ઉપરવાસ માંથી સતત પાણીની આવક, ડેમની સપાટી 137.21 મીટરે
ડેમ તેની સર્વોચ્ચ સપાટી થી માત્ર. 2.47 મીટર દૂર
આજે રાતે 1 કલાકે ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં 50000 થી 2 લાખ ક્યુસેક પાણી છોડાશે
ભરૂચ. મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે 15 દિવસમાં બીજી વખત સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સુપ્રિમની પરવાનગી બાદ ડેમના 30 દરવાજા બંધ કરી ડેમ તેની પૂર્ણ ક્ષમતા 138.68 મીટર સુધી છલોછલ ભરવાની કવાયત હાથ ધરાઈ હતી.
ભરૂચમાં 15 દિવસ પેહલા જ ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં ગોલ્ડનબ્રિજ એ પાણીની સપાટી 35 ફૂટ વટાવી હતી. ભરૂચમાં ઘોડાપૂરના કારણે 6000 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર સાથે જુના ભરૂચમાં પાણી ફરી વળતા નાવડીઓ ફરતી થઈ ગઈ હતી.
હવે 15 દિવસ બાદ ફરી ભરૂચમાં રેલનું સંભવિત સંકટ દસ્તક દે તેમ છે. ઉપર્વસમાંથી સતત આવકના પગલે ડેમની સપાટી 137.21 મીટરે પોહચી ગઈ છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર થઈ માત્ર 1.47 મીટર દૂર હોય આજે રાતે 1 વાગે ડેમના દરવાજા ફરી ખોલી 50000 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. જેને લઈ પુનઃ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર સાબડું બની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે હાલ ગોલ્ડન બ્રિજે નર્મદાના જળ સ્તર માત્ર 6.5 ફૂટે છે. વોર્નગ લેવલ 22 અને ભયજનક સપાટી 24 ફૂટ હોય હજી સપાટી ડેમમાંથી છોડાનાર પાણીને પગલે કેટલી વધશે તેનું ફોરકાસ્ટ આવ્યું નથી. બીજી તરફ નર્મદા ડેમની સર્વોચ્ચ સપાટી ને સર કરવા જળ સ્તર પહેલીવાર ઊંચાઈ વધાર્યા બાદ દરવાજા મુખ્ય પછી આગળ વધી રહ્યું છે. જો મધ્યપ્રદેશ, ડેમ કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પાણી ની આવક વધી તો ડેમ માંથી નીચનવાસ માં છોડાનાર પાણીનો પ્રવાહ વધી પણ શકે છે.
- ઉપરવાસ માંથી સતત પાણીની આવક, ડેમની સપાટી 137.21 મીટરે
- ડેમ તેની સર્વોચ્ચ સપાટી થી માત્ર. 2.47 મીટર દૂર
- આજે રાતે 1 કલાકે ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં 50000 થી 2 લાખ ક્યુસેક પાણી છોડાશે
ભરૂચ. મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે 15 દિવસમાં બીજી વખત સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સુપ્રિમની પરવાનગી બાદ ડેમના 30 દરવાજા બંધ કરી ડેમ તેની પૂર્ણ ક્ષમતા 138.68 મીટર સુધી છલોછલ ભરવાની કવાયત હાથ ધરાઈ હતી.
ભરૂચમાં 15 દિવસ પેહલા જ ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં ગોલ્ડનબ્રિજ એ પાણીની સપાટી 35 ફૂટ વટાવી હતી. ભરૂચમાં ઘોડાપૂરના કારણે 6000 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર સાથે જુના ભરૂચમાં પાણી ફરી વળતા નાવડીઓ ફરતી થઈ ગઈ હતી.
હવે 15 દિવસ બાદ ફરી ભરૂચમાં રેલનું સંભવિત સંકટ દસ્તક દે તેમ છે. ઉપર્વસમાંથી સતત આવકના પગલે ડેમની સપાટી 137.21 મીટરે પોહચી ગઈ છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર થઈ માત્ર 1.47 મીટર દૂર હોય આજે રાતે 1 વાગે ડેમના દરવાજા ફરી ખોલી 50000 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. જેને લઈ પુનઃ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર સાબડું બની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે હાલ ગોલ્ડન બ્રિજે નર્મદાના જળ સ્તર માત્ર 6.5 ફૂટે છે. વોર્નગ લેવલ 22 અને ભયજનક સપાટી 24 ફૂટ હોય હજી સપાટી ડેમમાંથી છોડાનાર પાણીને પગલે કેટલી વધશે તેનું ફોરકાસ્ટ આવ્યું નથી. બીજી તરફ નર્મદા ડેમની સર્વોચ્ચ સપાટી ને સર કરવા જળ સ્તર પહેલીવાર ઊંચાઈ વધાર્યા બાદ દરવાજા મુખ્ય પછી આગળ વધી રહ્યું છે. જો મધ્યપ્રદેશ, ડેમ કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પાણી ની આવક વધી તો ડેમ માંથી નીચનવાસ માં છોડાનાર પાણીનો પ્રવાહ વધી પણ શકે છે.