રાજ્યમાં 10 મહિનામાં આગ લાગવાના 10 બનાવ બન્યા, જેમાં 40 લોકોનાં મોત થયાં
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી
સાહિલ એન્ટરપ્રાઈઝ તરફથી કોઈ હાજર રહ્યું નહોતું, જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે
માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજૂઆત સાંભળી
WatchGujarat ગુજરાતમાં પસાર થયેલા છેલ્લા ઘણા દિવસોમાં આગના મોટા બનાવો બનવા પામ્યા હતા. રવિવારે વહેલી સવારે પણ બાપુનગર સ્થિત શ્યામ શિખર ટાવરમાં ડરાઉન્ડ ફ્લોર પર આવેલઈ દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જોકે તેમાં કોઈ જાન હાનિ થઇ ન હતી. અગાઉ અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર બનેલી આગકાંડની ઘટના સંદર્ભે આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી. લોક સુનાવણીમાં ભોગ બનનારા પરિવારજનોએ જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલી 4 લાખની સહાય મળી છે, પરંતુ કંપની દ્વારા જાહેર કરાયેલી 15 લાખની સહાય મળી નથી. તેમજ કંપનીમાં વળતર અંગેની રજૂઆત કરવામાં આવી છે. ટ્રિબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે. #Ahemdabad
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને એ અંગે પણ કેમિકલ કંપની દ્વારા વધુ કડક નિયમો અંગે રજૂઆત કરાઈ હતી.અને અમે માત્ર ઘટનાના પુરાવા જ લીધા છે. હજી આ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે, જેથી અમે સરકાર કે અન્ય અધિકારીઓ વિશે કશું કહી ના શકીએ. આજે માત્ર આઠ વ્યક્તિ જ આવી હતી, જેમાં સાહિલ એન્ટરપ્રાઈઝ તરફથી કોઈ હાજર રહ્યું નહોતું, જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે. આજે માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજૂઆત સાંભળી છે. વધુમાં, ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું હતું કે ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ઘટી છે, જેથી કલેક્ટર અને કોર્પોરેશને તમામ વિગતો આપવી પડશે. આ બાબતે કમિટીની બેઠક મળશે, જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. હાલમાં ટ્રિબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે. #Ahemdabad
લોક સુનાવણીમાં કોણ હાજર રહ્યું
આ સુનાવણીમાં ગ્રીન ટ્રિબ્યુનલ- દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.સી. પટેલ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, GPCB મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ અને K ડિવિઝનના ACP મિલાપ પટેલ તેમજ ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર અને ઇન્ડસ્ટ્રિયલ સેફટીના ડાયરેક્ટર અને ઝોનલ ડાયરેક્ટર નાર્કોટિક્સ અધિકારીઓ તેમજ આગમાં ભોગ બનનારા પરિવારજનો લોકસુનાવણીમાં હાજર રહ્યાં હતાં. #Ahemdabad
રાજ્યમાં 10 મહિનામાં આગના 14 બનાવ બન્યા
ગુજરાતમાં ફેબ્રુઆરી 2020થી નવેમ્બર 2020 સુધી 10 મહિનામાં આગ લાગવાના 14 બનાવો બન્યા અને તેમાં 40 લોકોનાં મોત થયાં. એ ઉપરાંત આ પ્રકારના બનાવોમાં 172 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદ પીરાણા ખાતે સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગનો બનાવ બન્ચા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું અને 40 જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉનો બંધ કરાવ્યાં છે.
More #Pirana #Fire explosions #Green Tribunal #Ahemdabad News
રાજ્યમાં 10 મહિનામાં આગ લાગવાના 10 બનાવ બન્યા, જેમાં 40 લોકોનાં મોત થયાં
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી
સાહિલ એન્ટરપ્રાઈઝ તરફથી કોઈ હાજર રહ્યું નહોતું, જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે
માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજૂઆત સાંભળી
WatchGujarat ગુજરાતમાં પસાર થયેલા છેલ્લા ઘણા દિવસોમાં આગના મોટા બનાવો બનવા પામ્યા હતા. રવિવારે વહેલી સવારે પણ બાપુનગર સ્થિત શ્યામ શિખર ટાવરમાં ડરાઉન્ડ ફ્લોર પર આવેલઈ દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જોકે તેમાં કોઈ જાન હાનિ થઇ ન હતી. અગાઉ અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર બનેલી આગકાંડની ઘટના સંદર્ભે આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોક સુનાવણી યોજાઈ હતી. લોક સુનાવણીમાં ભોગ બનનારા પરિવારજનોએ જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલી 4 લાખની સહાય મળી છે, પરંતુ કંપની દ્વારા જાહેર કરાયેલી 15 લાખની સહાય મળી નથી. તેમજ કંપનીમાં વળતર અંગેની રજૂઆત કરવામાં આવી છે. ટ્રિબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે. #Ahemdabad
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને એ અંગે પણ કેમિકલ કંપની દ્વારા વધુ કડક નિયમો અંગે રજૂઆત કરાઈ હતી.અને અમે માત્ર ઘટનાના પુરાવા જ લીધા છે. હજી આ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે, જેથી અમે સરકાર કે અન્ય અધિકારીઓ વિશે કશું કહી ના શકીએ. આજે માત્ર આઠ વ્યક્તિ જ આવી હતી, જેમાં સાહિલ એન્ટરપ્રાઈઝ તરફથી કોઈ હાજર રહ્યું નહોતું, જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે. આજે માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજૂઆત સાંભળી છે. વધુમાં, ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું હતું કે ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ઘટી છે, જેથી કલેક્ટર અને કોર્પોરેશને તમામ વિગતો આપવી પડશે. આ બાબતે કમિટીની બેઠક મળશે, જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. હાલમાં ટ્રિબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે. #Ahemdabad
લોક સુનાવણીમાં કોણ હાજર રહ્યું
આ સુનાવણીમાં ગ્રીન ટ્રિબ્યુનલ- દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.સી. પટેલ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, GPCB મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ અને K ડિવિઝનના ACP મિલાપ પટેલ તેમજ ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર અને ઇન્ડસ્ટ્રિયલ સેફટીના ડાયરેક્ટર અને ઝોનલ ડાયરેક્ટર નાર્કોટિક્સ અધિકારીઓ તેમજ આગમાં ભોગ બનનારા પરિવારજનો લોકસુનાવણીમાં હાજર રહ્યાં હતાં. #Ahemdabad
રાજ્યમાં 10 મહિનામાં આગના 14 બનાવ બન્યા
ગુજરાતમાં ફેબ્રુઆરી 2020થી નવેમ્બર 2020 સુધી 10 મહિનામાં આગ લાગવાના 14 બનાવો બન્યા અને તેમાં 40 લોકોનાં મોત થયાં. એ ઉપરાંત આ પ્રકારના બનાવોમાં 172 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદ પીરાણા ખાતે સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગનો બનાવ બન્ચા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું અને 40 જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉનો બંધ કરાવ્યાં છે.
More #Pirana #Fire explosions #Green Tribunal #Ahemdabad News