ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં અમરેલી ખાતે આજે વેકસીનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની તૈયાર માટે કેટલાક ભાજપી કાર્યકરો શનિવારે મોડી રાત્રે મંચ તૈયાર કરવાની કામગીરીમાં કરી રહ્યાં હતા.
સોશીયલ ડીસટન્સીંગ અને માસ્કનુ પાલન થતું હોવાથી અમરેલીના યુવાન ASP અભય સોની અને ભાજપી કાર્યકરો વચ્ચે થઇ માથાકુટ
કાર્યકરોને પોલીસે માર માર્યોની બુમો પડતા અમરેલીના દિગ્ગજ નેતાઓ IPS સામે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં આવી ગયા
IPS અભય સોનીની સરકારે તાબડતોબ ગાંધનીગર એસ.આર.પીમાં બદલી કરી
WatchGujarat. કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. કોરોના કાળમાં કોવિડની ગાઇડલાઇનુ પાલન કરાવતી પોલીસ અને પ્રજા વચ્ચે અસંખ્યા વખત તુ તુ મેં મેંના સંખ્યાબધ કિસ્સાઓ આપણે દરેકે સાંભળ્યા, જોયા અને વાંચ્યાં છે. ત્યારે સરકારની કોવિડની ગાઇડલાઇનુ પાલન માત્ર પ્રજા માટે અને નેતાઓ માટે નહીં ? આ સવાલ આજે દરેકના મનમાં ઉઠી રહ્યો છે. બીજી પ્રશ્નો એ પણ છે કે, કાયદોનુ ચુસ્ત પાલન કરાવતી પોલીસ ભાજપના નેતાઓ સામે કેમ પાંગળી બની જાય છે ? ભાજપી નેતા મેડાવળો કરે તો પોલીસ આંખઆડા કાન કરી બેસે છે. અને જો કોઇ સામાન્ય નાગરિક ટોળુ એકત્ર કરી લે તો તેની ખેર નહીં. પરંતુ અમરેલીના યુવાન IPS અભય સોનીએ ભાજપના દિગ્ગજ કાર્યકર સામે પડવાની ભૂલ કરી અને તેના પરિણામે તેમને આખરે બદલી મળી.
રવિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અમરેલી ખાતે આયોજાનાર વેક્સિનેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આગલી રાત્રે (શનિવારે) સ્થાનિક ભાજપી કાર્યકરો દ્વારા સી.આર પાટીલના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહીં હતી. જે સ્થળે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાવાનો હતો, ત્યાં ભાજપના કેટલાક કાર્યકરો સ્ટેજ તૈયાર કરાવવાની કામગીરીમાં લાગ્યા હતા. તેવામાં રાત્રીના સમયે નાઇટ પેટ્રોલિંગમાં નિકળેલા અમરેલી ASP અભય સોનીએ સોશીયલ ડીસટન્સીંગ અને માસ્કના નિયમનો અભાવ જોતા તેઓ થોભી ગયા હતા.
અભય સોનીએ કોવિડ ગાઇડલાઇનનુ પાલન થતુ ન હોવાથી ભાજપના દિગ્ગજ કાર્યકરોને પ્રશ્ન કર્યો અને મામલો ગરમાયો હતો. સામાન્ય નાગરીક કોવિડની ગાઇડલાઇનુ પાલન ન કરે તો પોલીસ તેની સાથે કંઇ રીતે વર્તે છે તે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીયે છીએ, માસ્ક દંડ ઉઘરાવતી પોલીસ જ્યારે સખ્તાઇ વર્તે ત્યારે સામાન્ય પ્રજા સાથે કેવા ધર્ષણ સર્જાયા છે તેના અનેક વીડિઓ પણ સોશીયલ મીડિયામાં વાઇરલ થયા છે. બસ શનિવારની રાત્રે પણ એવુ જ કંઇ બન્યું હતુ. જેમાં ભાજપના દિગ્ગજ કાર્યકરોને પોલીસે માર માર્યો હોવાની બુમો ઉઠી અને બે કાર્યકરોને હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા.
પોલીસે ભાજપના કાર્યકરોને માર માર્યો વાત વહેતી થતાં દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો પણ એકત્ર થયા હતા. ASP અભય સોનીએ ભાજપના કાર્યકરોને માર માર્યો તે અંગે મુખ્યમંત્રી સુધી રાત્રે જ રજૂઆત થઇ અને IPS અધિકારી સામે પગલા લેવાની માગણી ઉઠી હતી. એક તરફ પ્રદેશ અધ્યક્ષ વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હોવાને ગણતરીના કલાકો બાકી હતા. તેવામાં આ બબાલ ઉભી થતા હવે ભાજપ માટે પ્રશ્ન પોતાની આબરૂનો હતો. સાચુ કોણ અને ખોટું કોણ તેની તપાસની વાત તો દૂર રહીં પણ આ ઘટનાના ગણતરીના કલાકોમાં અમરેલી ASP અભય સોનીની ગાંધીનગર એસ.આર.પી ગ્રુપમાં બદલીનો ઓર્ડર આવી ગયો હતો.
અહીં નોંધનીય બાબત એ છે કે, છેલ્લા એક વર્ષમાં કોવિડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા માટે પોલીસે અનેક વખત સખ્તાઇથી કામ લેવાની ફરજ પડી છે. ત્યારે સામાન્ય નાગરિકો સાથે પોલીસને અનેક વખત ઝપાઝપી થઇ હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં પોલીસ અધિકારી અથવા કર્મચારી વિરૂધ પગલા લેવા ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો થઇ છે. આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તમામ પાસાઓની તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે. પરંતુ અહીં કોઇ સામાન્ય નાગરીક ન હતા. જેથી આ પ્રકારનો તાત્કાલીક નિર્ણય લેવાયો તેવો સવાલ ઉભો થાય છે ? જો આજ ઘટના કોઇ સામાન્ય નાગરીક સાથે બની હોત તો એક આઇ.પી.એસ અધિકારીની સરકાર ગણતરીના કલાકોમાં બદલી કરી દેત ?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં અમરેલી ખાતે આજે વેકસીનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની તૈયાર માટે કેટલાક ભાજપી કાર્યકરો શનિવારે મોડી રાત્રે મંચ તૈયાર કરવાની કામગીરીમાં કરી રહ્યાં હતા.
સોશીયલ ડીસટન્સીંગ અને માસ્કનુ પાલન થતું હોવાથી અમરેલીના યુવાન ASP અભય સોની અને ભાજપી કાર્યકરો વચ્ચે થઇ માથાકુટ
કાર્યકરોને પોલીસે માર માર્યોની બુમો પડતા અમરેલીના દિગ્ગજ નેતાઓ IPS સામે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં આવી ગયા
IPS અભય સોનીની સરકારે તાબડતોબ ગાંધનીગર એસ.આર.પીમાં બદલી કરી
WatchGujarat. કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. કોરોના કાળમાં કોવિડની ગાઇડલાઇનુ પાલન કરાવતી પોલીસ અને પ્રજા વચ્ચે અસંખ્યા વખત તુ તુ મેં મેંના સંખ્યાબધ કિસ્સાઓ આપણે દરેકે સાંભળ્યા, જોયા અને વાંચ્યાં છે. ત્યારે સરકારની કોવિડની ગાઇડલાઇનુ પાલન માત્ર પ્રજા માટે અને નેતાઓ માટે નહીં ? આ સવાલ આજે દરેકના મનમાં ઉઠી રહ્યો છે. બીજી પ્રશ્નો એ પણ છે કે, કાયદોનુ ચુસ્ત પાલન કરાવતી પોલીસ ભાજપના નેતાઓ સામે કેમ પાંગળી બની જાય છે ? ભાજપી નેતા મેડાવળો કરે તો પોલીસ આંખઆડા કાન કરી બેસે છે. અને જો કોઇ સામાન્ય નાગરિક ટોળુ એકત્ર કરી લે તો તેની ખેર નહીં. પરંતુ અમરેલીના યુવાન IPS અભય સોનીએ ભાજપના દિગ્ગજ કાર્યકર સામે પડવાની ભૂલ કરી અને તેના પરિણામે તેમને આખરે બદલી મળી.
રવિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અમરેલી ખાતે આયોજાનાર વેક્સિનેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આગલી રાત્રે (શનિવારે) સ્થાનિક ભાજપી કાર્યકરો દ્વારા સી.આર પાટીલના સ્વાગત માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહીં હતી. જે સ્થળે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાવાનો હતો, ત્યાં ભાજપના કેટલાક કાર્યકરો સ્ટેજ તૈયાર કરાવવાની કામગીરીમાં લાગ્યા હતા. તેવામાં રાત્રીના સમયે નાઇટ પેટ્રોલિંગમાં નિકળેલા અમરેલી ASP અભય સોનીએ સોશીયલ ડીસટન્સીંગ અને માસ્કના નિયમનો અભાવ જોતા તેઓ થોભી ગયા હતા.
અભય સોનીએ કોવિડ ગાઇડલાઇનનુ પાલન થતુ ન હોવાથી ભાજપના દિગ્ગજ કાર્યકરોને પ્રશ્ન કર્યો અને મામલો ગરમાયો હતો. સામાન્ય નાગરીક કોવિડની ગાઇડલાઇનુ પાલન ન કરે તો પોલીસ તેની સાથે કંઇ રીતે વર્તે છે તે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીયે છીએ, માસ્ક દંડ ઉઘરાવતી પોલીસ જ્યારે સખ્તાઇ વર્તે ત્યારે સામાન્ય પ્રજા સાથે કેવા ધર્ષણ સર્જાયા છે તેના અનેક વીડિઓ પણ સોશીયલ મીડિયામાં વાઇરલ થયા છે. બસ શનિવારની રાત્રે પણ એવુ જ કંઇ બન્યું હતુ. જેમાં ભાજપના દિગ્ગજ કાર્યકરોને પોલીસે માર માર્યો હોવાની બુમો ઉઠી અને બે કાર્યકરોને હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા.
પોલીસે ભાજપના કાર્યકરોને માર માર્યો વાત વહેતી થતાં દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો પણ એકત્ર થયા હતા. ASP અભય સોનીએ ભાજપના કાર્યકરોને માર માર્યો તે અંગે મુખ્યમંત્રી સુધી રાત્રે જ રજૂઆત થઇ અને IPS અધિકારી સામે પગલા લેવાની માગણી ઉઠી હતી. એક તરફ પ્રદેશ અધ્યક્ષ વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હોવાને ગણતરીના કલાકો બાકી હતા. તેવામાં આ બબાલ ઉભી થતા હવે ભાજપ માટે પ્રશ્ન પોતાની આબરૂનો હતો. સાચુ કોણ અને ખોટું કોણ તેની તપાસની વાત તો દૂર રહીં પણ આ ઘટનાના ગણતરીના કલાકોમાં અમરેલી ASP અભય સોનીની ગાંધીનગર એસ.આર.પી ગ્રુપમાં બદલીનો ઓર્ડર આવી ગયો હતો.
અહીં નોંધનીય બાબત એ છે કે, છેલ્લા એક વર્ષમાં કોવિડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા માટે પોલીસે અનેક વખત સખ્તાઇથી કામ લેવાની ફરજ પડી છે. ત્યારે સામાન્ય નાગરિકો સાથે પોલીસને અનેક વખત ઝપાઝપી થઇ હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં પોલીસ અધિકારી અથવા કર્મચારી વિરૂધ પગલા લેવા ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો થઇ છે. આવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તમામ પાસાઓની તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે. પરંતુ અહીં કોઇ સામાન્ય નાગરીક ન હતા. જેથી આ પ્રકારનો તાત્કાલીક નિર્ણય લેવાયો તેવો સવાલ ઉભો થાય છે ? જો આજ ઘટના કોઇ સામાન્ય નાગરીક સાથે બની હોત તો એક આઇ.પી.એસ અધિકારીની સરકાર ગણતરીના કલાકોમાં બદલી કરી દેત ?