નબીપુર તરફથી દહેજ જતી ટ્રક ફસાતા દયાદરથી ભરૂચ-નબીપુર-જંબુસર ત્રણેય તરફના રસ્તા બંધ
કોરોનામાં રેલવે વ્યવહાર બંધ હોવાથી મોટી ઘટના ટળી
ભરૂચ. નબીપુરથી દહેજ તરફ જઈ રહેલ 100 ફૂટ લાંબુ તોતિંગ ટ્રક દયાદરા રેલવે ફાટકમાં ગુરૂવારે રાતે ફસાતા અફરાતફરી મચી ગઇ છે. વિશાળ મશીનરી લઈ જતી લાંબીલચક ટ્રક ફાટકમાં ફસાતા ત્રણ તરફનો માર્ગ બંધ થઈ જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિક અને પોલીસે દોડી આવી ટ્રક ટ્રેલરને બહાર કાઢી ટ્રાફિક ચેતનવતો કરવા કમર કસી છે.
ગુરુવારે રાતે હાઇવે થી નબીપુર થઈ એક મસમોટું 100 ફૂટ લાંબુ ટ્રક ટ્રેલર મશીનરી લઈ દહેજ તરફ જઈ રહ્યું હતું. નબીપુરથી આગળ વધતા દયાદરા રેલવે ફાટકમાં ટ્રક તેની 100 ફૂટ લંબાઈ અને અન્ય વાહનોની કતારો જામવાની શરૂ થઈ ગઈ હતી.
દયાદરા ફાટકથી ત્રણ રસ્તા પડતા હોય જે ભરૂચ, નબીપુર અબે જંબુસર જવાના માર્ગો બંધ થઈ જતા ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક તેમજ નબીપુર પોલીસ ને થતા સ્ટાફે સ્થળ પર દોડી આવી ફાટકમાં ફસાયેલા ટ્રક ટ્રેલરને બહાર કાઢવા કસરત હાથ ધરી છે.
હાલ કોવિડ-19 ના લીધે ટ્રેન વ્યવહાર બંધ હોવાથી સદનસીબે મોટી હોનારત અને બનાવ ટળી ગયો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે. રાતના સમયે ટ્રેનોની અવરજવર વધુ રહેતી હોય ત્યારે જો ટ્રેન વ્યવહાર પૂર્વવત હોત તો કોઈ મોટો અકસ્માત કે ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવાની પણ નોબત ઉભી થાત.
[embed]https://youtu.be/f_sRi4YKfA8[/embed]
- નબીપુર તરફથી દહેજ જતી ટ્રક ફસાતા દયાદરથી ભરૂચ-નબીપુર-જંબુસર ત્રણેય તરફના રસ્તા બંધ
- કોરોનામાં રેલવે વ્યવહાર બંધ હોવાથી મોટી ઘટના ટળી
ભરૂચ. નબીપુરથી દહેજ તરફ જઈ રહેલ 100 ફૂટ લાંબુ તોતિંગ ટ્રક દયાદરા રેલવે ફાટકમાં ગુરૂવારે રાતે ફસાતા અફરાતફરી મચી ગઇ છે. વિશાળ મશીનરી લઈ જતી લાંબીલચક ટ્રક ફાટકમાં ફસાતા ત્રણ તરફનો માર્ગ બંધ થઈ જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિક અને પોલીસે દોડી આવી ટ્રક ટ્રેલરને બહાર કાઢી ટ્રાફિક ચેતનવતો કરવા કમર કસી છે.
ગુરુવારે રાતે હાઇવે થી નબીપુર થઈ એક મસમોટું 100 ફૂટ લાંબુ ટ્રક ટ્રેલર મશીનરી લઈ દહેજ તરફ જઈ રહ્યું હતું. નબીપુરથી આગળ વધતા દયાદરા રેલવે ફાટકમાં ટ્રક તેની 100 ફૂટ લંબાઈ અને અન્ય વાહનોની કતારો જામવાની શરૂ થઈ ગઈ હતી.
દયાદરા ફાટકથી ત્રણ રસ્તા પડતા હોય જે ભરૂચ, નબીપુર અબે જંબુસર જવાના માર્ગો બંધ થઈ જતા ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક તેમજ નબીપુર પોલીસ ને થતા સ્ટાફે સ્થળ પર દોડી આવી ફાટકમાં ફસાયેલા ટ્રક ટ્રેલરને બહાર કાઢવા કસરત હાથ ધરી છે.
હાલ કોવિડ-19 ના લીધે ટ્રેન વ્યવહાર બંધ હોવાથી સદનસીબે મોટી હોનારત અને બનાવ ટળી ગયો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે. રાતના સમયે ટ્રેનોની અવરજવર વધુ રહેતી હોય ત્યારે જો ટ્રેન વ્યવહાર પૂર્વવત હોત તો કોઈ મોટો અકસ્માત કે ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવાની પણ નોબત ઉભી થાત.
[embed]
[/embed]