કોરોના દરમિયાન ઘર બહાર નીકળનારની ધરપકડ બાદ માર મારેલો
હુકમ છતાં જવાબ રજૂ કર્યા ન હોતા,અને પોલીસ કર્મીને પણ 25 હજારનો દંડ ફટકાર્યો
આદેશનું પાલન ન કરવાનું સરકારી અધિકારીઓનું આ વલણ સ્વીકારી શકાય નહીં
WatchGujarat.કોર્ટના આદેશના અનાદરના કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે સુરત પોલીસ કમિશનર અને ચાર પોલીસ કર્મીઓને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહેલુ કે આ કેસમાં હાઇકોર્ટે ગત વર્ષે પાંચ ઓક્ટોબર, પંદર નવેમ્બર, છ ડિસેમ્બર અને ચાર જાન્યુઆરી-2022ના રોજ પોલીસને જવાબ રજૂ કરવા આદેશ કરેલો. જો કે , હજુ સુધી જવાબ રજૂ કર્યો નથી. જેથી આ કેસમાં હવે સમય આપીશું નહીં. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરેલી કે આદેશનું પાલન ન કરવાનું સરકારી અધિકારીઓનું આ વલણ સ્વીકારી શકાય નહીં. જેથી, આ દંડ ફટકારાય છે. સરકારી અધિકારીઓ કોર્ટના આદેશને ગંભીરતાથી લે.
હાઇકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, જૂન-2021માં કોરોના દરમિયાન, અરજદાર સાથે છ લોકો ઘરની બહાર નિકળ્યા હતા. ત્યારે પોલીસે તેમની ધરપકડ કરેલી. આ ગુનો જામીન પાત્ર હોવા છતાં, મુક્તિ માટે પૈસાની માંગણી કરી હતી. પોલીસનું આ વર્તન સુપ્રીમ કોર્ટના ચૂકાદાના ભંગ સમાન છે. આ ચૂકાદામાં કહેવાયુ છે કે પોલીસ કોઇની ધરપકડ કરે તો તેની સાથે કેવી રીતે વર્તન કરવું. મારના લીધે કુટુંબીજનોએ બાદમાં અરજદારને સારવાર અર્થે 07.06.21થી 09.06.21 સુધી હોસ્પિટલના દાખલ કરેલો. આ બાબતની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. જવાબદાર પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધવા માટે અરજદારના કાકાએ 21 જૂને પોલીસ કમિશનરને પણ જાણ કરેલી. જો કે કોઇ પગલા લેવાયા નથી.
બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, પોલીસે જામીન આપેલા છે અને કેસમાં પોલીસ કમિશનરે તપાસ કરેલી છે. અરજદાર સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયેલો. જો કે, તેના મેડિકલ રિપોર્ટમાં મારના નિશાનનો ક્યાંય પણ ઉલ્લેખ નથી.
કોરોના દરમિયાન ઘર બહાર નીકળનારની ધરપકડ બાદ માર મારેલો
હુકમ છતાં જવાબ રજૂ કર્યા ન હોતા,અને પોલીસ કર્મીને પણ 25 હજારનો દંડ ફટકાર્યો
આદેશનું પાલન ન કરવાનું સરકારી અધિકારીઓનું આ વલણ સ્વીકારી શકાય નહીં
WatchGujarat.કોર્ટના આદેશના અનાદરના કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે સુરત પોલીસ કમિશનર અને ચાર પોલીસ કર્મીઓને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહેલુ કે આ કેસમાં હાઇકોર્ટે ગત વર્ષે પાંચ ઓક્ટોબર, પંદર નવેમ્બર, છ ડિસેમ્બર અને ચાર જાન્યુઆરી-2022ના રોજ પોલીસને જવાબ રજૂ કરવા આદેશ કરેલો. જો કે , હજુ સુધી જવાબ રજૂ કર્યો નથી. જેથી આ કેસમાં હવે સમય આપીશું નહીં. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરેલી કે આદેશનું પાલન ન કરવાનું સરકારી અધિકારીઓનું આ વલણ સ્વીકારી શકાય નહીં. જેથી, આ દંડ ફટકારાય છે. સરકારી અધિકારીઓ કોર્ટના આદેશને ગંભીરતાથી લે.
હાઇકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, જૂન-2021માં કોરોના દરમિયાન, અરજદાર સાથે છ લોકો ઘરની બહાર નિકળ્યા હતા. ત્યારે પોલીસે તેમની ધરપકડ કરેલી. આ ગુનો જામીન પાત્ર હોવા છતાં, મુક્તિ માટે પૈસાની માંગણી કરી હતી. પોલીસનું આ વર્તન સુપ્રીમ કોર્ટના ચૂકાદાના ભંગ સમાન છે. આ ચૂકાદામાં કહેવાયુ છે કે પોલીસ કોઇની ધરપકડ કરે તો તેની સાથે કેવી રીતે વર્તન કરવું. મારના લીધે કુટુંબીજનોએ બાદમાં અરજદારને સારવાર અર્થે 07.06.21થી 09.06.21 સુધી હોસ્પિટલના દાખલ કરેલો. આ બાબતની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. જવાબદાર પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધવા માટે અરજદારના કાકાએ 21 જૂને પોલીસ કમિશનરને પણ જાણ કરેલી. જો કે કોઇ પગલા લેવાયા નથી.
બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, પોલીસે જામીન આપેલા છે અને કેસમાં પોલીસ કમિશનરે તપાસ કરેલી છે. અરજદાર સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયેલો. જો કે, તેના મેડિકલ રિપોર્ટમાં મારના નિશાનનો ક્યાંય પણ ઉલ્લેખ નથી.