બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની દ્વિમાસિક પુણ્યતિથિ સંદર્ભે સોખડા મંદિરે 25 સપ્ટેમ્બરે હરિભક્તોની સત્સંગ સભા મળી હતી
કેટલાક હરિભક્તોએ પ્રબોધ સ્વામીને નવા ગાદીપતિ બનાવવા માંગ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો
સહર્ષ વિવાદનો અંત આણવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકબીજાને ગળે ભેટ્યા અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની વાત ખોટી સાબિત કરી
WatchGujarat. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈને સંતો અને હરિભક્તોમાં ભારે મુંજવણ હતી. બે દિવસ પહેલા સોખડ ખાતે આવેલા જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ સર્જાયો હતો. જો કે, પ્રેમ સ્વામીને ગાદીસોંપવાની વાતનો હરિપ્રસાદ સ્વામીજીનો વિડીયો વાયરલ થયો હતો. અને તેમના જ નેતૃત્વમાં મંદીરનો કાર્યભાર ચાલશે તેવી આગાહી watchgujarat.com દ્વારા સામયાંતરે કરવામાં આવી હતી. આજરોજ મંદિરના વરિષ્ઠ સંતો આજે એકઠા થયા હતા. અને પ્રેમ સ્વરૂપ સ્વામીને નેતૃત્વનો સહર્ષ સ્વિકાર કર્યો હતો.
https://youtu.be/MiBEkVBmuGs
બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની દ્વિમાસિક પુણ્યતિથિ સંદર્ભે સોખડા મંદિરે 25 સપ્ટેમ્બરે હરિભક્તોની સત્સંગ સભા મળી હતી. જેમાં કેટલાક હરિભક્તોએ પ્રબોધ સ્વામીને નવા ગાદીપતિ બનાવવા માંગ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ગતરોજ સંતો દ્વારા વિવાદનું ખંડન કરવામાં આવ્યું હતું. આજે સોખડા મંદિરના ત્યાગ વલ્લભ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકસાથે મીડિયા સામે આવ્યા હતા. જેમાં ત્રણેયે વિવાદ ખોટો હોવાની વાત કરી, સાથે જ તમામ સંતો એકજૂટ છે હોવાનું જણાવ્યું હતું.
ત્યાગવલ્લભ સ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે એટલે કે સોખડા મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીના નામની જાહેરાત કરવામાં આવી. સહર્ષ વિવાદનો અંત આણવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકબીજાને ગળે ભેટ્યા અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની વાત ખોટી સાબિત કરી આપી બતી. પ્રસંગે પ્રેમ સ્વરૂપ સ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને ગાદીપતિ બનવાની કોઈ લાલસા નથી, હરી પ્રસાદ સ્વામીજીની ઈચ્છા પ્રમાણે અમે તમામ સંતો એકસાથે કામ કરીશું. સંતો વચ્ચે કોઈ ફૂટ નહિ પડાવી શકે.
જ્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે, અમારી વચ્ચે વિવાદ હોવાની વાત એક અફવા છે, પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો આગળ કામ ધપાવશે. સંપ્રદાયને ક્યારેય કોઈ તોડી નહિ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોખડા મંદિરના નવા સુકાની તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું નામ આજે મીડિયા સામે જાહેર કરવામાં આવ્યું છે. Watchgujarat.com પહેલા દિવસથી જ પ્રેમ સ્વરૂપ સ્વામીજી સોખડાનું સુકાન સંભાળશે તેવો અહેવાલ જાહેર કર્યો હતો. હવે આ મામલે નવો કોઇ વિવાદ થાય છે કે, સૌ કોઇ ભક્તો પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો સહર્ષ સ્વિકાર કરે છે તે જોવું રહ્યું.
બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની દ્વિમાસિક પુણ્યતિથિ સંદર્ભે સોખડા મંદિરે 25 સપ્ટેમ્બરે હરિભક્તોની સત્સંગ સભા મળી હતી
કેટલાક હરિભક્તોએ પ્રબોધ સ્વામીને નવા ગાદીપતિ બનાવવા માંગ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો
સહર્ષ વિવાદનો અંત આણવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકબીજાને ગળે ભેટ્યા અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની વાત ખોટી સાબિત કરી
WatchGujarat. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈને સંતો અને હરિભક્તોમાં ભારે મુંજવણ હતી. બે દિવસ પહેલા સોખડ ખાતે આવેલા જેમાં કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ સર્જાયો હતો. જો કે, પ્રેમ સ્વામીને ગાદીસોંપવાની વાતનો હરિપ્રસાદ સ્વામીજીનો વિડીયો વાયરલ થયો હતો. અને તેમના જ નેતૃત્વમાં મંદીરનો કાર્યભાર ચાલશે તેવી આગાહી watchgujarat.com દ્વારા સામયાંતરે કરવામાં આવી હતી. આજરોજ મંદિરના વરિષ્ઠ સંતો આજે એકઠા થયા હતા. અને પ્રેમ સ્વરૂપ સ્વામીને નેતૃત્વનો સહર્ષ સ્વિકાર કર્યો હતો.
બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની દ્વિમાસિક પુણ્યતિથિ સંદર્ભે સોખડા મંદિરે 25 સપ્ટેમ્બરે હરિભક્તોની સત્સંગ સભા મળી હતી. જેમાં કેટલાક હરિભક્તોએ પ્રબોધ સ્વામીને નવા ગાદીપતિ બનાવવા માંગ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ગતરોજ સંતો દ્વારા વિવાદનું ખંડન કરવામાં આવ્યું હતું. આજે સોખડા મંદિરના ત્યાગ વલ્લભ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકસાથે મીડિયા સામે આવ્યા હતા. જેમાં ત્રણેયે વિવાદ ખોટો હોવાની વાત કરી, સાથે જ તમામ સંતો એકજૂટ છે હોવાનું જણાવ્યું હતું.
ત્યાગવલ્લભ સ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે એટલે કે સોખડા મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીના નામની જાહેરાત કરવામાં આવી. સહર્ષ વિવાદનો અંત આણવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એકબીજાને ગળે ભેટ્યા અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની વાત ખોટી સાબિત કરી આપી બતી. પ્રસંગે પ્રેમ સ્વરૂપ સ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને ગાદીપતિ બનવાની કોઈ લાલસા નથી, હરી પ્રસાદ સ્વામીજીની ઈચ્છા પ્રમાણે અમે તમામ સંતો એકસાથે કામ કરીશું. સંતો વચ્ચે કોઈ ફૂટ નહિ પડાવી શકે.
જ્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે, અમારી વચ્ચે વિવાદ હોવાની વાત એક અફવા છે, પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો આગળ કામ ધપાવશે. સંપ્રદાયને ક્યારેય કોઈ તોડી નહિ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોખડા મંદિરના નવા સુકાની તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું નામ આજે મીડિયા સામે જાહેર કરવામાં આવ્યું છે. Watchgujarat.com પહેલા દિવસથી જ પ્રેમ સ્વરૂપ સ્વામીજી સોખડાનું સુકાન સંભાળશે તેવો અહેવાલ જાહેર કર્યો હતો. હવે આ મામલે નવો કોઇ વિવાદ થાય છે કે, સૌ કોઇ ભક્તો પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો સહર્ષ સ્વિકાર કરે છે તે જોવું રહ્યું.