આજે બપોરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધિનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે
ધોરણ 1 થી 5 માટે સ્કૂલો ફરી શરૂ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે, આરોગ્ય તંત્ર મંજૂરી આપશે તો ક્લાસ શરૂ થશે
સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલા કૃષિ નુકસાનના વળતર સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે
રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે
WatchGujarat. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હોવાથી કેબિનેટની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી બેઠક સવારે 10.30 કલાકે યોજાનાર કેબિનેટ બેઠક હવે બપોરે 12.15 કલાકે મળશે. આ કેબિનેટની બેઠકમાં કેટલાંક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં દિવાળી પહેલા ધોરણ 1થી 5નું કલાસરૂમ શિક્ષણ શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે તેમ છે.
કોરોના સંક્રમણના કેસ ઘટતાં રાજ્યમાં અત્યારે કોલેજો અને સ્કૂલોમાં ધોરણ 6થી12 સુધી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓફલાઇનની સાથે સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ધોરણ 1 થી 5 માં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે. આજે મળનારી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે તેવી શક્યતાઓ છે. આ ચર્ચામાં આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો જ ધોરણ 1 થી 5માં કલાસરૂમ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા થશે
આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલા કૃષિ નુકસાનના વળતર સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. તો બેઠકમાં રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત કેબિનેટમાં 100 દિવસના 100 ઝડપી નિર્ણયો લઇને ગતિશીલ સરકારને પ્રસ્થાપિત કરવા માટે તમામ વિભાગો પાસેથી દરખાસ્ત મુખ્યમંત્રી કક્ષાએ આવી ગઇ છે. આ બાબત ઉપરાંત અતિવૃષ્ટિ સહિતની બાબતોને લઇને પણ કેબિનેટમાં ચર્ચા થશે.
- આજે બપોરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધિનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે
- ધોરણ 1 થી 5 માટે સ્કૂલો ફરી શરૂ કરવા અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે, આરોગ્ય તંત્ર મંજૂરી આપશે તો ક્લાસ શરૂ થશે
- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલા કૃષિ નુકસાનના વળતર સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે
- રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે
WatchGujarat. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હોવાથી કેબિનેટની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી બેઠક સવારે 10.30 કલાકે યોજાનાર કેબિનેટ બેઠક હવે બપોરે 12.15 કલાકે મળશે. આ કેબિનેટની બેઠકમાં કેટલાંક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં દિવાળી પહેલા ધોરણ 1થી 5નું કલાસરૂમ શિક્ષણ શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે તેમ છે.
કોરોના સંક્રમણના કેસ ઘટતાં રાજ્યમાં અત્યારે કોલેજો અને સ્કૂલોમાં ધોરણ 6થી12 સુધી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓફલાઇનની સાથે સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ધોરણ 1 થી 5 માં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે. આજે મળનારી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે તેવી શક્યતાઓ છે. આ ચર્ચામાં આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો જ ધોરણ 1 થી 5માં કલાસરૂમ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા થશે
આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલા કૃષિ નુકસાનના વળતર સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. તો બેઠકમાં રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત કેબિનેટમાં 100 દિવસના 100 ઝડપી નિર્ણયો લઇને ગતિશીલ સરકારને પ્રસ્થાપિત કરવા માટે તમામ વિભાગો પાસેથી દરખાસ્ત મુખ્યમંત્રી કક્ષાએ આવી ગઇ છે. આ બાબત ઉપરાંત અતિવૃષ્ટિ સહિતની બાબતોને લઇને પણ કેબિનેટમાં ચર્ચા થશે.