દિલ્હી જવાના મુખ્ય ચાર માર્ગો ચક્કાજામ કરી કૃષિબિલો પરત લેવાની માંગ કરવામાં આવી રહી
છેલ્લા 19 દિવસથી કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલનાં વિરોધમાં પંજાબ-હરીયાણા સહિત દેશભરનાં ખેડુતો દ્રારા આંદોલન કરવામાં આવી રહ્યું
WatchGujarat છેલ્લા 19 દિવસથી કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલનાં વિરોધમાં પંજાબ-હરીયાણા સહિત દેશભરનાં ખેડુતો દ્રારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં દિલ્હી જવાના મુખ્ય ચાર માર્ગો ચક્કાજામ કરી કૃષિબિલો પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની સૂચનાથી પ્રદેશ NSUI ઉપપ્રમુખ સુરજ ડેર અને મહામંત્રી નિખીલ સવાણી સહીતનાં 11 જેટલા યુવા આગેવાનો તેમજ કાર્યકરો દિલ્હીનાં ખેડુત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા છે. #NSUI
આ અંગે NSUI ઉપપ્રમુખ સુરજ ડેરે જણાવ્યું હતું કે, અહંકારી ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદો લાવી દેશનાં ખેડૂતોને વધુ પાયમાલ કરવા માંગે છે. જેને લઈ પંજાબ અને હરિયાણાનાં ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ પોતાના અધિકારની લડાઈ લડી રહ્યા છે. અને અંદાજે એકાદ લાખ ટ્રેક્ટરોમાં દંગા નાખી લાખો ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાયા છે. સિંધુ બોર્ડર પર નજારો જોઈને ખેડૂતોની એકતાને સો-સો સલામ કરવાનું મન થાય છે.
હાલ ખેડૂતો જે રીતે આંદોલન ચલાવી પોતાની માંગ પર અડગ છે. તે જોતા નિશ્ચિતપણે લાગી રહ્યું છે કે, હજુ દેશભરમાંથી અનેક ખેડૂતો આ આંદોલનમાં જોડાશે. હું માત્ર બે દિવસથી આંદોલનમાં જોડાયો છું. પરંતુ પંજાબના લોકોને ખેતી પ્રત્યે એટલું માન છે કે, કાયદો રદ કરવા માટે છ મહિના કે એક વર્ષ બેસી રહેવું પડે તો ભલે તેવા મક્કમ નિર્ધાર સાથે આવ્યા છે. એટલું જ નહીં કોરોના કાળ હોવા છતાં યુવાનોથી લઈ મોટી ઉંમરના ખેડૂતો પણ પોતાના પરિવાર સાથે અહીં આવી ગયા છે. ત્યારે સરકારે આ કાળો કાયદો પરત લેવો જ પડશે તે નિશ્ચિત છે.
https://twitter.com/WatchGujarat/status/1338438218589425664?s=19
દિલ્હી જવાના મુખ્ય ચાર માર્ગો ચક્કાજામ કરી કૃષિબિલો પરત લેવાની માંગ કરવામાં આવી રહી
છેલ્લા 19 દિવસથી કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલનાં વિરોધમાં પંજાબ-હરીયાણા સહિત દેશભરનાં ખેડુતો દ્રારા આંદોલન કરવામાં આવી રહ્યું
WatchGujarat છેલ્લા 19 દિવસથી કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિબિલનાં વિરોધમાં પંજાબ-હરીયાણા સહિત દેશભરનાં ખેડુતો દ્રારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં દિલ્હી જવાના મુખ્ય ચાર માર્ગો ચક્કાજામ કરી કૃષિબિલો પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની સૂચનાથી પ્રદેશ NSUI ઉપપ્રમુખ સુરજ ડેર અને મહામંત્રી નિખીલ સવાણી સહીતનાં 11 જેટલા યુવા આગેવાનો તેમજ કાર્યકરો દિલ્હીનાં ખેડુત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા છે. #NSUI
આ અંગે NSUI ઉપપ્રમુખ સુરજ ડેરે જણાવ્યું હતું કે, અહંકારી ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદો લાવી દેશનાં ખેડૂતોને વધુ પાયમાલ કરવા માંગે છે. જેને લઈ પંજાબ અને હરિયાણાનાં ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ પોતાના અધિકારની લડાઈ લડી રહ્યા છે. અને અંદાજે એકાદ લાખ ટ્રેક્ટરોમાં દંગા નાખી લાખો ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાયા છે. સિંધુ બોર્ડર પર નજારો જોઈને ખેડૂતોની એકતાને સો-સો સલામ કરવાનું મન થાય છે.
હાલ ખેડૂતો જે રીતે આંદોલન ચલાવી પોતાની માંગ પર અડગ છે. તે જોતા નિશ્ચિતપણે લાગી રહ્યું છે કે, હજુ દેશભરમાંથી અનેક ખેડૂતો આ આંદોલનમાં જોડાશે. હું માત્ર બે દિવસથી આંદોલનમાં જોડાયો છું. પરંતુ પંજાબના લોકોને ખેતી પ્રત્યે એટલું માન છે કે, કાયદો રદ કરવા માટે છ મહિના કે એક વર્ષ બેસી રહેવું પડે તો ભલે તેવા મક્કમ નિર્ધાર સાથે આવ્યા છે. એટલું જ નહીં કોરોના કાળ હોવા છતાં યુવાનોથી લઈ મોટી ઉંમરના ખેડૂતો પણ પોતાના પરિવાર સાથે અહીં આવી ગયા છે. ત્યારે સરકારે આ કાળો કાયદો પરત લેવો જ પડશે તે નિશ્ચિત છે.