આકિફ નાછન રુકીયા કરવાનુ કામ કરતો
આકિફ નાછન સાકીબ નાછનનો ભત્રીજો છે.
ગુજરાત ATS એ આખું ઓપરેશન કંઇ રીતે પાર પાડ્યું
WatchGujarat. રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી મળી આવેલા 13 કિલો આર.ડી.એક્સ કેસમાં વધુ એક આરોપીની ગુજરાત ATS એ મુંબઇના પડઘાથી ધરપકડ કરી છે. આકિફ નાછન સિવાય અગાઉ પણ કેટલાક આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ ગુનાની તપાસ ભારત સરકારે NIA દિલ્હીને સોંપી છે. જેથી હવે આગામી દિવસમાં NIA ગુજરાત આવી આકિફની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરશે.
આ બનાવની વિગત એવી છે કે, ગત તા. 30 માર્ચના રોજ રાજસ્થાન ચિત્તોડગઢ જિલ્લાના નિમ્બાહેરા વિસ્તારમાં પોલીસે નાકાબંદી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ બલેનો કારમાંથી સૈફુલ્લાહ, અલ્તમસ અને જુબેર નામના શખ્સો પાસેથી 13 કિલો ગ્રામ એક્ષપ્લોસીવ અને બેટરી તથા ઘડિયાળ અને વાય જેવા પદાર્થો મળી આવતા તમામની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે તમામની પુછતાછ કરતા મધ્યપ્રદેશ રતલામના રહેવાસી હોવાનુ જાણવા મળ્યું હતુ.
પોલીસની તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી હતી કે, આ શખ્સો જયપુર બ્રીજ પાસે બ્લાસ્ટ કરવાનુ કાવતરૂ ઘડી અંજામ આપવા નિકળ્યાં હતા. પરંતુ પોલીસે તમામને ઝડપી પાડ્યાં હતા. આ કાવતરામાં આમિન ફાવડા, આમીન પટેલ અને ઇમરાન ખાનનુ નામ ખુલ્યું હતુ. આ બનાવની ગંભીરતાને જોતા ભારત સરકાર દ્વારા ગુનો NIA દિલ્હી ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ગુજરાત ATSના ડી.વાય.એસ.પી હર્ષ ઉપાધ્યાયને જાણકારી મળી કે, ઉપરોક્ત મામલામાં અન્ય લોકોની પણ સંડોવણી છે, જે પૈકીનો એક અમદાવાદમાં પણ આવી ચુંક્યો છે. જેથી આ દિશામાં તપાસનો દોર શરૂ થયો હતો. જેમાં મુંબઇના ભીવંડી ખાતે રહેતો વસીમ અને આકીબ એક બીજાના સંપર્કમાં છે. જોકે આકીબ કોણ છે તેના કોઇ ઇનપુટ્સ ગુજરાત ATS પાસે પણ ન્હોતા. પરંતુ હર્ષ ઉપાધ્યાયને મળેલી જાણકારી એવી પણ હતી કે, મહારાષ્ટ્ર પડઘાના સાકીબ નાછનનો ભત્રીજો આકિફ નાછન અઢી વર્ષ જેટલો સમય જેલમાં તેની સાથે વિતાવી ચુંક્યો છે. અને રાજસ્થાનના ચિત્તોગઢ આર.ડી.એક્સ મામલામાં તેની પણ સંડોવણી હોઇ શકે છે.
તપાસ દરમિયાન એવી પણ જાણકારી મળી હતી કે, આકિફ અમદાવાદમાં ચારથી પાંચ આવી ચુંક્યો છે અને કેટલાક લોકોનો સંપર્ક પણ કર્યો છે. હવે આકિબ અને આકિફ બન્ને નામ વચ્ચે ઘણો ફેર હતો. જેથી અસલ વ્યક્તિને શોધવુ ગુજરાત ATS માટે એક ચેલેન્જ ભર્યું કામ હતુ. કારણ કે, આકિફ કે આકિબ વિષે મહારાષ્ટ્ર ATS અને સેન્ટ્રલ આઇ.બી પણ અજાણ હતી. પરંતુ ગુજરાત ATS એ આ સમસ્યાનો ઉકેલ લાવવાનુ મન મનાવી લીધું હતુ.
જેથી ડી.વાય.એસ.પી હર્ષ ઉપાધ્યાયએ મુંબઇની ભીવંડીના વસીમને ટ્રેસ કરવાનુ શરૂ કરી તેની ઉપર સતત વોચ રાખવામાં આવી રહીં હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, આકિબ એજ વ્યક્તિ છે જે સાકીબ નાછનનો ભત્રીજો આકીફ છે. ગુજરાત ATS આકિફની ઓળખ કરી લીધી પરંતુ મહારાષ્ટ્રના પડઘા ખાતે પહોંચી કોઇ માથાકુટ વગર દબોચવો ખુબ કઠીન હતુ.
કારણ કે, પડગા સાકીબ નાછનનો વિસ્તાર હતો. આપણે બોલીવુડની અનેક ફિલ્મોમાં જોયુ છે કે, જ્યારે પોલીસ આવા કોઇ ગુનેગારોને પકડવા જાય છે ત્યારે કંઇ રીતે એ કોમના લોકોનુ ટોળુ એકત્ર થાય છે. તેવુ જ કંઇ મહારાષ્ટ્રના પડઘાનુ છે. જ્યાં ગુજરાત ATS ખુબ સાવધની પૂર્વક પહોંચી અને સાકીબ નાછનના ઘર નજીકથી જ તેના ભત્રીજા આકિફ નાછનનો દબોચી અમદાવાદ લઇ આવવામાં આવ્યો છે.
ગુજરાત ATS દ્વારા આકિફ નાછનની ઊંડાણપૂર્વક પુછતાછ કરવામાં આવી રહીં. જોકે આકિફ અગાઉ અનેક વખત અમદાવાદમાં આવી કેટલાક લોકોને મળી ચુંક્યો છે. જેથી તે દિવાસમાં ગુજરાત ATSએ તપાસ હાથ ધરી છે. આકિફની પુછતાછમાં તેણે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી-2022માં રતલામ ખાતે આમીન ફાવડાના ઘરે ગયો હતો. જ્યાં તે બન્નેએ રાજસ્થાન 13 કિલો ગ્રામ આર.ડી.એક્સ મામલાના માસ્ટર માઇન્ડ ઇમરાનખાનના પોલ્ટ્રી ફાર્મ ખાતે ગયા હતા. અને ત્યાં આમીન ફાવડા, આમીન પટેલ, ઇમરાન ખાન તથા અન્ય સાથે મળી બોમ્બ બનાવવાની બે દિવસ સુધી ટ્રેનીંગ લીધી હતી. ગુજરાત ATSની તપાસમાં એવુ પણ જાણવા મળ્યું કે, આકિક સામે ભીંવડી ખાતે હત્યાના પ્રયાશનો ગુનો પણ નોંધાયેલો છે.
આકિફ નાછન કોણ છે
આકિફ નાછનએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તે રુકીયા (ભુવા જેવુ કામ) કહેવાય છે. જેથી તે પ્રકારનુ કામ કરતો હતો. જેના કારણે તેના દેશના વિવિધ રાજ્યોમાં સંપર્કો છે. મધ્યપ્રદેશના રતલામના ઇમરાન, જુબેર રાઠોડ, અલ્તમસની અને સૈફુલ્લાહના સંપર્કમાં આવ્યો હતો. જોકે આ તમામ એક જ વિચારધારા ધરાવતા હોવાથી તેમણે દેશમાં અશાંતિ ફેલાવવાનુ કાવતરૂ ધડ્યું હતુ. જેમાં રાજસ્થાનના જયપુરમાં બ્લાસ્ટ કરે તે પહેલાજ તેમને દબોચી લેવામાં આવ્યાં હતા.
આકિફ નાછન રુકીયા કરવાનુ કામ કરતો
આકિફ નાછન સાકીબ નાછનનો ભત્રીજો છે.
ગુજરાત ATS એ આખું ઓપરેશન કંઇ રીતે પાર પાડ્યું
WatchGujarat. રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી મળી આવેલા 13 કિલો આર.ડી.એક્સ કેસમાં વધુ એક આરોપીની ગુજરાત ATS એ મુંબઇના પડઘાથી ધરપકડ કરી છે. આકિફ નાછન સિવાય અગાઉ પણ કેટલાક આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ ગુનાની તપાસ ભારત સરકારે NIA દિલ્હીને સોંપી છે. જેથી હવે આગામી દિવસમાં NIA ગુજરાત આવી આકિફની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરશે.
આ બનાવની વિગત એવી છે કે, ગત તા. 30 માર્ચના રોજ રાજસ્થાન ચિત્તોડગઢ જિલ્લાના નિમ્બાહેરા વિસ્તારમાં પોલીસે નાકાબંદી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ બલેનો કારમાંથી સૈફુલ્લાહ, અલ્તમસ અને જુબેર નામના શખ્સો પાસેથી 13 કિલો ગ્રામ એક્ષપ્લોસીવ અને બેટરી તથા ઘડિયાળ અને વાય જેવા પદાર્થો મળી આવતા તમામની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે તમામની પુછતાછ કરતા મધ્યપ્રદેશ રતલામના રહેવાસી હોવાનુ જાણવા મળ્યું હતુ.
પોલીસની તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી હતી કે, આ શખ્સો જયપુર બ્રીજ પાસે બ્લાસ્ટ કરવાનુ કાવતરૂ ઘડી અંજામ આપવા નિકળ્યાં હતા. પરંતુ પોલીસે તમામને ઝડપી પાડ્યાં હતા. આ કાવતરામાં આમિન ફાવડા, આમીન પટેલ અને ઇમરાન ખાનનુ નામ ખુલ્યું હતુ. આ બનાવની ગંભીરતાને જોતા ભારત સરકાર દ્વારા ગુનો NIA દિલ્હી ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ગુજરાત ATSના ડી.વાય.એસ.પી હર્ષ ઉપાધ્યાયને જાણકારી મળી કે, ઉપરોક્ત મામલામાં અન્ય લોકોની પણ સંડોવણી છે, જે પૈકીનો એક અમદાવાદમાં પણ આવી ચુંક્યો છે. જેથી આ દિશામાં તપાસનો દોર શરૂ થયો હતો. જેમાં મુંબઇના ભીવંડી ખાતે રહેતો વસીમ અને આકીબ એક બીજાના સંપર્કમાં છે. જોકે આકીબ કોણ છે તેના કોઇ ઇનપુટ્સ ગુજરાત ATS પાસે પણ ન્હોતા. પરંતુ હર્ષ ઉપાધ્યાયને મળેલી જાણકારી એવી પણ હતી કે, મહારાષ્ટ્ર પડઘાના સાકીબ નાછનનો ભત્રીજો આકિફ નાછન અઢી વર્ષ જેટલો સમય જેલમાં તેની સાથે વિતાવી ચુંક્યો છે. અને રાજસ્થાનના ચિત્તોગઢ આર.ડી.એક્સ મામલામાં તેની પણ સંડોવણી હોઇ શકે છે.
તપાસ દરમિયાન એવી પણ જાણકારી મળી હતી કે, આકિફ અમદાવાદમાં ચારથી પાંચ આવી ચુંક્યો છે અને કેટલાક લોકોનો સંપર્ક પણ કર્યો છે. હવે આકિબ અને આકિફ બન્ને નામ વચ્ચે ઘણો ફેર હતો. જેથી અસલ વ્યક્તિને શોધવુ ગુજરાત ATS માટે એક ચેલેન્જ ભર્યું કામ હતુ. કારણ કે, આકિફ કે આકિબ વિષે મહારાષ્ટ્ર ATS અને સેન્ટ્રલ આઇ.બી પણ અજાણ હતી. પરંતુ ગુજરાત ATS એ આ સમસ્યાનો ઉકેલ લાવવાનુ મન મનાવી લીધું હતુ.
જેથી ડી.વાય.એસ.પી હર્ષ ઉપાધ્યાયએ મુંબઇની ભીવંડીના વસીમને ટ્રેસ કરવાનુ શરૂ કરી તેની ઉપર સતત વોચ રાખવામાં આવી રહીં હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, આકિબ એજ વ્યક્તિ છે જે સાકીબ નાછનનો ભત્રીજો આકીફ છે. ગુજરાત ATS આકિફની ઓળખ કરી લીધી પરંતુ મહારાષ્ટ્રના પડઘા ખાતે પહોંચી કોઇ માથાકુટ વગર દબોચવો ખુબ કઠીન હતુ.
કારણ કે, પડગા સાકીબ નાછનનો વિસ્તાર હતો. આપણે બોલીવુડની અનેક ફિલ્મોમાં જોયુ છે કે, જ્યારે પોલીસ આવા કોઇ ગુનેગારોને પકડવા જાય છે ત્યારે કંઇ રીતે એ કોમના લોકોનુ ટોળુ એકત્ર થાય છે. તેવુ જ કંઇ મહારાષ્ટ્રના પડઘાનુ છે. જ્યાં ગુજરાત ATS ખુબ સાવધની પૂર્વક પહોંચી અને સાકીબ નાછનના ઘર નજીકથી જ તેના ભત્રીજા આકિફ નાછનનો દબોચી અમદાવાદ લઇ આવવામાં આવ્યો છે.
ગુજરાત ATS દ્વારા આકિફ નાછનની ઊંડાણપૂર્વક પુછતાછ કરવામાં આવી રહીં. જોકે આકિફ અગાઉ અનેક વખત અમદાવાદમાં આવી કેટલાક લોકોને મળી ચુંક્યો છે. જેથી તે દિવાસમાં ગુજરાત ATSએ તપાસ હાથ ધરી છે. આકિફની પુછતાછમાં તેણે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી-2022માં રતલામ ખાતે આમીન ફાવડાના ઘરે ગયો હતો. જ્યાં તે બન્નેએ રાજસ્થાન 13 કિલો ગ્રામ આર.ડી.એક્સ મામલાના માસ્ટર માઇન્ડ ઇમરાનખાનના પોલ્ટ્રી ફાર્મ ખાતે ગયા હતા. અને ત્યાં આમીન ફાવડા, આમીન પટેલ, ઇમરાન ખાન તથા અન્ય સાથે મળી બોમ્બ બનાવવાની બે દિવસ સુધી ટ્રેનીંગ લીધી હતી. ગુજરાત ATSની તપાસમાં એવુ પણ જાણવા મળ્યું કે, આકિક સામે ભીંવડી ખાતે હત્યાના પ્રયાશનો ગુનો પણ નોંધાયેલો છે.
આકિફ નાછન કોણ છે
આકિફ નાછનએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તે રુકીયા (ભુવા જેવુ કામ) કહેવાય છે. જેથી તે પ્રકારનુ કામ કરતો હતો. જેના કારણે તેના દેશના વિવિધ રાજ્યોમાં સંપર્કો છે. મધ્યપ્રદેશના રતલામના ઇમરાન, જુબેર રાઠોડ, અલ્તમસની અને સૈફુલ્લાહના સંપર્કમાં આવ્યો હતો. જોકે આ તમામ એક જ વિચારધારા ધરાવતા હોવાથી તેમણે દેશમાં અશાંતિ ફેલાવવાનુ કાવતરૂ ધડ્યું હતુ. જેમાં રાજસ્થાનના જયપુરમાં બ્લાસ્ટ કરે તે પહેલાજ તેમને દબોચી લેવામાં આવ્યાં હતા.