રાજકોટ. ઉત્તરપ્રદેશનાં હાથરસની ઘટનાને લઈ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરનાં ત્રિકોણબાગ ખાતે સવારે 10 થી 5 સુધી મૌન સત્યાગ્રહ અંતર્ગત ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વાલ્મિકી સમાજ દ્વારા પણ હોસ્પિટલ ચોકમાં ધરણા કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે ધરણા કરી રહેલા તમામની અટકાયત કરી છે.
હાથરસ દુષ્કર્મની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી મૌન સત્યાગ્રહ કાર્યક્રમનું એલાન કરાયું હતું. જે અંતર્ગત રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે મહેશ રાજપૂત સહિતનાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા ધરણા શરૂ કરાયા હતા. જેમાં મહિલા કાર્યકરો પણ જોડાયા હતા. જો કે આ ધરણા ટ્રાફિકને અડચણરૂપ હોવાનું કારણ આપી મંજૂરી માટે અગાઉથી જ ઇન્કાર કરાયો હતો. જેને પગલે પોલીસે ધરણા પર બેઠેલા 50થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે.
બીજીતરફ કચ્છમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા અને ઉત્તરપ્રદેશમાં દલિત યુવતીઓ સાથે દુષ્કર્મ બાદ મોતનાં વિરોધમાં વાલ્મિકી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો. અને શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે સમાજનાં લોકો દ્વારા ધરણા શરૂ કરાયા હતા. પરંતુ અહીં પણ પોલીસ દ્વારા પ્રદર્શન કરનારા લોકોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
[embed]https://youtu.be/XHky2xhnnxA[/embed]
રાજકોટ. ઉત્તરપ્રદેશનાં હાથરસની ઘટનાને લઈ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરનાં ત્રિકોણબાગ ખાતે સવારે 10 થી 5 સુધી મૌન સત્યાગ્રહ અંતર્ગત ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વાલ્મિકી સમાજ દ્વારા પણ હોસ્પિટલ ચોકમાં ધરણા કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે ધરણા કરી રહેલા તમામની અટકાયત કરી છે.
હાથરસ દુષ્કર્મની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી મૌન સત્યાગ્રહ કાર્યક્રમનું એલાન કરાયું હતું. જે અંતર્ગત રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે મહેશ રાજપૂત સહિતનાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા ધરણા શરૂ કરાયા હતા. જેમાં મહિલા કાર્યકરો પણ જોડાયા હતા. જો કે આ ધરણા ટ્રાફિકને અડચણરૂપ હોવાનું કારણ આપી મંજૂરી માટે અગાઉથી જ ઇન્કાર કરાયો હતો. જેને પગલે પોલીસે ધરણા પર બેઠેલા 50થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે.
બીજીતરફ કચ્છમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા અને ઉત્તરપ્રદેશમાં દલિત યુવતીઓ સાથે દુષ્કર્મ બાદ મોતનાં વિરોધમાં વાલ્મિકી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો. અને શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે સમાજનાં લોકો દ્વારા ધરણા શરૂ કરાયા હતા. પરંતુ અહીં પણ પોલીસ દ્વારા પ્રદર્શન કરનારા લોકોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.