રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી
ધોરણ 9-10 અને 11-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પેપરની પદ્ધતિમાં કરાયો ફેરફાર
દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો-શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા કરાશે- જીતુ વાઘાણી
WatchGujarat. લાંબા સમયગાળા બાદ રાજ્યમાં શૈક્ષણિક કામગીરી શરૂ કરાઈ છે. મહત્વનું છે કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણ શૈલી પર મોટી અસર પડી છે. આવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ ધોરણ 9 થી 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.
શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ આજે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ધોરણ 9, 10 તેમજ ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન 20 પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 80% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 700 ટકા પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 21 લાખ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી આપી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 29.75 લાખ વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો તણાવ પણ આ બદલાયેલી શિક્ષણ પદ્ધતિથી ઘટી શકશે.
શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ કહ્યું કે, હવે જનરલ ઓફ સમય વધારી ઓપ્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા હશે. ગુજરાતના 29 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ઈન્ટર્નલ ઓપ્શનમાં પણ વધારે પ્રશ્ન આપવામાં આવશે. કોરોનાની સ્થિતિને લઇને આ પદ્ધતિ એક વર્ષ માટે અમલમાં રહેશે. આ રીતે વિદ્યાર્થીઓ પરનુ ભારણ ઘટાડવાનો આ મોટો પ્રયાસ છે. આ તમામ વચ્ચે રાજયની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય તો રાબેતામુજબ શરૂ થઇ ગયું છે. અને વિદ્યાર્થીઓ પણ હવે હોંશેહોંશ અભ્યાસ કરવામાં મશગુલ બન્યા છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી
ધોરણ 9-10 અને 11-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પેપરની પદ્ધતિમાં કરાયો ફેરફાર
દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો-શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા કરાશે- જીતુ વાઘાણી
WatchGujarat. લાંબા સમયગાળા બાદ રાજ્યમાં શૈક્ષણિક કામગીરી શરૂ કરાઈ છે. મહત્વનું છે કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણ શૈલી પર મોટી અસર પડી છે. આવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ ધોરણ 9 થી 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.
શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ આજે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ધોરણ 9, 10 તેમજ ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન 20 પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 80% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 700 ટકા પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 21 લાખ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી આપી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 29.75 લાખ વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો તણાવ પણ આ બદલાયેલી શિક્ષણ પદ્ધતિથી ઘટી શકશે.
શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ કહ્યું કે, હવે જનરલ ઓફ સમય વધારી ઓપ્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા હશે. ગુજરાતના 29 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ઈન્ટર્નલ ઓપ્શનમાં પણ વધારે પ્રશ્ન આપવામાં આવશે. કોરોનાની સ્થિતિને લઇને આ પદ્ધતિ એક વર્ષ માટે અમલમાં રહેશે. આ રીતે વિદ્યાર્થીઓ પરનુ ભારણ ઘટાડવાનો આ મોટો પ્રયાસ છે. આ તમામ વચ્ચે રાજયની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય તો રાબેતામુજબ શરૂ થઇ ગયું છે. અને વિદ્યાર્થીઓ પણ હવે હોંશેહોંશ અભ્યાસ કરવામાં મશગુલ બન્યા છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.