WatchGujarat. ઓછી શારિરીક પ્રવૃત્તિ અને બેઠાડુ જિંદગીએ પેટની મુશ્કેલીઓ વધારી છે. ભુખ ઓછી લાગવી, ગેસ તેમજ પેટ ફુલવાની સમસ્યા તે બધામાં કેટલાક ફુડ રાહત આપી શકે છે. તમે ક્યારેક વિચારશો કે હું ઓછુ ખાઉં છુ છતા વજન કેમ ઉતરતુ નથી. આ બધી સમસ્યાઓનુ મુળ પેટમાં છે. કહેવાય છે કે દરેક રોગનુ મુળ પેટ જ છે. આ વસ્તુઓનુ સેવન કરશો તો ગેસ જેવી સમસ્યાઓમાંથી થોડી રાહત ચોક્કસ મળશે.
છાશનું સેવન
જ્યારે જરૂરિયાત કરતા વધારે ભોજન કરો ત્યારે પેટમાં ગેસની સમસ્યા સતાવી શકે છે. છાશની અંદર લેક્ટિક એસિડ હોવાથી ગેસ્ટ્રિક એસિડિટીથી તમને રાહત મળી શકે છે.
ગેસ થાય ત્યારે કેળાનું સેવન કરો
વર્ષોથી એસિડિટી અથવા ગેસમાંથી રાહત મેળવવા માટે લોકો કેળાનો ઉપયોગ કરે છે. કેળામાં પ્રાકૃતિક એન્ટાસિડ હોય છે જે એસિડ રિફ્લક્સને રોકવામાં સહાયતા કરી શકે છે. ગેસમાંથી રાહત મેળવવા માટે તમારે દરરોજ કેળા ખાવા જોઈએ.
એપ્પલ સાઈડર વિનેગર
શરીરમાં ઘણીવખત એસિડ રિફ્લક્સના કારણે પેટમાં એસિડની અછતનું જ પરિણામ હોય છે. તેવામાં એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. જેના માટે તમારે માત્ર એક કપ પાણીમાં 2 ચમચી અનફિલ્ટર્ડ એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરવાનો છે. તેનું 2 વખત સેવન કરવાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યામાંથી રાહત મળશે.
જમવામાં લવિંગનો ઉપયોગ કરવો
લવિંગનું સેવન તમારી તબિયત પર સકારાત્મક અસર પાડી શકે છે. જે ગેસના વિકાસને રોકવામાં મદદ કરે છે. જ્યારે તમે રાજમા બનાવો ત્યારે લવિંગનો ઉપયોગ કરી શકો છો.
જીરું અને પાણી મિક્સ કરીને પી જાઓ
જમ્યા પછી શેકેલા જીરાને ક્રશ કરો અને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાઓ. અથવા ગરમ પાણીમાં એક ચમચી જીરું નાખીને પી જાઓ.
તજની ચાથી દૂર કરો પેટનો ગેસ
તજ શરીરના વિવિધ અંગો માટે ફાયદાકારક છે. જે પ્રાકૃતિક એન્ટાસિડરૂપે કામ કરે છે અને પાચનને વધારે સારું કરતા પેટને શાંત રાખવામાં મદદ કરે છે. માટે દરરોજ તજની ચા પી શકો છો.
ગરમ પાણી સાથે તુલસીના પાંદડાનું સેવન કરો
તુલસીના 3થી 4 પાંદડા ખાવાથી પેટમાં ગેસની સમસ્યામાંથી રાહત મળી શકે છે. તમે ગરમ પાણીમાં તુલસીના પાંદડા નાખીને તેનું સેવન કરી શકો છો.
(નોંધ - આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. કોઇ પણ શારીરિક સમસ્યા હોય તો તબિબિ માર્ગદર્શનમાં જ કોઇ પણ ઉપચાર કરવો હિતાવહ છે.)
WatchGujarat. ઓછી શારિરીક પ્રવૃત્તિ અને બેઠાડુ જિંદગીએ પેટની મુશ્કેલીઓ વધારી છે. ભુખ ઓછી લાગવી, ગેસ તેમજ પેટ ફુલવાની સમસ્યા તે બધામાં કેટલાક ફુડ રાહત આપી શકે છે. તમે ક્યારેક વિચારશો કે હું ઓછુ ખાઉં છુ છતા વજન કેમ ઉતરતુ નથી. આ બધી સમસ્યાઓનુ મુળ પેટમાં છે. કહેવાય છે કે દરેક રોગનુ મુળ પેટ જ છે. આ વસ્તુઓનુ સેવન કરશો તો ગેસ જેવી સમસ્યાઓમાંથી થોડી રાહત ચોક્કસ મળશે.
છાશનું સેવન
જ્યારે જરૂરિયાત કરતા વધારે ભોજન કરો ત્યારે પેટમાં ગેસની સમસ્યા સતાવી શકે છે. છાશની અંદર લેક્ટિક એસિડ હોવાથી ગેસ્ટ્રિક એસિડિટીથી તમને રાહત મળી શકે છે.
ગેસ થાય ત્યારે કેળાનું સેવન કરો
વર્ષોથી એસિડિટી અથવા ગેસમાંથી રાહત મેળવવા માટે લોકો કેળાનો ઉપયોગ કરે છે. કેળામાં પ્રાકૃતિક એન્ટાસિડ હોય છે જે એસિડ રિફ્લક્સને રોકવામાં સહાયતા કરી શકે છે. ગેસમાંથી રાહત મેળવવા માટે તમારે દરરોજ કેળા ખાવા જોઈએ.
એપ્પલ સાઈડર વિનેગર
શરીરમાં ઘણીવખત એસિડ રિફ્લક્સના કારણે પેટમાં એસિડની અછતનું જ પરિણામ હોય છે. તેવામાં એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. જેના માટે તમારે માત્ર એક કપ પાણીમાં 2 ચમચી અનફિલ્ટર્ડ એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરવાનો છે. તેનું 2 વખત સેવન કરવાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યામાંથી રાહત મળશે.
જમવામાં લવિંગનો ઉપયોગ કરવો
લવિંગનું સેવન તમારી તબિયત પર સકારાત્મક અસર પાડી શકે છે. જે ગેસના વિકાસને રોકવામાં મદદ કરે છે. જ્યારે તમે રાજમા બનાવો ત્યારે લવિંગનો ઉપયોગ કરી શકો છો.
જીરું અને પાણી મિક્સ કરીને પી જાઓ
જમ્યા પછી શેકેલા જીરાને ક્રશ કરો અને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાઓ. અથવા ગરમ પાણીમાં એક ચમચી જીરું નાખીને પી જાઓ.
તજની ચાથી દૂર કરો પેટનો ગેસ
તજ શરીરના વિવિધ અંગો માટે ફાયદાકારક છે. જે પ્રાકૃતિક એન્ટાસિડરૂપે કામ કરે છે અને પાચનને વધારે સારું કરતા પેટને શાંત રાખવામાં મદદ કરે છે. માટે દરરોજ તજની ચા પી શકો છો.
ગરમ પાણી સાથે તુલસીના પાંદડાનું સેવન કરો
તુલસીના 3થી 4 પાંદડા ખાવાથી પેટમાં ગેસની સમસ્યામાંથી રાહત મળી શકે છે. તમે ગરમ પાણીમાં તુલસીના પાંદડા નાખીને તેનું સેવન કરી શકો છો.
(નોંધ - આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. કોઇ પણ શારીરિક સમસ્યા હોય તો તબિબિ માર્ગદર્શનમાં જ કોઇ પણ ઉપચાર કરવો હિતાવહ છે.)