રાજકોટ. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને નવલા નોરતાની ઉજવણી કરવી કે નહીં તે મુદ્દે રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે શહેરમાં અર્વાચીન રાસોત્સવનાં મોટાભાગનાં આયોજકોએ સ્વેચ્છાએ રાસોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. અને ત્રણેક અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આયોજન રદ્દ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જેમાં શહેરનાં સૌથી મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપ પણ સામેલ છે.
આ અંગે જૈન વિઝન રાસોત્સવનાં આયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, અમારા દ્વારા ખાસ જૈન સમાજ માટે છેલ્લા ત્રણેક વર્ષથી વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે જૈન વિઝન દ્વારા આ મહોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે. આવતા વર્ષે ઈશ્વરની કૃપા અને માતાજીની દયા રહેશે તો નવલા નોરતાની રંગેચંગે ઉજવણી કરીશું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કેટલાક અર્વાચીન ગરબા આયજકોએ નવરાત્રીની મંજૂરી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પત્ર લખ્યો હતો. તેમજ તમામ નિયમોના પાલન સાથે નવરાત્રી યોજવાની માંગ કરી હતી. સાથે જ ગુરૂવારે રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિએશને તો ત્યાં સુધી કહ્યું હતું કે, નવરાત્રીની મંજૂરી નહીં મળે તો કોઈપણ રાજકીય પક્ષને સાઉન્ડ આપવામાં આવશે નહીં. જો કે શહેરમાં હાલ જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેને લઈને જ તમામે પોતાનો નિર્ણય બદલ્યો હોવાનું જણાવાયું છે.
રાજકોટ. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને નવલા નોરતાની ઉજવણી કરવી કે નહીં તે મુદ્દે રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે શહેરમાં અર્વાચીન રાસોત્સવનાં મોટાભાગનાં આયોજકોએ સ્વેચ્છાએ રાસોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. અને ત્રણેક અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આયોજન રદ્દ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જેમાં શહેરનાં સૌથી મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપ પણ સામેલ છે.
આ અંગે જૈન વિઝન રાસોત્સવનાં આયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, અમારા દ્વારા ખાસ જૈન સમાજ માટે છેલ્લા ત્રણેક વર્ષથી વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે જૈન વિઝન દ્વારા આ મહોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે. આવતા વર્ષે ઈશ્વરની કૃપા અને માતાજીની દયા રહેશે તો નવલા નોરતાની રંગેચંગે ઉજવણી કરીશું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કેટલાક અર્વાચીન ગરબા આયજકોએ નવરાત્રીની મંજૂરી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પત્ર લખ્યો હતો. તેમજ તમામ નિયમોના પાલન સાથે નવરાત્રી યોજવાની માંગ કરી હતી. સાથે જ ગુરૂવારે રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિએશને તો ત્યાં સુધી કહ્યું હતું કે, નવરાત્રીની મંજૂરી નહીં મળે તો કોઈપણ રાજકીય પક્ષને સાઉન્ડ આપવામાં આવશે નહીં. જો કે શહેરમાં હાલ જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેને લઈને જ તમામે પોતાનો નિર્ણય બદલ્યો હોવાનું જણાવાયું છે.