આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે
રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર છે
બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિતનાં આગેવાનો પણ હાજર રહેશે
WatchGujarat. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હાલ વિવિધ પક્ષનાં દિગ્ગજ નેતાઓ રાજકોટની મુલાકાતો લઈ રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. તેમજ આગામી 28 નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી 19 મેંનાં રાજકોટનાં હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓ આવવાના હોવાથી રાહુલ અને પ્રિયંકાની રાજકોટ મુલાકાતનો તખ્તો ઘડાય તેવી પુરી સંભાવના છે.
આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. અને પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર છે. બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિતનાં આગેવાનો પણ હાજર રહેશે. તો સાથે-સાથે સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. આ બેઠક બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે. જે બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવનાર છે.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને 19મેંનાં રોજ યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવનાર છે. ત્યારે આગામી એકાદ મહિનામાં જ કોંગ્રેસનાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતનાં દિગ્ગજ નેતાઓ રાજકોટની મુલાકાતે આવે તેવી પૂરતી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે,હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકો પર મંડાયલી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીનાં સંયોજક અને દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભા સંબોધી હતી. અને આગામી 28નાં વડાપ્રધાન મોદી પણ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ મિશન સૌરાષ્ટ્ર સર કરવા રાજકોટ આવી શકે છે.
- આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે
- રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર છે
- બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિતનાં આગેવાનો પણ હાજર રહેશે
WatchGujarat. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને હાલ વિવિધ પક્ષનાં દિગ્ગજ નેતાઓ રાજકોટની મુલાકાતો લઈ રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા. તેમજ આગામી 28 નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી 19 મેંનાં રાજકોટનાં હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓ આવવાના હોવાથી રાહુલ અને પ્રિયંકાની રાજકોટ મુલાકાતનો તખ્તો ઘડાય તેવી પુરી સંભાવના છે.
આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. અને પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર છે. બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિતનાં આગેવાનો પણ હાજર રહેશે. તો સાથે-સાથે સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. આ બેઠક બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે. જે બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવનાર છે.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને 19મેંનાં રોજ યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પણ આ અંગે રજૂઆત કરવામાં આવનાર છે. ત્યારે આગામી એકાદ મહિનામાં જ કોંગ્રેસનાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતનાં દિગ્ગજ નેતાઓ રાજકોટની મુલાકાતે આવે તેવી પૂરતી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે,હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકો પર મંડાયલી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીનાં સંયોજક અને દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભા સંબોધી હતી. અને આગામી 28નાં વડાપ્રધાન મોદી પણ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ મિશન સૌરાષ્ટ્ર સર કરવા રાજકોટ આવી શકે છે.