ગઈ કાલે GIDCમાં બનેલા ગોઝારા બનાવને પગલે હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન
સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધરાશાયી થતાં 30 જેટલા શ્રમિકો દટાયા, 12નાં મોત થયા હતા
CM ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ લીધી હળવદની મુલાકાત
પરિવારોને ઝડપથી સહાય મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે - નીમાબેન આચાર્ય
WatchGujarat. મોરબી જિલ્લાના હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં ગઈ કાલે સર્જાયેલી દુર્ઘટનામાં 12 શ્રમિકોનાં મોત થયા હતા. જ્યારે 11 જેટલા શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલી પાછવી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીઆઈડીસીમાં સર્જાયેલી દુર્ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. ત્યારે હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં બુધવારે સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધરાશાયી થતાં 30 જોટલા શ્રમિકો દટાયા હતા. જેમાં 12 શ્રમિકોનાં મોત થયા હતા. તો 11 જેટલા શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે આ ગોઝારા બનાવને પગલે હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન કર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ગઈ કાલે હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં દુર્ઘટના બની છે. જેમાં 12 શ્રમિકોનાં મોત થયા છે. જેમના માનમાં આજે શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં વ્યાપારી એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે શોકસભાનું આયોજન કરેલ છે. તમામ વેપારી મિત્રો અને રાજકીય આગેવાનો બધા હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની ઘોસણા કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
નીમાબેને હળવદ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો
જ્યારે સાગર સોલ્ટ કંપનીના માલિક દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ માહિતી મેળવી હતી. જે બાદ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હળવદની મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હળવદ જીઆઈડીસીમાં ગઈ કાલે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ શ્રમિકોને હું શ્રદ્વાંજલી પાઠવું છું. મૃતકોના પરિવારને આજે આ દુઃખ આવી પડ્યું છે તેના માટે રાજ્ય સરકાર વ્હારે આવી છે.
દોષિતો સામે કડક કાર્યવાહી થાય માટે સરકારને કરી આપીલ
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘટનાનો ભોગ બનનાર શ્રમિકો માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કંપનીના માલિકે સહાયની જાહેરાત કરી છે. આ જાહેર કરેલી સહાય ઝડપથી શ્રમિકોના પરિવારજનોને મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ સાથે નિમાબેન આચાર્યએ દોષિતો સામે કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકારને અપીલ કરી છે.
સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધરાશાયી થતાં 30 જેટલા શ્રમિકો દટાયા, 12નાં મોત થયા હતા
CM ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ લીધી હળવદની મુલાકાત
પરિવારોને ઝડપથી સહાય મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે - નીમાબેન આચાર્ય
WatchGujarat. મોરબી જિલ્લાના હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં ગઈ કાલે સર્જાયેલી દુર્ઘટનામાં 12 શ્રમિકોનાં મોત થયા હતા. જ્યારે 11 જેટલા શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલી પાછવી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીઆઈડીસીમાં સર્જાયેલી દુર્ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. ત્યારે હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં બુધવારે સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધરાશાયી થતાં 30 જોટલા શ્રમિકો દટાયા હતા. જેમાં 12 શ્રમિકોનાં મોત થયા હતા. તો 11 જેટલા શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે આ ગોઝારા બનાવને પગલે હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન કર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ગઈ કાલે હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં દુર્ઘટના બની છે. જેમાં 12 શ્રમિકોનાં મોત થયા છે. જેમના માનમાં આજે શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં વ્યાપારી એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે શોકસભાનું આયોજન કરેલ છે. તમામ વેપારી મિત્રો અને રાજકીય આગેવાનો બધા હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની ઘોસણા કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
નીમાબેને હળવદ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો
જ્યારે સાગર સોલ્ટ કંપનીના માલિક દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના હળવદ ખાતે આવેલી જીઆઈડીસીમાં ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ માહિતી મેળવી હતી. જે બાદ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હળવદની મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હળવદ જીઆઈડીસીમાં ગઈ કાલે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ શ્રમિકોને હું શ્રદ્વાંજલી પાઠવું છું. મૃતકોના પરિવારને આજે આ દુઃખ આવી પડ્યું છે તેના માટે રાજ્ય સરકાર વ્હારે આવી છે.
દોષિતો સામે કડક કાર્યવાહી થાય માટે સરકારને કરી આપીલ
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘટનાનો ભોગ બનનાર શ્રમિકો માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કંપનીના માલિકે સહાયની જાહેરાત કરી છે. આ જાહેર કરેલી સહાય ઝડપથી શ્રમિકોના પરિવારજનોને મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ સાથે નિમાબેન આચાર્યએ દોષિતો સામે કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકારને અપીલ કરી છે.