કૌભાંડ જેની નિશ્રા હેઠળ થયાની ચર્ચા છે તેનો હજુ વાળ વાંકો નથી થયો
પેપરલીકમાં જવાબદાર મોટા માથાનું નામ ક્યારે ખુલશે ?
આ કાંડમાં હજુ સુધી કોઇ મોટા માથાનું નામ બહાર આવ્યું નથી
WatchGujarat.લાખ્ખો યુવાનોના સ્વપ્ન રોળી દેતા સરકારી ભરતી કૌભાંડનો સિલસિલો તો અવિરત ચાલ્યા કરે છે અને જેમની નિશ્રા હેઠળ આ કાંડ થતાં રહ્યા તેમના વાળ સુદ્ધાં વાંકા થતા નથી. બિન-સચિવાલય ભરતીની જેમ હેડ ક્લાર્કના પેપરલીક કાંડમાં થયું. આ પેપર લીક કાંડના 30 દિવસમાં ૩૨ની ધરપકડ થઇ ગઇ પણ ગૌણ સેવા ભરતી મંડળના ચેરમેન અને ભાજપ આશ્રિત આસિત વોરાની સંડોવણીની ભરપૂર ચર્ચા અને તમામ સંયોગિક પુરાવા હોવા છતાં તેઓ હેમખેમ રહ્યાં છે.
પકડાયેલા 32 આરોપીઓ સામે પણ કેવી કાર્યવાહી કરાઇ તેનો પણ ફોડ પાડવામાં આવ્યો નથી. ત્યારે રાજ્યના 88 હજાર પરિવારો સરકારને સવાલ કરી રહ્યા છે કે પેપરલીકમાં જવાબદાર મોટા માથાનું નામ ક્યારે ખુલશે ? અને તેની સામે પગલાં ક્યારે ભરાશે ?
હેડક્લાર્કના પેપરલીક કાંડ કેસમાં આરંભે કોઇ ચમરબંધીને છોડાશે નહીં તેવો રાગ સરકાર આલાપતી હતી. પરંતુ પેપરલીકને એક માસ જેટલો સમય વીતી ગયો પણ અત્યારસુધી પકડાયેલા 32 આરોપીઓ માત્રને માત્ર વચેટીયા, દલાલો અને પરિક્ષાર્થીઓ જ છે. આ કાંડમાં હજુ સુધી કોઇ મોટા માથાનું નામ બહાર આવ્યું નથી. ગૌણ સેવા મંડળના ચેરમેન અને ભાજપ આશ્રિત અસિત વોરાની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં સરકારે ક્લિનચીટ આપી દીધી છે. બીજી તરફ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત સામે પણ કોઇ તપાસ કરાઇ નહોતી અન તે હાઇ કોર્ટમાં જઇને ધરપકડ ઉપર સ્ટે લઇ આવ્યો હતો. મુદ્રેશ પુરોહિતનો ગુનાહિત ઇતિહાસ હોવા છતાં વોરાએ તેમને પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તે રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. રાજ્યના 88 હજાર પરિવારો સાથે અન્યાય છતાં હજુ આ કાંડમાં પડદા પાછળના મોટા માથાનું નામ બહાર આવ્યું નથી. આસિત વોરા શંકાના દાયરામાં હોવા છતાં આજ દિન સુધી તેમની સામે તપાસ કરાઇ નથી. એટલે ભાજપ આશ્રિત હોવાના લીધે આસિત વોરા સામે કોઇ તપાસ કરાતી ન હોવાની ચર્ચા પણ વેગવંતી બની છે.
કૌભાંડ જેની નિશ્રા હેઠળ થયાની ચર્ચા છે તેનો હજુ વાળ વાંકો નથી થયો
પેપરલીકમાં જવાબદાર મોટા માથાનું નામ ક્યારે ખુલશે ?
આ કાંડમાં હજુ સુધી કોઇ મોટા માથાનું નામ બહાર આવ્યું નથી
WatchGujarat.લાખ્ખો યુવાનોના સ્વપ્ન રોળી દેતા સરકારી ભરતી કૌભાંડનો સિલસિલો તો અવિરત ચાલ્યા કરે છે અને જેમની નિશ્રા હેઠળ આ કાંડ થતાં રહ્યા તેમના વાળ સુદ્ધાં વાંકા થતા નથી. બિન-સચિવાલય ભરતીની જેમ હેડ ક્લાર્કના પેપરલીક કાંડમાં થયું. આ પેપર લીક કાંડના 30 દિવસમાં ૩૨ની ધરપકડ થઇ ગઇ પણ ગૌણ સેવા ભરતી મંડળના ચેરમેન અને ભાજપ આશ્રિત આસિત વોરાની સંડોવણીની ભરપૂર ચર્ચા અને તમામ સંયોગિક પુરાવા હોવા છતાં તેઓ હેમખેમ રહ્યાં છે.
પકડાયેલા 32 આરોપીઓ સામે પણ કેવી કાર્યવાહી કરાઇ તેનો પણ ફોડ પાડવામાં આવ્યો નથી. ત્યારે રાજ્યના 88 હજાર પરિવારો સરકારને સવાલ કરી રહ્યા છે કે પેપરલીકમાં જવાબદાર મોટા માથાનું નામ ક્યારે ખુલશે ? અને તેની સામે પગલાં ક્યારે ભરાશે ?
હેડક્લાર્કના પેપરલીક કાંડ કેસમાં આરંભે કોઇ ચમરબંધીને છોડાશે નહીં તેવો રાગ સરકાર આલાપતી હતી. પરંતુ પેપરલીકને એક માસ જેટલો સમય વીતી ગયો પણ અત્યારસુધી પકડાયેલા 32 આરોપીઓ માત્રને માત્ર વચેટીયા, દલાલો અને પરિક્ષાર્થીઓ જ છે. આ કાંડમાં હજુ સુધી કોઇ મોટા માથાનું નામ બહાર આવ્યું નથી. ગૌણ સેવા મંડળના ચેરમેન અને ભાજપ આશ્રિત અસિત વોરાની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં સરકારે ક્લિનચીટ આપી દીધી છે. બીજી તરફ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત સામે પણ કોઇ તપાસ કરાઇ નહોતી અન તે હાઇ કોર્ટમાં જઇને ધરપકડ ઉપર સ્ટે લઇ આવ્યો હતો. મુદ્રેશ પુરોહિતનો ગુનાહિત ઇતિહાસ હોવા છતાં વોરાએ તેમને પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તે રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. રાજ્યના 88 હજાર પરિવારો સાથે અન્યાય છતાં હજુ આ કાંડમાં પડદા પાછળના મોટા માથાનું નામ બહાર આવ્યું નથી. આસિત વોરા શંકાના દાયરામાં હોવા છતાં આજ દિન સુધી તેમની સામે તપાસ કરાઇ નથી. એટલે ભાજપ આશ્રિત હોવાના લીધે આસિત વોરા સામે કોઇ તપાસ કરાતી ન હોવાની ચર્ચા પણ વેગવંતી બની છે.