ગુજરાત સહિત દેશભરમાંથી કોંગી દિગજ્જ નેતા જલ્દી સ્વસ્થ થાય તે માટે દુઆઓ અને પ્રાર્થનાનો દોર
અત્યારે તેમની તબિયત સ્થિર હોવાના પુત્ર ફૈઝલ પટેલે 6 કલાક પહેલા ટ્વીટ કરી માહિતી આપી
2 દિવસ પહેલા જ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે દેશવાસીઓને દિવાળી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી
કોરોના સંક્રમણ બાદ ફેફસામાં ઇન્ફેક્શનની તકલીફ
ભરૂચ. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા, ખજાનચી, રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલને કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. અહેમદ પટેલ હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સાંસદ અહેમદ પટેલ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમને ફરિદાબાદથી દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ગુરગાવની મેદાંતા હોસ્પિટલમાં ICU માં તેમની સારવાર હોસ્પિટલની ટીમની સતત દેખરેખ હેઠળ ચાલી રહી છે.
અહેમદ પટેલની તબિયતને લઈને તેમના દીકરા ફૈઝલ પટેલે થોડા કલાક પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપી છે કે , અહેમદ પટેલને ICUમાં દાખલ કરાયા છે. તેઓ ગુરગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે અને રિકવરી થઈ રહી છે. તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવા પણ કહ્યું છે.
સાંસદ અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. કોરોનાની સારવાર પૂર્ણ થયા પછી તેમને અમૂક કોમ્પલિકેશન ઉભા થયા હતા. જેથી તેમને શુક્રવારે મોડી રાત્રે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અત્યારે સ્થિર છે.
કોરોનાના કારણે ફેફસામાં ઇન્ફેક્સન થયું હતું. હાલ ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહ્યા છે. શશી થરૂર, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહીત નેતાઓએ ખબર અંતર પૂછ્યા હતા. હાલ તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે, તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા તરફથી જાણકારી આપવામાં આવી છે.
સાંસદ અહેમદ પટેલની નાદુરસ્ત તબિયતને લઈ માદરે વતનઅંકલેશ્વર તાલુકાના પિરામણ ગામથી લઈ ભરૂચ જિલ્લા, ગુજરાત અને દેશભરમાં તેઓ ઝડપભેર સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના અને દુઆઓ ગુજારવામાં આવી રહી છે.
https://twitter.com/mfaisalpatel/status/1327895638445461504?s=08
તબિયત ધીમે ધીમે સુધારા ઉપર
અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંત હોસપીટલ માં કોરોના પ્રભાવીત માંદગી ની સારવાર માટે બે દિવસ પહેલા ICU માં દાખલ થયા હતા. જયાં જાણીતા ડોકટરોની સઘન સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબીયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહીત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. હોસપીટલ તરફથી આપવામાં આવી રહેલ માહીતી મુજબ તેમનું ક્રિએટિન ઝડપથી કાબુ માં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે. દેશના તમામ ટોચના નેતાઓ સહીત ના આગેવાનો અહેમદ પટેલના પરિવાર તથા નિકટના લોકો સાથે સતત સંપર્કમાં છે.
બોક્સ : કોરોનાની સારવાર બાદ ફેફસામાં કફની તકલીફ
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનાગ્રસ્ત બન્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. તેમને શરદી અને ફેફસાંમાં કફની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડા સમય અગાઉ અહેમદ પટેલ કોરોનાના શિકાર થયા હતા. કોરોનાની સારવાર બાદ દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આરામમાં હતા. ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેઓની તબિયત નાદુરસ્ત થતા મેદાંતામાં દાખલ કરાયા છે. જ્યાં હાલ તેઓના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હોવાનું પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી જણાવ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાંથી કોંગી દિગજ્જ નેતા જલ્દી સ્વસ્થ થાય તે માટે દુઆઓ અને પ્રાર્થનાનો દોર
અત્યારે તેમની તબિયત સ્થિર હોવાના પુત્ર ફૈઝલ પટેલે 6 કલાક પહેલા ટ્વીટ કરી માહિતી આપી
2 દિવસ પહેલા જ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે દેશવાસીઓને દિવાળી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી
કોરોના સંક્રમણ બાદ ફેફસામાં ઇન્ફેક્શનની તકલીફ
ભરૂચ. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા, ખજાનચી, રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલને કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. અહેમદ પટેલ હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સાંસદ અહેમદ પટેલ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેમને ફરિદાબાદથી દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ગુરગાવની મેદાંતા હોસ્પિટલમાં ICU માં તેમની સારવાર હોસ્પિટલની ટીમની સતત દેખરેખ હેઠળ ચાલી રહી છે.
અહેમદ પટેલની તબિયતને લઈને તેમના દીકરા ફૈઝલ પટેલે થોડા કલાક પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપી છે કે , અહેમદ પટેલને ICUમાં દાખલ કરાયા છે. તેઓ ગુરગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે અને રિકવરી થઈ રહી છે. તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવા પણ કહ્યું છે.
સાંસદ અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. કોરોનાની સારવાર પૂર્ણ થયા પછી તેમને અમૂક કોમ્પલિકેશન ઉભા થયા હતા. જેથી તેમને શુક્રવારે મોડી રાત્રે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અત્યારે સ્થિર છે.
કોરોનાના કારણે ફેફસામાં ઇન્ફેક્સન થયું હતું. હાલ ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહ્યા છે. શશી થરૂર, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહીત નેતાઓએ ખબર અંતર પૂછ્યા હતા. હાલ તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે, તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા તરફથી જાણકારી આપવામાં આવી છે.
સાંસદ અહેમદ પટેલની નાદુરસ્ત તબિયતને લઈ માદરે વતનઅંકલેશ્વર તાલુકાના પિરામણ ગામથી લઈ ભરૂચ જિલ્લા, ગુજરાત અને દેશભરમાં તેઓ ઝડપભેર સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના અને દુઆઓ ગુજારવામાં આવી રહી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંત હોસપીટલ માં કોરોના પ્રભાવીત માંદગી ની સારવાર માટે બે દિવસ પહેલા ICU માં દાખલ થયા હતા. જયાં જાણીતા ડોકટરોની સઘન સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબીયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહીત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. હોસપીટલ તરફથી આપવામાં આવી રહેલ માહીતી મુજબ તેમનું ક્રિએટિન ઝડપથી કાબુ માં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે. દેશના તમામ ટોચના નેતાઓ સહીત ના આગેવાનો અહેમદ પટેલના પરિવાર તથા નિકટના લોકો સાથે સતત સંપર્કમાં છે.
બોક્સ : કોરોનાની સારવાર બાદ ફેફસામાં કફની તકલીફ
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોરોનાગ્રસ્ત બન્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. તેમને શરદી અને ફેફસાંમાં કફની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડા સમય અગાઉ અહેમદ પટેલ કોરોનાના શિકાર થયા હતા. કોરોનાની સારવાર બાદ દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આરામમાં હતા. ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેઓની તબિયત નાદુરસ્ત થતા મેદાંતામાં દાખલ કરાયા છે. જ્યાં હાલ તેઓના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હોવાનું પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી જણાવ્યું છે.