WatchGujarat. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમ વખત મિડીયા સાથે વાત કરી હતી. દરમિયાન ખુલ્લા મને હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ કે, 2015માં જ્યારે આંદોલનની શરૂઆત કરી ત્યારથી લઇને 2019 સુધી ખૂબ જ ઇમાનદારીથી ખૂબ હ્રદયની ભાવનાથી અને મન ચોખ્ખુ રાખીને ગુજરાતના અસંખ્ય લોકોના અધિકાર માટે આંદોલન કર્યુ હતુ. આ આંદોલનની શરૂઆતમાં એ સમયના પરિબળો એ સમયની પ્રક્રિયા સ્વભાવિક રીતે સરકારની વિરૂદ્ધમાં હતી અને જનતાના અધિકાર માટે સરકારની વિરૂદ્ધમાં લડાઇ લડ્યા. અને તે સમયે ગુજરાતના અસંખ્ય યુવાનોને સાથે રાખીને ગુજરાતના ગરીબ સર્વણ સમાજને 10 ટકા અનામત આપવાનુ કામ કર્યુ હતુ. એ પછી અનામતનો લાભ મળ્યો એ પછી એવી આશા અને અપેક્ષા હતી કે ગુજરાતની અંદર વગર સત્તાએ,વગર પદે જો ગુજરાતના લોકોના સન્માનની અને ન્યાયની વાત કરી શકાય તો સ્વાભાવિક છે કે રાજકારણમાં જવુ જોઇએ. અને આ જ હેતુ સાથે 2019-માર્ચમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. કોંગ્રેસમાં જોડાયો ત્યારે એ સપનુ હતુ કે જે હિત સાથે કોંગ્રેસમાં આવ્યો છુ. તો નિશ્ચિત રીતે ગુજરાતના લોકોની વાત સારી રીતે કરી શકીશ.
માત્ર હાર્દિક પટેલથી જ નહી મારા જેવા અસંખ્ય યુવાનો નિષ્ઠાપૂર્વક ગુજરાતમાં સારુ કરવાનો પ્રયાસ કર્યો
2015 અને 2017 આ બન્ને વર્ષમાં તાલુકા-જિલ્લા હોય કે વિધાનસભાની ચૂંટણીઓ એવી હતી કે મારા જેવા અસંખ્ય યુવાનોએ જનતાની અંદર એક વિશ્વાસ પેદા કરીને,વિપક્ષ હોય તો કંઇક થઇ શકે તેવા અવાજ સાથે અમે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને ફાયદો કરાવ્યો હતો. માત્ર હાર્દિક પટેલથી જ નહી મારા જેવા અસંખ્ય યુવાનો નિષ્ઠાપૂર્વક ગુજરાતમાં સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. 2019માં આજ ભાવના સાથે હુ કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે ખબર પડી કે જ્યાં સુધી ભોગવો નહી ત્યાં સુધી ખબર પડે નહીં.
અન્ય રાજ્યમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી નક્કી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં નથી
2019થી 2022 આ ત્રણ વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને નજીકથી જાણી,સમજી,પાર્ટીની વિચારધારા,પ્રક્રિયા ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્રને માત્ર જાતિવાદની નિતી છે. આ ત્રણ વર્ષના સમયગાળામાં એક વર્ષ પ્રજાની વચ્ચે જઇને કામ કર્યુ પછીના બે વર્ષમાં કાર્યકારી પ્રમુખ બનાવ્યો પરંતુ કોઇ જ જવાબદારી નક્કી કરવામાં આવી ન હતી. અન્ય રાજ્યમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી નક્કી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં નથી.
હાર્દિક તારા જેવા યુવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં આવે તો પાર્ટીનુ સારુ થશે
2015માં અમે મજબૂત રીતે જે આંદોલન ઉભુ કર્યુ તેનો સ્વાભાવિક રીતે ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો હતો. આજે જ્યારે કોંગ્રેસ પાર્ટી થકી ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક પણ જવાબદારી મને નથી આપી. નવાઇ સાથે કહુ છુ કે જ્યારે કોંગ્રેસમાં જોડાયો ન હતો ત્યારે જે મિડીયામાં મોટી-મોટી વાતો કરે છે એ અમને કહેતા કે હાર્દિક તારા જેવા યુવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં આવે તો પાર્ટીનુ સારુ થશે. તારા જેવા યુવાનની પાર્ટીમાં જરૂર છે જ્યારે છેલ્લા એક મહિનાથી પાર્ટીની અંદર વિપરીત બાબતો અંગે ચર્ચા કરી ત્યારે આ જ બધા પાંચ-છ નેતાઓ પોતાની મન-મરજીથી મિડીયા સામે ચર્ચા વિચારણા કરવા લાગ્યા.
1972માં ચિમનભાઇને પણ આવી જ રીતે અપમાનીત કરીને હટાવી દેવામાં આવ્યા હતા
ગુજરાતની અંદર માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી. અસંખ્ય યુવાનો,નેતાઓ અને ધારાસભ્ય એવા છે કે જેને પોતાની પરિસ્થિતિને એવી હદે મૂકી દીધી છે કે માત્રને માત્ર કોંગ્રેસ પાર્ટી તેનો ઉપયોગ કરવા માંગે છે અને સમય આવે એટલે એ લોકોને ફેંકી દેવાનુ કામ પાર્ટી કરે છે.આ શરૂઆત 2022માં માત્ર હાર્દિક પટેલ જોડે નથી થઇ પરંતુ 1972માં ચિમનભાઇને પણ આવી જ રીતે અપમાનીત કરીને હટાવી દેવામાં આવ્યા હતા. 2012ની ચૂંટણીમાં નરહરી અમીનને પણ આમ જ હટાવવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે ગુજરાતની અંદર કોઇ મજબૂત આગેવાન, કે મજબૂત પાટીદાર કે કોઇ પણ અન્ય સમાજનો વ્યક્તિ જ્યારે કોંગ્રેસની અંદર મજબૂતાઇથી અવાજ બને ત્યારે માત્ર તેને હટાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યુ છે.
સાચી વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પાર્ટીએ બદનામ કર્યો
2002થી લઇને 2022ના સમયગાળામાં જેટલા પણ પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના નેતા બન્યા છે તેમાંથી એક ફેમીલી અને એક જ વ્યક્તિ સાથે અરસ-પરસ કોંગ્રેસની પાર્ટી ફરતી રહી છે. એટલે જ્યારે પણ સાચી વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પાર્ટીએ બદનામ કરવાનો અને મિડીયાની અંદર અમારા વિરૂદ્ધ ખોટા સમાચાર ફેલાવાનુ કામ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ કર્યુ છે.
2002થી લઇને 2022 સુધીમાં 117 લોકોએ પાર્ટી છોડી
મારે ખૂબ દુખ સાથે કહેવુ પડે છે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ કે અન્ય સમાજ કેમ ન હોય બધા સાથે અન્યાય થાય છે અને તમામ લોકોને ગુજરાતની અંદર વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કોઇ પાર્ટી છોડે જ્યારે એવુ કહે છે કે આ વહેંચાઇ ગયો છે,ડરી ગયો છે. 2002થી લઇને 2022 સુધીમાં 117 લોકોએ પાર્ટી છોડી,એમાં 27થી વધુ ધારાસભ્યએ પાર્ટી છોડી,12થી વધુ પૂર્વ લોકસભાના સભ્યએ પાર્ટી છોડી અને પૂર્વ ધારાસભ્ય 42 જેટલા લોકોએ પાર્ટી છોડી ત્યારે તમારી જાત ઉપર ચિંતન કરવાની જરૂર છે. ઉદયપુરમાં બેસીને શિબીર કરવાની જરૂર નથી.
ગુજરાતમાં 2021ની ચુંટણીઓમાં કોંગ્રેસનુ થર્ડ ક્લાસ પ્રદર્શન સામે આવ્યુ
2012 અને 2014માં પ્રદેશ પ્રમુખ કોણ બન્યુ? પ્રદેશ પ્રમુખ હટ્યા પછી કોણ બન્યુ ? આજે પ્રદેશ પ્રમુખ કોણ બન્યુ તેની ચિંતા ગુજરાતના લોકોએ કરવાની જરૂર છે. મારા ગઇકાલના રાજીનામા પછી ઘણા યુવાનોના ફોન આવ્યા તેમાં સૌથી પહેલા જવાબ હતો હાર્દિક પટેલ અભિનંદન. સારુ કામ કર્યુ કે તે આ પાર્ટી છોડી. છેલ્લા છ મહિનાથી પાર્ટીને કહુ છે કે ગુજરાતમાં 2021માં જ્યારે તાલુકા-જિલ્લાની ચૂંટણીમાં ભારતની અંદર પહેલી ગુજરાતની એવી ચૂંટણી હશે જેની અંદર કોંગ્રેસનુ થર્ડ ક્લાસ પ્રદર્શન સામે આવ્યુ. કારણ કે સારા વ્યક્તિની પાર્ટીમાં કોઇ જ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. માત્ર સાત-આઠ લોકો છેલ્લા 33થી વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચલાવે છે.
જાતે કંઇ કામ કરીએ તો કહે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા
ગુજરાતમાં એ માનસિકતા ઉભી થઇ ગઇ છે કે કોંગ્રેસ પાર્ટી માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે જનતા સાથે અન્યાય કરવાનું કામ કરે છે. 3 વર્ષમાં મે મારી જાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે, કોંગ્રેસ પાર્ટીએ મારી એક પણ પ્રેસ કોન્ફરન્સ રાખી હોય તેવુ બતાવો? જાતે કંઇ કામ કરીએ તો કહે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા. મારે દુખ સાથે કહેવુ પડે છે કે રાહુલજી જ્યારે-જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે તેમને ગુજરાતની સમસ્યા કે ગુજરાતના મુદ્દાને લઇને એક પણ વાત નથી કરી. અને નેતાઓ પણ મુદ્દા આપવા માટે ચિંતન ન કરે,રૂમમાં બેસીને એ ચર્ચા કરે કે રાહુલજીને આજે કઇ સેન્ડવિચ આપવાની છે ? ક્યો ડાઇટ કોક આપવાનો છે? અને આ વાતને દુખ લાગે છે. કોઇ રાષ્ટ્રીય નેતા ગુજરાતની મુલાકાતે આવે તો રાજ્યના એક એક મુદ્દાની જાણકારી આપવી જોઇએ. આજે મને એ વાત કહેતા દુખ લાગે કે મને એવુ હતુ કે એ સપના અને એ હિત સાથે જોડાવ કે જે લોકોના હિત માટે હોય.પરંતુ માત્રને માત્ર રૂમમાં બેસીને જાતીવાદની રાજનિતીથી ઉપર આવ્યા વગર કોઇ પણ પ્રકારનુ કામ મિંટીગમાં ન થાય. માત્ર એક જ વાત કે ઉત્તર ગુજરાતમાં ક્યા સમાજના નેતાને ટિકીટ આપવાથી કે ઉમેદવારી આપવાથી આપણને ફાયદો થાય. તેના સિવાય કોંગ્રેસમાં કોઇ ચર્ચા થતી ન હતી.
પ્રમુખ માટેની જાહેરાત કરવામાં આવી તો એના બ્રેકેટની અંદર જાતીનું વર્ણન કરવામાં આવે છે
મને દુખ ત્યારે લાગ્યુ જ્યારે દોઢ-બે મહિના પહેલા ગુજરાતના એક ડિપાર્ટમેન્ટમાં પ્રમુખ માટેની જાહેરાત કરવામાં આવી તો એના બ્રેકેટની અંદર જાતીનું વર્ણન કરવામાં આવે છે કે આ કઇ જાતીમાંથી આવે છે. એના મતલબ કે તમે સ્પષ્ટ કહેવા માંગો છો કે દલીત સમાજ, પટેલ સમાજની અંદર આટલા ભાત છે. ગુજરાતમાં આંદોલન થયુ પછી પાટીદારની ગણતરી કરવામાં આવે છે લેઉવા કે કડવા પટેલની નહીં. પરંતુ ગુજરાતની અંદર જે કોંગ્રેસના નેતા બેઠા છે તેઓ દિલ્હીની અંદર પ્રિડીક્શનો આપે છે કે લેઉવા કડવાથી રાજકારણના ભાગલા કરી દઇએ તો ઘણો ફરક પડી શકે.
માત્ર બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઇને લેવા માંગીએ છીએ
ગઇ કાલના મારા રાજીનામાં પછી આજે અમુક નેતાઓ રાજકોટ ચિંતનશિબીરમાં ગયા છે. ત્યાં અમારા સમાજના અગ્રણી નરેશ ભાઇને મળ્યા. મારે દુખ સાથે કહેવુ પડે કે 9:58 નરેશભાઇના ઘરની અંદર એન્ટ્રી કરી અને 10:10 તો બહાર આવી ગયા. માત્ર 12 મિનિટમાં એવી શું ચર્ચા કરી લીધી? માત્ર બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઇને લેવા માંગીએ છીએ. હુ બધા સમાજના લોકોને કહુ છે કે 2017માં અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે નિસ્વાર્થ ભાવે ભાજપની સામે એટલા માટે આંદોલન કરતા કારણ કે અમારા સમાજને ન્યાય આપવો છે. સત્તા હતી માટે આંદોલન કર્યુ.સત્તા હતી એટલે કેસ કર્યા અને જેલમાં પણ ગયો પરંતુ 10 ટકા અનામત કે પછી સ્વાવલંબન યોજના હોય આ સત્તામાં બેઠેલા લોકોએ જ આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શુ કર્યુ હતુ?
કોંગ્રેસે પાટીદાર સમાજ માટે વિચાર પણ નથી કર્યો
2017માં અમે દુખી હતા એટલા માટે સરકાર સામે આંદોલન કરતા હતા. પરંતુ 2017માં કોંગ્રેસે પાટીદાર સમાજ માટે વિચાર પણ નથી કર્યો. સરકારે મોટુ મન રાખી અનામત આપી અને તેનો લાભ ગુજરાતનાં લોકો લઇ રહ્યા છીએ. મારી વાત સ્પષ્ટ છે ગઇ કાલે રઘુશર્માનુ ઇન્ટરવ્યુ સાંભળ્યુ તે કહે છે કે 2017ની ચૂંટણીમાં આંદોલન કરવાથી કોઇ ફાયદો નથી થયો. કદાચ રઘુશર્મા નવા રાજસ્થાનથી આવ્યા એટલે ભૂલી ગયા હશે કે 1990 પછી ગુજરાતની અંદર 65 સીટથી ઉપર કોંગ્રેસ પાર્ટીને આવી હતી અને એમાંથી 17 સીટ એવી હતી કે 1984માં ઇન્દીરા ગાંધીની હત્યા થયા બાદ 1985માં જે ચૂંટણી આવી તેમાં એ 17 સીટ જીતી શક્યા ન હતા તે 2017માં જીત્યા હતા.
મેં ગુજરાત કોંગ્રેસને આપ્યુ છે લીધુ નથી
એટલે ક્યાંયને ક્યાંય કોંગ્રેસ પાર્ટી ન તો ગુજરાતનું સારુ કરવા માંગે છે કે ન તો ગુજરાતના લોકોનું.રાહુલ ગાંધી અને પ્રિંયકા જીને વારંવાર ગુજરાતના એક એક મુદ્દાને લઇને અમે મેસેઝ કર્યા છે વાત કરી છે. મેં ગુજરાત કોંગ્રેસને આપ્યુ છે લીધુ નથી. મહેનત કરીને,તાકાત બતાવી ત્યારે રાજ્યમાં વિપક્ષે કાર્યકારીની જવાબદારી આપી હતી. પરંતુ કાર્યકારીને કોઇ કામ આપવામાં ન આવે,બેનરમાં ફોટો લગાવવામાં ન આવે તો આ પદ કોઇ કામનું નથી. મારે મારા મનથી મેં કોંગ્રેસ પાર્ટી છોડી અને રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ. દુખ સાથે નહી હિંમત સાથે આ નિર્ણય લીધો છે જે લોકો તમને કામ જ ન કરવા દેવાના હોય તેવા લોકો સાથે બેસવાનો કોઇ મતલબ જ નથી.
એક વખત રાજીવગાંધી ભવને જઇને બેસો તમને ખ્યાલ આવી જશે કોંગ્રેસ ક્યાં છે
યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસ મૂર્ખ કહેવાય જેણે મારા કહેવાથી ટિકીટ આપી.મારા સાથીઓનુ કહુ છે જો તમારે કોંગ્રેસ જોવી હોય તો દૂરથી ન જુઓ. એક વખત રાજીવગાંધી ભવને જઇને બેસો તમને ખ્યાલ આવી જશે કોંગ્રેસ ક્યાં છે. ત્યારે ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે.
3 વર્ષ બગાડીને દુખ વ્યકત કરુ છુ કે લોકો માટે જે સારુ કામ કરવાનુ હતુ એ ન કરી શક્યો
કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય તે જ કામ કરે છે. મેં મારા જીવનના 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. જો રાજકારણમાં ન જોડાયો હોત અને એમ જ લોકો માટે કામ કર્યુ હોત તો હુ લોકોને ફાયદો અપાવી શક્યો હતો. 3 વર્ષ બગાડીને દુખ વ્યકત કરુ છુ કે લોકો માટે જે સારુ કામ કરવાનુ હતુ એ ન કરી શક્યો. ભવિષ્યમાં પણ ગુજરાત અને સમાજના લોકોને માટે સર્વશ્રેષ્ઠ કામ કરવાનો પ્રયાસ કરીશ.
WatchGujarat. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમ વખત મિડીયા સાથે વાત કરી હતી. દરમિયાન ખુલ્લા મને હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ કે, 2015માં જ્યારે આંદોલનની શરૂઆત કરી ત્યારથી લઇને 2019 સુધી ખૂબ જ ઇમાનદારીથી ખૂબ હ્રદયની ભાવનાથી અને મન ચોખ્ખુ રાખીને ગુજરાતના અસંખ્ય લોકોના અધિકાર માટે આંદોલન કર્યુ હતુ. આ આંદોલનની શરૂઆતમાં એ સમયના પરિબળો એ સમયની પ્રક્રિયા સ્વભાવિક રીતે સરકારની વિરૂદ્ધમાં હતી અને જનતાના અધિકાર માટે સરકારની વિરૂદ્ધમાં લડાઇ લડ્યા. અને તે સમયે ગુજરાતના અસંખ્ય યુવાનોને સાથે રાખીને ગુજરાતના ગરીબ સર્વણ સમાજને 10 ટકા અનામત આપવાનુ કામ કર્યુ હતુ. એ પછી અનામતનો લાભ મળ્યો એ પછી એવી આશા અને અપેક્ષા હતી કે ગુજરાતની અંદર વગર સત્તાએ,વગર પદે જો ગુજરાતના લોકોના સન્માનની અને ન્યાયની વાત કરી શકાય તો સ્વાભાવિક છે કે રાજકારણમાં જવુ જોઇએ. અને આ જ હેતુ સાથે 2019-માર્ચમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. કોંગ્રેસમાં જોડાયો ત્યારે એ સપનુ હતુ કે જે હિત સાથે કોંગ્રેસમાં આવ્યો છુ. તો નિશ્ચિત રીતે ગુજરાતના લોકોની વાત સારી રીતે કરી શકીશ.
માત્ર હાર્દિક પટેલથી જ નહી મારા જેવા અસંખ્ય યુવાનો નિષ્ઠાપૂર્વક ગુજરાતમાં સારુ કરવાનો પ્રયાસ કર્યો
2015 અને 2017 આ બન્ને વર્ષમાં તાલુકા-જિલ્લા હોય કે વિધાનસભાની ચૂંટણીઓ એવી હતી કે મારા જેવા અસંખ્ય યુવાનોએ જનતાની અંદર એક વિશ્વાસ પેદા કરીને,વિપક્ષ હોય તો કંઇક થઇ શકે તેવા અવાજ સાથે અમે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને ફાયદો કરાવ્યો હતો. માત્ર હાર્દિક પટેલથી જ નહી મારા જેવા અસંખ્ય યુવાનો નિષ્ઠાપૂર્વક ગુજરાતમાં સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. 2019માં આજ ભાવના સાથે હુ કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે ખબર પડી કે જ્યાં સુધી ભોગવો નહી ત્યાં સુધી ખબર પડે નહીં.
અન્ય રાજ્યમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી નક્કી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં નથી
2019થી 2022 આ ત્રણ વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને નજીકથી જાણી,સમજી,પાર્ટીની વિચારધારા,પ્રક્રિયા ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્રને માત્ર જાતિવાદની નિતી છે. આ ત્રણ વર્ષના સમયગાળામાં એક વર્ષ પ્રજાની વચ્ચે જઇને કામ કર્યુ પછીના બે વર્ષમાં કાર્યકારી પ્રમુખ બનાવ્યો પરંતુ કોઇ જ જવાબદારી નક્કી કરવામાં આવી ન હતી. અન્ય રાજ્યમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી નક્કી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં નથી.
હાર્દિક તારા જેવા યુવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં આવે તો પાર્ટીનુ સારુ થશે
2015માં અમે મજબૂત રીતે જે આંદોલન ઉભુ કર્યુ તેનો સ્વાભાવિક રીતે ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો હતો. આજે જ્યારે કોંગ્રેસ પાર્ટી થકી ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક પણ જવાબદારી મને નથી આપી. નવાઇ સાથે કહુ છુ કે જ્યારે કોંગ્રેસમાં જોડાયો ન હતો ત્યારે જે મિડીયામાં મોટી-મોટી વાતો કરે છે એ અમને કહેતા કે હાર્દિક તારા જેવા યુવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં આવે તો પાર્ટીનુ સારુ થશે. તારા જેવા યુવાનની પાર્ટીમાં જરૂર છે જ્યારે છેલ્લા એક મહિનાથી પાર્ટીની અંદર વિપરીત બાબતો અંગે ચર્ચા કરી ત્યારે આ જ બધા પાંચ-છ નેતાઓ પોતાની મન-મરજીથી મિડીયા સામે ચર્ચા વિચારણા કરવા લાગ્યા.
1972માં ચિમનભાઇને પણ આવી જ રીતે અપમાનીત કરીને હટાવી દેવામાં આવ્યા હતા
ગુજરાતની અંદર માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી. અસંખ્ય યુવાનો,નેતાઓ અને ધારાસભ્ય એવા છે કે જેને પોતાની પરિસ્થિતિને એવી હદે મૂકી દીધી છે કે માત્રને માત્ર કોંગ્રેસ પાર્ટી તેનો ઉપયોગ કરવા માંગે છે અને સમય આવે એટલે એ લોકોને ફેંકી દેવાનુ કામ પાર્ટી કરે છે.આ શરૂઆત 2022માં માત્ર હાર્દિક પટેલ જોડે નથી થઇ પરંતુ 1972માં ચિમનભાઇને પણ આવી જ રીતે અપમાનીત કરીને હટાવી દેવામાં આવ્યા હતા. 2012ની ચૂંટણીમાં નરહરી અમીનને પણ આમ જ હટાવવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે ગુજરાતની અંદર કોઇ મજબૂત આગેવાન, કે મજબૂત પાટીદાર કે કોઇ પણ અન્ય સમાજનો વ્યક્તિ જ્યારે કોંગ્રેસની અંદર મજબૂતાઇથી અવાજ બને ત્યારે માત્ર તેને હટાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યુ છે.
સાચી વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પાર્ટીએ બદનામ કર્યો
2002થી લઇને 2022ના સમયગાળામાં જેટલા પણ પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના નેતા બન્યા છે તેમાંથી એક ફેમીલી અને એક જ વ્યક્તિ સાથે અરસ-પરસ કોંગ્રેસની પાર્ટી ફરતી રહી છે. એટલે જ્યારે પણ સાચી વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પાર્ટીએ બદનામ કરવાનો અને મિડીયાની અંદર અમારા વિરૂદ્ધ ખોટા સમાચાર ફેલાવાનુ કામ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ કર્યુ છે.
2002થી લઇને 2022 સુધીમાં 117 લોકોએ પાર્ટી છોડી
મારે ખૂબ દુખ સાથે કહેવુ પડે છે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ કે અન્ય સમાજ કેમ ન હોય બધા સાથે અન્યાય થાય છે અને તમામ લોકોને ગુજરાતની અંદર વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કોઇ પાર્ટી છોડે જ્યારે એવુ કહે છે કે આ વહેંચાઇ ગયો છે,ડરી ગયો છે. 2002થી લઇને 2022 સુધીમાં 117 લોકોએ પાર્ટી છોડી,એમાં 27થી વધુ ધારાસભ્યએ પાર્ટી છોડી,12થી વધુ પૂર્વ લોકસભાના સભ્યએ પાર્ટી છોડી અને પૂર્વ ધારાસભ્ય 42 જેટલા લોકોએ પાર્ટી છોડી ત્યારે તમારી જાત ઉપર ચિંતન કરવાની જરૂર છે. ઉદયપુરમાં બેસીને શિબીર કરવાની જરૂર નથી.
ગુજરાતમાં 2021ની ચુંટણીઓમાં કોંગ્રેસનુ થર્ડ ક્લાસ પ્રદર્શન સામે આવ્યુ
2012 અને 2014માં પ્રદેશ પ્રમુખ કોણ બન્યુ? પ્રદેશ પ્રમુખ હટ્યા પછી કોણ બન્યુ ? આજે પ્રદેશ પ્રમુખ કોણ બન્યુ તેની ચિંતા ગુજરાતના લોકોએ કરવાની જરૂર છે. મારા ગઇકાલના રાજીનામા પછી ઘણા યુવાનોના ફોન આવ્યા તેમાં સૌથી પહેલા જવાબ હતો હાર્દિક પટેલ અભિનંદન. સારુ કામ કર્યુ કે તે આ પાર્ટી છોડી. છેલ્લા છ મહિનાથી પાર્ટીને કહુ છે કે ગુજરાતમાં 2021માં જ્યારે તાલુકા-જિલ્લાની ચૂંટણીમાં ભારતની અંદર પહેલી ગુજરાતની એવી ચૂંટણી હશે જેની અંદર કોંગ્રેસનુ થર્ડ ક્લાસ પ્રદર્શન સામે આવ્યુ. કારણ કે સારા વ્યક્તિની પાર્ટીમાં કોઇ જ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. માત્ર સાત-આઠ લોકો છેલ્લા 33થી વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચલાવે છે.
જાતે કંઇ કામ કરીએ તો કહે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા
ગુજરાતમાં એ માનસિકતા ઉભી થઇ ગઇ છે કે કોંગ્રેસ પાર્ટી માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે જનતા સાથે અન્યાય કરવાનું કામ કરે છે. 3 વર્ષમાં મે મારી જાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે, કોંગ્રેસ પાર્ટીએ મારી એક પણ પ્રેસ કોન્ફરન્સ રાખી હોય તેવુ બતાવો? જાતે કંઇ કામ કરીએ તો કહે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા. મારે દુખ સાથે કહેવુ પડે છે કે રાહુલજી જ્યારે-જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે તેમને ગુજરાતની સમસ્યા કે ગુજરાતના મુદ્દાને લઇને એક પણ વાત નથી કરી. અને નેતાઓ પણ મુદ્દા આપવા માટે ચિંતન ન કરે,રૂમમાં બેસીને એ ચર્ચા કરે કે રાહુલજીને આજે કઇ સેન્ડવિચ આપવાની છે ? ક્યો ડાઇટ કોક આપવાનો છે? અને આ વાતને દુખ લાગે છે. કોઇ રાષ્ટ્રીય નેતા ગુજરાતની મુલાકાતે આવે તો રાજ્યના એક એક મુદ્દાની જાણકારી આપવી જોઇએ. આજે મને એ વાત કહેતા દુખ લાગે કે મને એવુ હતુ કે એ સપના અને એ હિત સાથે જોડાવ કે જે લોકોના હિત માટે હોય.પરંતુ માત્રને માત્ર રૂમમાં બેસીને જાતીવાદની રાજનિતીથી ઉપર આવ્યા વગર કોઇ પણ પ્રકારનુ કામ મિંટીગમાં ન થાય. માત્ર એક જ વાત કે ઉત્તર ગુજરાતમાં ક્યા સમાજના નેતાને ટિકીટ આપવાથી કે ઉમેદવારી આપવાથી આપણને ફાયદો થાય. તેના સિવાય કોંગ્રેસમાં કોઇ ચર્ચા થતી ન હતી.
પ્રમુખ માટેની જાહેરાત કરવામાં આવી તો એના બ્રેકેટની અંદર જાતીનું વર્ણન કરવામાં આવે છે
મને દુખ ત્યારે લાગ્યુ જ્યારે દોઢ-બે મહિના પહેલા ગુજરાતના એક ડિપાર્ટમેન્ટમાં પ્રમુખ માટેની જાહેરાત કરવામાં આવી તો એના બ્રેકેટની અંદર જાતીનું વર્ણન કરવામાં આવે છે કે આ કઇ જાતીમાંથી આવે છે. એના મતલબ કે તમે સ્પષ્ટ કહેવા માંગો છો કે દલીત સમાજ, પટેલ સમાજની અંદર આટલા ભાત છે. ગુજરાતમાં આંદોલન થયુ પછી પાટીદારની ગણતરી કરવામાં આવે છે લેઉવા કે કડવા પટેલની નહીં. પરંતુ ગુજરાતની અંદર જે કોંગ્રેસના નેતા બેઠા છે તેઓ દિલ્હીની અંદર પ્રિડીક્શનો આપે છે કે લેઉવા કડવાથી રાજકારણના ભાગલા કરી દઇએ તો ઘણો ફરક પડી શકે.
માત્ર બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઇને લેવા માંગીએ છીએ
ગઇ કાલના મારા રાજીનામાં પછી આજે અમુક નેતાઓ રાજકોટ ચિંતનશિબીરમાં ગયા છે. ત્યાં અમારા સમાજના અગ્રણી નરેશ ભાઇને મળ્યા. મારે દુખ સાથે કહેવુ પડે કે 9:58 નરેશભાઇના ઘરની અંદર એન્ટ્રી કરી અને 10:10 તો બહાર આવી ગયા. માત્ર 12 મિનિટમાં એવી શું ચર્ચા કરી લીધી? માત્ર બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઇને લેવા માંગીએ છીએ. હુ બધા સમાજના લોકોને કહુ છે કે 2017માં અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે નિસ્વાર્થ ભાવે ભાજપની સામે એટલા માટે આંદોલન કરતા કારણ કે અમારા સમાજને ન્યાય આપવો છે. સત્તા હતી માટે આંદોલન કર્યુ.સત્તા હતી એટલે કેસ કર્યા અને જેલમાં પણ ગયો પરંતુ 10 ટકા અનામત કે પછી સ્વાવલંબન યોજના હોય આ સત્તામાં બેઠેલા લોકોએ જ આપી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શુ કર્યુ હતુ?
કોંગ્રેસે પાટીદાર સમાજ માટે વિચાર પણ નથી કર્યો
2017માં અમે દુખી હતા એટલા માટે સરકાર સામે આંદોલન કરતા હતા. પરંતુ 2017માં કોંગ્રેસે પાટીદાર સમાજ માટે વિચાર પણ નથી કર્યો. સરકારે મોટુ મન રાખી અનામત આપી અને તેનો લાભ ગુજરાતનાં લોકો લઇ રહ્યા છીએ. મારી વાત સ્પષ્ટ છે ગઇ કાલે રઘુશર્માનુ ઇન્ટરવ્યુ સાંભળ્યુ તે કહે છે કે 2017ની ચૂંટણીમાં આંદોલન કરવાથી કોઇ ફાયદો નથી થયો. કદાચ રઘુશર્મા નવા રાજસ્થાનથી આવ્યા એટલે ભૂલી ગયા હશે કે 1990 પછી ગુજરાતની અંદર 65 સીટથી ઉપર કોંગ્રેસ પાર્ટીને આવી હતી અને એમાંથી 17 સીટ એવી હતી કે 1984માં ઇન્દીરા ગાંધીની હત્યા થયા બાદ 1985માં જે ચૂંટણી આવી તેમાં એ 17 સીટ જીતી શક્યા ન હતા તે 2017માં જીત્યા હતા.
મેં ગુજરાત કોંગ્રેસને આપ્યુ છે લીધુ નથી
એટલે ક્યાંયને ક્યાંય કોંગ્રેસ પાર્ટી ન તો ગુજરાતનું સારુ કરવા માંગે છે કે ન તો ગુજરાતના લોકોનું.રાહુલ ગાંધી અને પ્રિંયકા જીને વારંવાર ગુજરાતના એક એક મુદ્દાને લઇને અમે મેસેઝ કર્યા છે વાત કરી છે. મેં ગુજરાત કોંગ્રેસને આપ્યુ છે લીધુ નથી. મહેનત કરીને,તાકાત બતાવી ત્યારે રાજ્યમાં વિપક્ષે કાર્યકારીની જવાબદારી આપી હતી. પરંતુ કાર્યકારીને કોઇ કામ આપવામાં ન આવે,બેનરમાં ફોટો લગાવવામાં ન આવે તો આ પદ કોઇ કામનું નથી. મારે મારા મનથી મેં કોંગ્રેસ પાર્ટી છોડી અને રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ. દુખ સાથે નહી હિંમત સાથે આ નિર્ણય લીધો છે જે લોકો તમને કામ જ ન કરવા દેવાના હોય તેવા લોકો સાથે બેસવાનો કોઇ મતલબ જ નથી.
એક વખત રાજીવગાંધી ભવને જઇને બેસો તમને ખ્યાલ આવી જશે કોંગ્રેસ ક્યાં છે
યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસ મૂર્ખ કહેવાય જેણે મારા કહેવાથી ટિકીટ આપી.મારા સાથીઓનુ કહુ છે જો તમારે કોંગ્રેસ જોવી હોય તો દૂરથી ન જુઓ. એક વખત રાજીવગાંધી ભવને જઇને બેસો તમને ખ્યાલ આવી જશે કોંગ્રેસ ક્યાં છે. ત્યારે ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે.
3 વર્ષ બગાડીને દુખ વ્યકત કરુ છુ કે લોકો માટે જે સારુ કામ કરવાનુ હતુ એ ન કરી શક્યો
કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય તે જ કામ કરે છે. મેં મારા જીવનના 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. જો રાજકારણમાં ન જોડાયો હોત અને એમ જ લોકો માટે કામ કર્યુ હોત તો હુ લોકોને ફાયદો અપાવી શક્યો હતો. 3 વર્ષ બગાડીને દુખ વ્યકત કરુ છુ કે લોકો માટે જે સારુ કામ કરવાનુ હતુ એ ન કરી શક્યો. ભવિષ્યમાં પણ ગુજરાત અને સમાજના લોકોને માટે સર્વશ્રેષ્ઠ કામ કરવાનો પ્રયાસ કરીશ.