અમદાવાદના બોપાલ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય અલ્પેશભાઇ ગત રોજ પોતાની કાર લઇને વડોદરા પહોંચ્યાં હતા.
કામ અર્થે તેઓ ચેકાઆઉટ કરી એક વખત સુરતથી પરત આવી અમિટી હોટલમા રોકાયા હતા.
સવારે નાસ્તા માટે અને બપોરે જમવા માટે હોટલના સ્ટાફે દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો.
આખરે સાંજે ચેકાઆઉટનો સમય થતાં રૂમમાં કંઇ અજુગતુ જણાતા સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રીગેડની મદદથી દરવાજાનુ લોક તોડી રૂમમાં જોતા આધેડ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા.
વડોદરા. શહેરના સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે આવેલી અમિટી હોટલના એક રૂમમાં રોકાયેલા આધેડનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આધેડે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હજી સુધી પોલીસને કોઇ પણ ચોક્કસ વિગતો જાણવા મળી નથી. ત્યારે બનાવને પગલે સયાજીગંજ પોલીસે આધેડના પરિવારને ઘટના અંગે જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેની અમિટી હોટલમાં ગત તા. 5ના રોજ અમદાવાદ, સાઉથ બોપલ ગાલા જીમખાનારોડ પર રહેતા અલ્પેશકુમાર નાનજીભાઇ પટેલ (50) સવારે વડોદરા આવ્યાં હતા. જ્યાં તેમણે સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેની અમિટી હોટલમાં રૂમ બુક કરી ચેકઇન કર્યું હતુ. ત્યારબાદ તેમણે પોતાના રૂમમાં જ જમવાનુ મંગાવી ભોજન પણ કર્યું હતુ.
તેવામાં આજે સવારે અલ્પેશભાઇને હોટલનો સ્ટાફ રૂમમાં ચા-નાસ્તા બાબતે પુછવા પહોંચ્યો હતો. જોકે રૂમનો દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ બપોરના સમયે ફરી એક વખત સ્ટાફે અલ્પેશભાઇનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં અંદરથી કોઇ જવાબ મળ્યો ન હતો. તેવામાં સાંજે 7 વાગ્યાની આસપાસ રૂમનો ચેકાઉટ ટાઇમ હોવાથી હોટલનો સ્ટાફ ફરી એક વખત અલ્પેશભાઇના રૂમ પર પહોંચ્યો હતો. આ સમયે રૂમમાં કંઇ અજુગતુ જણાતા હોટલ માલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ કંટ્રોલને જાણ કરાતા સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રૂમનો દરવાજો લોક હોવાથી ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રીગેડના લાશ્કરોએ રૂમનો દરવાજો તોડતા અલ્પેશભાઇ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી પોલીસે આ મામલે 108ને જાણ કરતા સ્થળ પર પહોંચેલા સ્ટાફે અલ્પેશભાઇને મૃતજાહેરા કર્યાં હતા.
બનાવને પગલે પોલીસે રૂમમાં તપાસ કરતા અલ્પેશભાઇના ફોનમાં 26 જેટલા મીસ કોલ જોવા મળ્યાં હતા. જેમાંથી એક નંબર તેમના પરિવારનો હોવાથી પોલીસે સમગ્ર ઘટના અંગે જાણ કરતા પરિવાર વડોદરા આવવામાં નિકળ્યું હોવાની વિગતો જાણવા મળી રહીં છે.
આ ઘટના દરમિયાન એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, અલ્પેશભાઇ એક તબક્કે હોટલમાંથી ચેકઆઉટ કરીને સુરત ખાતે કામઅર્થે ગયા હતા. અને ત્યારબાદ પરત અમીટી હોટલમાં આવી ચેકઇન કર્યું હતું.
અમદાવાદના બોપાલ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય અલ્પેશભાઇ ગત રોજ પોતાની કાર લઇને વડોદરા પહોંચ્યાં હતા.
કામ અર્થે તેઓ ચેકાઆઉટ કરી એક વખત સુરતથી પરત આવી અમિટી હોટલમા રોકાયા હતા.
સવારે નાસ્તા માટે અને બપોરે જમવા માટે હોટલના સ્ટાફે દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો.
આખરે સાંજે ચેકાઆઉટનો સમય થતાં રૂમમાં કંઇ અજુગતુ જણાતા સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રીગેડની મદદથી દરવાજાનુ લોક તોડી રૂમમાં જોતા આધેડ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા.
વડોદરા. શહેરના સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે આવેલી અમિટી હોટલના એક રૂમમાં રોકાયેલા આધેડનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આધેડે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હજી સુધી પોલીસને કોઇ પણ ચોક્કસ વિગતો જાણવા મળી નથી. ત્યારે બનાવને પગલે સયાજીગંજ પોલીસે આધેડના પરિવારને ઘટના અંગે જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેની અમિટી હોટલમાં ગત તા. 5ના રોજ અમદાવાદ, સાઉથ બોપલ ગાલા જીમખાનારોડ પર રહેતા અલ્પેશકુમાર નાનજીભાઇ પટેલ (50) સવારે વડોદરા આવ્યાં હતા. જ્યાં તેમણે સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેની અમિટી હોટલમાં રૂમ બુક કરી ચેકઇન કર્યું હતુ. ત્યારબાદ તેમણે પોતાના રૂમમાં જ જમવાનુ મંગાવી ભોજન પણ કર્યું હતુ.
તેવામાં આજે સવારે અલ્પેશભાઇને હોટલનો સ્ટાફ રૂમમાં ચા-નાસ્તા બાબતે પુછવા પહોંચ્યો હતો. જોકે રૂમનો દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ બપોરના સમયે ફરી એક વખત સ્ટાફે અલ્પેશભાઇનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં અંદરથી કોઇ જવાબ મળ્યો ન હતો. તેવામાં સાંજે 7 વાગ્યાની આસપાસ રૂમનો ચેકાઉટ ટાઇમ હોવાથી હોટલનો સ્ટાફ ફરી એક વખત અલ્પેશભાઇના રૂમ પર પહોંચ્યો હતો. આ સમયે રૂમમાં કંઇ અજુગતુ જણાતા હોટલ માલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ કંટ્રોલને જાણ કરાતા સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રૂમનો દરવાજો લોક હોવાથી ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રીગેડના લાશ્કરોએ રૂમનો દરવાજો તોડતા અલ્પેશભાઇ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી પોલીસે આ મામલે 108ને જાણ કરતા સ્થળ પર પહોંચેલા સ્ટાફે અલ્પેશભાઇને મૃતજાહેરા કર્યાં હતા.
બનાવને પગલે પોલીસે રૂમમાં તપાસ કરતા અલ્પેશભાઇના ફોનમાં 26 જેટલા મીસ કોલ જોવા મળ્યાં હતા. જેમાંથી એક નંબર તેમના પરિવારનો હોવાથી પોલીસે સમગ્ર ઘટના અંગે જાણ કરતા પરિવાર વડોદરા આવવામાં નિકળ્યું હોવાની વિગતો જાણવા મળી રહીં છે.
આ ઘટના દરમિયાન એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, અલ્પેશભાઇ એક તબક્કે હોટલમાંથી ચેકઆઉટ કરીને સુરત ખાતે કામઅર્થે ગયા હતા. અને ત્યારબાદ પરત અમીટી હોટલમાં આવી ચેકઇન કર્યું હતું.