માલદીવથી-કોચીન-ગોવા થઈ સી પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે.
હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ
બન્નેવ સ્ટેશન પર જેટી નિર્માણ કરાયું
ઊડીયન મંત્રાલયના સહકારથી એવિએશન હંગામી ટર્મિનલ ઉભું કરાયુ
ઉડાન યોજના : 31ઓક્ટોબર બાદ સી પ્લેન ચાલુ થશે, રોજની 4 ટાઈમ સર્વિસ
ભરૂચ. કેવડિયામાં વિશ્વની વિરાટ સરદાર પટેલની 182 મીટરની ઊંચી પ્રતિમાના લોકાર્પણના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે એકતા દિવસે વડાપ્રધાન કેવડિયા-સાબરમતી સી પ્લેનનું નજરાણું લઈ 31 ઓક્ટોબરે આવી રહ્યા છે. SOU ને વિશ્વ ફલકનું પ્રવાસન સ્થળ બનાવવા 2 વર્ષમાં વર્લ્ડ કલાસ અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. હજી પણ નવા નવા આકર્ષણો અને રોપ વે સહિતના પ્રોજેક્ટો કતારમાં છે. આવનારા સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી સી પ્લેન પણ ચાલુ થવા જઈ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરયા છે. એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે સી પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર “સી” પ્લેન ઉતરશે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે સી પ્લેનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્નેવ રૂટ પર જેટી બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાયુ છે. ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર 31 ઓક્ટોબરે સી પ્લેન ચાલુ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયા ખાતે નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ગુજરાતના પ્રથમ “સી” પ્લેનની જેટી અને વોટર એરોદ્રામ બનાવાયું છે, જેમાં ટીકીટ વીંડો અને પ્રવાસીઓ માટેના એક રૂમની વ્યવસ્થા છે. માલદીવથી કેવડિયા આવવા માટે સી પ્લેન રવાના થયું છે, માલદીવથી-કોચીન-ગોવા થઈ સી પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે. તા. 31 મી ઓક્ટોબરે PM મોદી કેવડીયાથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.
https://twitter.com/drrajivguptaias/status/1320304594119917568?s=20
વડાપ્રધાનનો કેવડિયા SOU કાર્યક્રમ
-30 ઓક્ટોબરે બપોરે 3 કલાકે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચશે - જંગલ સફારી પાર્કનું ઉદ્દઘાટન કરશે - સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ક્રુઝ બોટ મારફતે ભારત ભવન જશે
- એકતા મોલની મુલાકાત લેશે
- ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું ઉદ્દઘાટન કરશે
- યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન કરી કેવડીયામાં જ રાત્રી રોકાણ
- એકતા નર્સરી અને ક્રેક્ટર્સ ગાર્ડનની પણ મુલાકાત લે એવી સંભાવના
એકતા દિવસે સરદારના ચરણો માં વંદન, બાદમાં સી પ્લેનમાં ઉડાન
31ઓક્ટોબરે સવારે તેઓ આરોગ્ય વનની મુલાકાત લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના ચરણોમાં વંદન કરી એકતા પરેડમાં સૈન્યના વિવિધ કરતબો નિહાળશે, સાથે સાથે તેઓ નવા IAS અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે, એ બાદ તેઓ નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતેથી “સી” પ્લેન દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.
માલદીવથી-કોચીન-ગોવા થઈ સી પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે.
હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ
ભરૂચ. કેવડિયામાં વિશ્વની વિરાટ સરદાર પટેલની 182 મીટરની ઊંચી પ્રતિમાના લોકાર્પણના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે એકતા દિવસે વડાપ્રધાન કેવડિયા-સાબરમતી સી પ્લેનનું નજરાણું લઈ 31 ઓક્ટોબરે આવી રહ્યા છે. SOU ને વિશ્વ ફલકનું પ્રવાસન સ્થળ બનાવવા 2 વર્ષમાં વર્લ્ડ કલાસ અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. હજી પણ નવા નવા આકર્ષણો અને રોપ વે સહિતના પ્રોજેક્ટો કતારમાં છે. આવનારા સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી સી પ્લેન પણ ચાલુ થવા જઈ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરયા છે. એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે સી પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર “સી” પ્લેન ઉતરશે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે સી પ્લેનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્નેવ રૂટ પર જેટી બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાયુ છે. ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર 31 ઓક્ટોબરે સી પ્લેન ચાલુ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયા ખાતે નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ગુજરાતના પ્રથમ “સી” પ્લેનની જેટી અને વોટર એરોદ્રામ બનાવાયું છે, જેમાં ટીકીટ વીંડો અને પ્રવાસીઓ માટેના એક રૂમની વ્યવસ્થા છે. માલદીવથી કેવડિયા આવવા માટે સી પ્લેન રવાના થયું છે, માલદીવથી-કોચીન-ગોવા થઈ સી પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે. તા. 31 મી ઓક્ટોબરે PM મોદી કેવડીયાથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.
-30 ઓક્ટોબરે બપોરે 3 કલાકે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચશે - જંગલ સફારી પાર્કનું ઉદ્દઘાટન કરશે - સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ક્રુઝ બોટ મારફતે ભારત ભવન જશે- એકતા મોલની મુલાકાત લેશે- ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું ઉદ્દઘાટન કરશે- યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન કરી કેવડીયામાં જ રાત્રી રોકાણ- એકતા નર્સરી અને ક્રેક્ટર્સ ગાર્ડનની પણ મુલાકાત લે એવી સંભાવના
એકતા દિવસે સરદારના ચરણો માં વંદન, બાદમાં સી પ્લેનમાં ઉડાન
31ઓક્ટોબરે સવારે તેઓ આરોગ્ય વનની મુલાકાત લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના ચરણોમાં વંદન કરી એકતા પરેડમાં સૈન્યના વિવિધ કરતબો નિહાળશે, સાથે સાથે તેઓ નવા IAS અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે, એ બાદ તેઓ નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતેથી “સી” પ્લેન દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.