રાજકોટ. સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે સૌથી મોટી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ(રાજકોટ ડેરી)માં બે દાયકા બાદ નેતૃત્વ પરિવર્તન થયું છે. ડેરીના તમામ 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા બાદ આજે ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઇ છે. જિલ્લા બેંકના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થીથી વર્તમાન ચેરમેન ગોવિંદ રાણપરિયાએ જ ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને સૌએ સ્વીકારી લેતા જ ગોરધન ધામેલીયાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.
ગોરધન ધામેલીયા ડેરીની ચૂંટણી લડયા ત્યારથી જ સંભવિત નવા ચેરમેન તરીકે તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. બીજીતરફ ગોવિંદ રાણપરિયા સામે છેલ્લા થોડા દિવસોમાં ગેરવહીવટના આક્ષેપો પણ થયા છે. જો કે ગઈકાલે જામકંડોરણા ખાતે યોજાયેલ બેઠકમાં જયેશ રાદડિયાએ મધ્યસ્થી કરી હતી. અને આ બેઠક બાદ ડેરીનું સુકાન ગોરધન ધામેલીયાને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. આજે પ્રેસ કોન્ફરન્સ યોજી સતાવાર આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે ગોરધનભાઈને શુભેચ્છા આપવા માટે ડેરી પર સહકારી અને રાજકીય કાર્યકરો ઉમટી પડયા હતા.
જાણો કોણ છે નવા ચેરમેન ગોરધન ધામેલીયા
રાજકોટ ડેરીનાં નવા ચેરમેન તરીકે પસંદ થયેલા ગોરધન ધામેલિયા વિઠ્ઠલ રાદડિયા જુથના વિશ્વાસુ છે. તેમણે જેતપુરની કમરીબાઇ હાઇસ્કુલ અને બોસમિયા કોલેજમાં બીએ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. કોલેજ કાળમાં પણ તેઓ સતત 3 વર્ષ જી.એસ. તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1985માં વીરપુર ગ્રામ પંચાયત અને 1987થી1993 સુધી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. બાદમાં 1990નાં પ્રારંભે તેમણે 3 વર્ષ માટે પાણી પુરવઠા બોર્ડમાં ડીરેકટર પદે સેવા આપી હતી. આ ઉપરાંત જેતપુર માર્કેટયાર્ડમાં 3 ટર્મ ડીરેકટર પદે અને એક ટર્મ વાઇસ ચેરમેન રહ્યા છે. તો વર્ષ 2000 થી 2010 સુધી તેઓ રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય અને વિવિધ સમિતિઓના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂકેલા ગોરધન ધામેલીયા હાલ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ છે. અને છેલ્લા 18 વર્ષથી જિલ્લા બેંકનાં ડીરેકટર તેમજ 28 વર્ષથી વીરપુર સહકારી મંડળીમાં પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે.
રાજકોટ. સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે સૌથી મોટી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ(રાજકોટ ડેરી)માં બે દાયકા બાદ નેતૃત્વ પરિવર્તન થયું છે. ડેરીના તમામ 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા બાદ આજે ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઇ છે. જિલ્લા બેંકના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થીથી વર્તમાન ચેરમેન ગોવિંદ રાણપરિયાએ જ ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને સૌએ સ્વીકારી લેતા જ ગોરધન ધામેલીયાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.
ગોરધન ધામેલીયા ડેરીની ચૂંટણી લડયા ત્યારથી જ સંભવિત નવા ચેરમેન તરીકે તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. બીજીતરફ ગોવિંદ રાણપરિયા સામે છેલ્લા થોડા દિવસોમાં ગેરવહીવટના આક્ષેપો પણ થયા છે. જો કે ગઈકાલે જામકંડોરણા ખાતે યોજાયેલ બેઠકમાં જયેશ રાદડિયાએ મધ્યસ્થી કરી હતી. અને આ બેઠક બાદ ડેરીનું સુકાન ગોરધન ધામેલીયાને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. આજે પ્રેસ કોન્ફરન્સ યોજી સતાવાર આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે ગોરધનભાઈને શુભેચ્છા આપવા માટે ડેરી પર સહકારી અને રાજકીય કાર્યકરો ઉમટી પડયા હતા.
જાણો કોણ છે નવા ચેરમેન ગોરધન ધામેલીયા
રાજકોટ ડેરીનાં નવા ચેરમેન તરીકે પસંદ થયેલા ગોરધન ધામેલિયા વિઠ્ઠલ રાદડિયા જુથના વિશ્વાસુ છે. તેમણે જેતપુરની કમરીબાઇ હાઇસ્કુલ અને બોસમિયા કોલેજમાં બીએ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. કોલેજ કાળમાં પણ તેઓ સતત 3 વર્ષ જી.એસ. તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1985માં વીરપુર ગ્રામ પંચાયત અને 1987થી1993 સુધી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. બાદમાં 1990નાં પ્રારંભે તેમણે 3 વર્ષ માટે પાણી પુરવઠા બોર્ડમાં ડીરેકટર પદે સેવા આપી હતી. આ ઉપરાંત જેતપુર માર્કેટયાર્ડમાં 3 ટર્મ ડીરેકટર પદે અને એક ટર્મ વાઇસ ચેરમેન રહ્યા છે. તો વર્ષ 2000 થી 2010 સુધી તેઓ રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય અને વિવિધ સમિતિઓના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂકેલા ગોરધન ધામેલીયા હાલ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ છે. અને છેલ્લા 18 વર્ષથી જિલ્લા બેંકનાં ડીરેકટર તેમજ 28 વર્ષથી વીરપુર સહકારી મંડળીમાં પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે.