સાફ સફાઇ અને સેનેટાઇઝીંગની કામગીરી કરવા માટે હાઇકોર્ટને બંધ રાખવા નિર્ણય લેવાયો છે.