ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7000ની સહાય, રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે
નવા પ્રવક્તા મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને સહ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીને બનાવવામાં આવ્યાં
હવેથી સોમવાર અને મંગળવારે સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર ફરજીયાત હાજર રહેશે
WatchGujarat. નવી રચાયેલી ગુજરાત સરકારી આજે બીજી કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 22 સપ્ટેમ્બરે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં પહેલો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમ અને મંગળવારે અધિકારીઓ અને મંત્રીઓને ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસરા રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને સહ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીને બનાવવામાં આવ્યાં છે. મહત્વનું છે કે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે દૂધાળા પશુનું મૃત્યુ થશે 30 હજારને બદલે રૂ.50000 અને ઘેટા-બકરાના મોત થશે તો 3000ને બદલે 5000 મળશે.
ગુજરાત સરકારે કેબીનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી સોમવાર અને મંગળવારે સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર ફરજીયાત હાજર રહેશે. આ સમગ્ર મામલે તંત્ર ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસ દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે, તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે. ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા એવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કાયદામંત્રી ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7000 અને ઝૂંપડાવાસીઓને 4100ને બદલે રૂ.10,000ની સહાય મળશે. પાકા મકાનોને નુકસાન સહાયમાં પણ વધારો કરવામાં આવશે. આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે.
- ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7000ની સહાય, રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે
- નવા પ્રવક્તા મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને સહ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીને બનાવવામાં આવ્યાં
- હવેથી સોમવાર અને મંગળવારે સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર ફરજીયાત હાજર રહેશે
WatchGujarat. નવી રચાયેલી ગુજરાત સરકારી આજે બીજી કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 22 સપ્ટેમ્બરે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં પહેલો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમ અને મંગળવારે અધિકારીઓ અને મંત્રીઓને ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસરા રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને સહ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીને બનાવવામાં આવ્યાં છે. મહત્વનું છે કે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે દૂધાળા પશુનું મૃત્યુ થશે 30 હજારને બદલે રૂ.50000 અને ઘેટા-બકરાના મોત થશે તો 3000ને બદલે 5000 મળશે.
ગુજરાત સરકારે કેબીનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી સોમવાર અને મંગળવારે સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર ફરજીયાત હાજર રહેશે. આ સમગ્ર મામલે તંત્ર ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસ દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.
મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે, તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે. ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા એવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કાયદામંત્રી ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘર વખરીના નુકસાન બદલ 3800ના બદલે 7000 અને ઝૂંપડાવાસીઓને 4100ને બદલે રૂ.10,000ની સહાય મળશે. પાકા મકાનોને નુકસાન સહાયમાં પણ વધારો કરવામાં આવશે. આ નિર્ણયને પગલે રાજ્ય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે.