અમદાવાદ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઇને તમામ રાજકિય પક્ષોની ગતીવિધી શરૂ થઇ ગઇ છે. ત્યારે ચુંટણીની યોજનાને લઇને પણ રસ્તો સાફ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ચુંટણી પંચે નવા સીમાંકન (Delimitation) જાહેર કરી દીધું છે. આ નવા સીમાંકનના પગલે ગુજરાત રાજ્યની 5 મહા નગરપાલિકા, 6 નગરપાલિકાઓ, 16 જીલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયતોના નકસા બદલાઈ ગયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ સીમાંકનમાં વોર્ડની સંખ્યા 48 જ રાખવામાં આવી છે પણ 17 વોર્ડના વિસ્તારોમાં ફેરફાર થયો છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ (Election Commission) એ બેઠક અને વિસ્તારમાં ફેરફારની જાહેરાત કરી દીધી છે. આમ હવે ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. આ જાહેરનામા બાદ હવે રાજકીય પક્ષો અને નાગરિકોના વાંધા સૂચનોની પ્રક્રિયા શરૂ થશે.
અમદાવાદના 48 વોર્ડમાંથી 17 વોર્ડમાં ફેરફાર
અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ સીમાંકનમાં વોર્ડની સંખ્યા 48 જ રાખવામાં આવી છે પણ 17 વોર્ડના વિસ્તારોમાં ફેરફાર થયો છે.
1) બોપલ-ઘુમાના સાઉથ બોપલને સરખેજ વોર્ડમાં સમાવેશ કરાયો છે.
2) જોધપુર, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં સમાવેશ કરાયો છે.
3) રિંગ રોડ પર આવેલા ખોડિયાર વિસ્તાના સર્વે નંબરોનો ગોતા વોર્ડમાં સમાવેશ કરાયો.
4) ચિલોડાને સરદારનગર વોર્ડમાં, કઠવાડાને નિકોલ વોર્ડમાં સમાવાયો.
5) નવા સીમાંકન પ્રમાણે નિકોલનો કેટલોક ભાગ ઠક્કરનગર વોર્ડમાં જયારે ઠક્કરનગરનો કેટલોક ભાગ સૈજપુર, ઈન્ડિયાકોલોની અને નરોડા વોર્ડમાં સમાવેશ કરાયો છે.
6) સરખેજમાં સાઉથ બોપલને મર્જ કરવામાં આવતા તેના કેટલાક વિસ્તારો મકતમપુરામાં સમાવેશ કરાયા છે.
જાણો, 5 મપનાના સીમાંકનના ફેરફાર
રાજ્યની 5 મહા નગરપાલિકાઓ છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરના સીમાંકનમાં ફેરફાર થયો છે. 6 નગર પાલિકાઓમાં સૌરષ્ટ્રના પોરબંદર-છાયા નગરપાલિકા, મોરબી નગરપાલિકા, સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા, પેટલાદ નગરપાલિકા, સાઉથ ગુજરાતની નવસારી-વિજલપોર નગરપાલિકા, સાવરકુંડલા નગરપાલિકાના સીમાંકનમાં ફેરફાર થયો છે.
રાજ્યની 16 જીલ્લા પંચાયતના સીમાંકનમાં ફેરફાર
તો રાજ્યની 16 જીલ્લા પંચાયતોના નવા ફેરફારની વાત કરીએ તો તેમાં અમદાવાદ, વડોદરા, દાહોદ જીલ્લા પંચાયચ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લા પંચાયત સામેલ છે. સૌરાષ્ટ્રની રાજકોટ, મોરબી, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લા પંચાયતના સીમાંકનમાં બદલાવ આવ્યો છે. તો ઉત્તર ગુજરાતની ગાંધીનગર અને પાટણ જિલ્લા પંચાયતનું સીમાંકન બદલાયું છે.
રાજ્યની 29 તાલુકા પંચાયતના સીમાંકનમાં ફેરફાર
તો 29 તાલુકા પંચાયતોના સીમાંકનની વાત કરીએ તો નવસારી, ભરૂચ, દસકોઈ, કામરેજ, ઓલપાડ, સાણંદ, લીમખેડા, ભાવનગર ગ્રામ્ય, મોરબી, ચોટીલા, વાકાનેર, સાવરકુંડલા, કોડીનાર, ગીર ગઢડા, ઊના, મુંદ્રા, કલોક, માણસા પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતના સીમાંકનમાં ફેરફાર થયા છે.
અમદાવાદ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઇને તમામ રાજકિય પક્ષોની ગતીવિધી શરૂ થઇ ગઇ છે. ત્યારે ચુંટણીની યોજનાને લઇને પણ રસ્તો સાફ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ચુંટણી પંચે નવા સીમાંકન (Delimitation) જાહેર કરી દીધું છે. આ નવા સીમાંકનના પગલે ગુજરાત રાજ્યની 5 મહા નગરપાલિકા, 6 નગરપાલિકાઓ, 16 જીલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયતોના નકસા બદલાઈ ગયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ સીમાંકનમાં વોર્ડની સંખ્યા 48 જ રાખવામાં આવી છે પણ 17 વોર્ડના વિસ્તારોમાં ફેરફાર થયો છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ (Election Commission) એ બેઠક અને વિસ્તારમાં ફેરફારની જાહેરાત કરી દીધી છે. આમ હવે ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. આ જાહેરનામા બાદ હવે રાજકીય પક્ષો અને નાગરિકોના વાંધા સૂચનોની પ્રક્રિયા શરૂ થશે.
અમદાવાદના 48 વોર્ડમાંથી 17 વોર્ડમાં ફેરફાર
અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ સીમાંકનમાં વોર્ડની સંખ્યા 48 જ રાખવામાં આવી છે પણ 17 વોર્ડના વિસ્તારોમાં ફેરફાર થયો છે.
1) બોપલ-ઘુમાના સાઉથ બોપલને સરખેજ વોર્ડમાં સમાવેશ કરાયો છે.
2) જોધપુર, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં સમાવેશ કરાયો છે.
3) રિંગ રોડ પર આવેલા ખોડિયાર વિસ્તાના સર્વે નંબરોનો ગોતા વોર્ડમાં સમાવેશ કરાયો.
4) ચિલોડાને સરદારનગર વોર્ડમાં, કઠવાડાને નિકોલ વોર્ડમાં સમાવાયો.
5) નવા સીમાંકન પ્રમાણે નિકોલનો કેટલોક ભાગ ઠક્કરનગર વોર્ડમાં જયારે ઠક્કરનગરનો કેટલોક ભાગ સૈજપુર, ઈન્ડિયાકોલોની અને નરોડા વોર્ડમાં સમાવેશ કરાયો છે.
6) સરખેજમાં સાઉથ બોપલને મર્જ કરવામાં આવતા તેના કેટલાક વિસ્તારો મકતમપુરામાં સમાવેશ કરાયા છે.
જાણો, 5 મપનાના સીમાંકનના ફેરફાર
રાજ્યની 5 મહા નગરપાલિકાઓ છે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરના સીમાંકનમાં ફેરફાર થયો છે. 6 નગર પાલિકાઓમાં સૌરષ્ટ્રના પોરબંદર-છાયા નગરપાલિકા, મોરબી નગરપાલિકા, સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા, પેટલાદ નગરપાલિકા, સાઉથ ગુજરાતની નવસારી-વિજલપોર નગરપાલિકા, સાવરકુંડલા નગરપાલિકાના સીમાંકનમાં ફેરફાર થયો છે.
રાજ્યની 16 જીલ્લા પંચાયતના સીમાંકનમાં ફેરફાર
તો રાજ્યની 16 જીલ્લા પંચાયતોના નવા ફેરફારની વાત કરીએ તો તેમાં અમદાવાદ, વડોદરા, દાહોદ જીલ્લા પંચાયચ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લા પંચાયત સામેલ છે. સૌરાષ્ટ્રની રાજકોટ, મોરબી, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લા પંચાયતના સીમાંકનમાં બદલાવ આવ્યો છે. તો ઉત્તર ગુજરાતની ગાંધીનગર અને પાટણ જિલ્લા પંચાયતનું સીમાંકન બદલાયું છે.
રાજ્યની 29 તાલુકા પંચાયતના સીમાંકનમાં ફેરફાર
તો 29 તાલુકા પંચાયતોના સીમાંકનની વાત કરીએ તો નવસારી, ભરૂચ, દસકોઈ, કામરેજ, ઓલપાડ, સાણંદ, લીમખેડા, ભાવનગર ગ્રામ્ય, મોરબી, ચોટીલા, વાકાનેર, સાવરકુંડલા, કોડીનાર, ગીર ગઢડા, ઊના, મુંદ્રા, કલોક, માણસા પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતના સીમાંકનમાં ફેરફાર થયા છે.