IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા હોવાની પ્રબળ શક્યતા
ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી થઇ શકે છે
વડોદરા અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાના વડાની બદલીઓ થવાવી સંભાવના
રથયાત્રા પુર્ણ થયા બાદ બદલીના ઓર્ડર થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે
WatchGujarat. રાજ્યમાં ઘણા મહિનાઓથી કોરોના એ તેનો કહેર વર્તાવ્યો હતો જેના કારણે શાળા કોલેજો ના શિક્ષકો, આચાર્ય, તબીબી સેવાઓના વર્કરો જે દરેક સરકારી સ્કેટરના લોકોના પ્રમોશન બદલી જેવા વગેરે કામો અટવાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ ઘટતા બદલી કરવાનો દોર શરૂ થયો જોવા મળી રહ્યો છે. જે થોડા સમય પહેલા રાજ્યના 77 આઈએએસની (IAS) બદલી કરવામાં આવી હતી.
ત્યારબાદ બાદ હવે રાજ્યમાં આઈપીએસ (IPS) બદલી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે ગણતરીના દિવસોમાં જ આ બદલી કરવામાં આવશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. રાજ્યના 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલી કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં રાજ્યમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની બદલી થવાની પ્રબળ શક્યતાઓ છે.
આઈપીએસ (IPS) અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશ્નરનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને એસીબી ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. તેવા હાલમાં સુત્ર દ્વારા સમાચાર મળી રહ્યા છે.
રાજકોટ પોલીસ કમિશ્નર માટે 5 નામ રેસમાં ચાલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન, નીરજા ગોટરૂ, કે.એલ.એન રાવ, નરસિમ્હા કોમર વગેરેના નામો રેસમાં છે. વર્ષ 2017 બેચના 6 પ્રોબેશનરી આઈપીએસને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક આપવામાં આવશે. ગાંધીનગર, ગોધરા, દાહોદ, અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થશે.
વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ ડીસીપીની પણ બદલી થવાની શક્યતા હાલ તબક્કે જોવા મળી રહી છે. વડોદરા શહેરના 1 ડીસીપી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના 1 જીલ્લા પોલીસ વડાની ચોક્કસ કારણોસર બદલી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે, સમગ્ર મામલે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. તમામ અધિકારીઓની બદલીના ઓર્ડર રથયાત્રા પ્રસંગ પુર્ણ થયા બાદ થશે તેવું જાણકારોનું માનવું છે.
IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા હોવાની પ્રબળ શક્યતા
ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી થઇ શકે છે
વડોદરા અને સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાના વડાની બદલીઓ થવાવી સંભાવના
રથયાત્રા પુર્ણ થયા બાદ બદલીના ઓર્ડર થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે
WatchGujarat. રાજ્યમાં ઘણા મહિનાઓથી કોરોના એ તેનો કહેર વર્તાવ્યો હતો જેના કારણે શાળા કોલેજો ના શિક્ષકો, આચાર્ય, તબીબી સેવાઓના વર્કરો જે દરેક સરકારી સ્કેટરના લોકોના પ્રમોશન બદલી જેવા વગેરે કામો અટવાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ ઘટતા બદલી કરવાનો દોર શરૂ થયો જોવા મળી રહ્યો છે. જે થોડા સમય પહેલા રાજ્યના 77 આઈએએસની (IAS) બદલી કરવામાં આવી હતી.
ત્યારબાદ બાદ હવે રાજ્યમાં આઈપીએસ (IPS) બદલી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે ગણતરીના દિવસોમાં જ આ બદલી કરવામાં આવશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. રાજ્યના 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલી કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં રાજ્યમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની બદલી થવાની પ્રબળ શક્યતાઓ છે.
આઈપીએસ (IPS) અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશ્નરનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને એસીબી ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. તેવા હાલમાં સુત્ર દ્વારા સમાચાર મળી રહ્યા છે.
રાજકોટ પોલીસ કમિશ્નર માટે 5 નામ રેસમાં ચાલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન, નીરજા ગોટરૂ, કે.એલ.એન રાવ, નરસિમ્હા કોમર વગેરેના નામો રેસમાં છે. વર્ષ 2017 બેચના 6 પ્રોબેશનરી આઈપીએસને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક આપવામાં આવશે. ગાંધીનગર, ગોધરા, દાહોદ, અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થશે.
વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ ડીસીપીની પણ બદલી થવાની શક્યતા હાલ તબક્કે જોવા મળી રહી છે. વડોદરા શહેરના 1 ડીસીપી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના 1 જીલ્લા પોલીસ વડાની ચોક્કસ કારણોસર બદલી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે, સમગ્ર મામલે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. તમામ અધિકારીઓની બદલીના ઓર્ડર રથયાત્રા પ્રસંગ પુર્ણ થયા બાદ થશે તેવું જાણકારોનું માનવું છે.