ગુજરાતમાં આગામી ચાર દિવસ કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતાઓ જતાવી
રાજ્યમાં ચોમાસુ લઈ રહ્યું છે વિદાય, ચોમાસુ વિદાય લેતા ખેલૈયાઓ પરથી વરસાદનું વિઘ્ન દુર થશે તેવી આશા
છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો
WatchGujarat. રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગે તાજેતરમાં ગુજરાતના કેટલાંક વિસ્તારમાં આગામી ચાર દિવસ વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આગામી 4 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિઘ્ન ચોક્કસ દુર થશે અને નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે. કારણ કે ગુજરાતમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ નોંધાયો નથી. જે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે.
ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે હવે માત્ર આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિધ્ન ચોક્કસ દુર થશે. નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ વર્સ્યો છે. મહત્વનું છે કે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી.
નોંધનીય છે કે ગત અઠવાડીયે હવામાન વિભાગ દ્વારા 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હતી. નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે વડોદરા શહેરમાં ધીમો વરસાદ નોંધાયો હતો. જોકે નવરાત્રીના પ્રારંભ બાદ રાજ્યમાંથી વરસાદ વિદાય લઈ રહ્યો છે. પરંતુ આ વર્ષે વરસાદે રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં તોફાની વરસાદ સાથે જ રાજ્યમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. જેથી રાજ્યના જળાશયોમાં સારા પાણીની આવક થઈ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યાં એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે. એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે.
- ગુજરાતમાં આગામી ચાર દિવસ કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતાઓ જતાવી
- રાજ્યમાં ચોમાસુ લઈ રહ્યું છે વિદાય, ચોમાસુ વિદાય લેતા ખેલૈયાઓ પરથી વરસાદનું વિઘ્ન દુર થશે તેવી આશા
- છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો
WatchGujarat. રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગે તાજેતરમાં ગુજરાતના કેટલાંક વિસ્તારમાં આગામી ચાર દિવસ વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આગામી 4 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિઘ્ન ચોક્કસ દુર થશે અને નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે. કારણ કે ગુજરાતમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ નોંધાયો નથી. જે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે.
ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે હવે માત્ર આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિધ્ન ચોક્કસ દુર થશે. નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ વર્સ્યો છે. મહત્વનું છે કે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી.
નોંધનીય છે કે ગત અઠવાડીયે હવામાન વિભાગ દ્વારા 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હતી. નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે વડોદરા શહેરમાં ધીમો વરસાદ નોંધાયો હતો. જોકે નવરાત્રીના પ્રારંભ બાદ રાજ્યમાંથી વરસાદ વિદાય લઈ રહ્યો છે. પરંતુ આ વર્ષે વરસાદે રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં તોફાની વરસાદ સાથે જ રાજ્યમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. જેથી રાજ્યના જળાશયોમાં સારા પાણીની આવક થઈ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યાં એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે. એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે.