વડોદરા. તાજેતરમાં જાહેર થયેલી પેટા ચુંટણીમાં ગુજરાતની 8 વિધાનસભા સીટ માંથી 5 સીટ પર મુળ કોંગ્રેસી ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. દરમિયાન કરજણ વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસ છોડીને આવ્યા છે. ધારાસભ્ય પદ છોડ્યુ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલને નિયુક્ત કરાયા બાદ પેટા ચુંટણી આવી રહી છે. પેટા ચુંટણીની જાહેરાત બાદ સી. આર. પાટીલ કરજણની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી, તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહ વખતે પણ બધાને ખરીદ્યા, એટલે ખરીદ વેચાણની સ્થિતિ છે અને ટેવ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા પછી ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મૂકીને પણ લોકહિતના કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસ છોડીને આવ્યા છે. ધારાસભ્ય પદ છોડ્યુ છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે.
જો કે, પેટા ચુંટણીમાં ભાજપ કફોડી સ્થિતીમાં મુકાયું હોય તેવું દેખાઇ આવે છે. એક સમયે જે લોકોનો વિરોધ કરીને ચુંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું. તેવા લોકો ભાજપમાં જોડાઇ જવાને કારણે એક સમયના વિરોધીને જીતાડવા માટે મહેનત કરવી પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પર નિયુક્તિ થયા બાદ મુળ કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાંથી ટીકીટ આપતા અટકાવી ન શકનાર સીઆર પાટીલ હવે હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં તેમ જણાવી રહ્યા છે.
વડોદરા. તાજેતરમાં જાહેર થયેલી પેટા ચુંટણીમાં ગુજરાતની 8 વિધાનસભા સીટ માંથી 5 સીટ પર મુળ કોંગ્રેસી ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. દરમિયાન કરજણ વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસ છોડીને આવ્યા છે. ધારાસભ્ય પદ છોડ્યુ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલને નિયુક્ત કરાયા બાદ પેટા ચુંટણી આવી રહી છે. પેટા ચુંટણીની જાહેરાત બાદ સી. આર. પાટીલ કરજણની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી, તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહ વખતે પણ બધાને ખરીદ્યા, એટલે ખરીદ વેચાણની સ્થિતિ છે અને ટેવ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા પછી ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મૂકીને પણ લોકહિતના કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસ છોડીને આવ્યા છે. ધારાસભ્ય પદ છોડ્યુ છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે.
જો કે, પેટા ચુંટણીમાં ભાજપ કફોડી સ્થિતીમાં મુકાયું હોય તેવું દેખાઇ આવે છે. એક સમયે જે લોકોનો વિરોધ કરીને ચુંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું. તેવા લોકો ભાજપમાં જોડાઇ જવાને કારણે એક સમયના વિરોધીને જીતાડવા માટે મહેનત કરવી પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પર નિયુક્તિ થયા બાદ મુળ કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાંથી ટીકીટ આપતા અટકાવી ન શકનાર સીઆર પાટીલ હવે હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં તેમ જણાવી રહ્યા છે.