WatchGujarat. કરીના તેના લાડલા દીકરા તૈમુરને હેલ્ધી નાસ્તો કરાવે છે શું તમારે પણ તમારા બાળકોને હેલધી નાસ્તો કરાવવા ઈચ્છઓ છો? જો હા, તો જાણો બાળકો માટે અત્યંત હેલધી ખોરાક.
આજની ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરની ઓળખ તરીકે જ નહી પણ બે બાળકોની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે કરીના પોતાના સવાસ્થ્યની સાથે સાથે પોતાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ પુરેપુરુ ધ્યાન આપે છે . હાલમાં જ તેણે પોતાના મોટા દીકરા તૈમુરની નાસ્તાની ડીશનો ફોટો સોશિયલ મીડિયા પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પ્લેટ માં જોવા મળતા વિવિધ ફળો સમારીને મોકવામાં આવ્યા હતા.જેમાં કરીના કપૂરે ફોટો શેર કરીને કહ્યું છે કે ટિમની પ્લેટ હંમેશા ભરેલી હોઈ છે જેમાં કેળું, પપૈયું અને સફરજન મુકવામાં આવ્યા હતા.તે પહેલા કરીનાએ તૈમુર માટે હેલ્ધી અને નુટ્રિશનથી ભરપૂર ડાયટની ડિટેલ શેર કરી હતી. જેમાં લીલા શાકભાજીથી ભરેલી પ્લેટનો ફોટો શેર કર્યો હતો.અહીંયા નીચે મુજબ કેટલાક ફળોનું નુટ્રિશનનું પ્રમાણ અને તેના ફાયદા દશાવ્યા છે.
- કેળાની વાત કરીએ તો કેળામાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે જેનાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલુ રહે છે. કેળું સરળતાથી પચી જાય છે માટે બાળકોના પાચન તંત્ર માટે યોગ્ય છે. ફાઈબર યુક્ત ખોરાકને કારણે કાર્ડિયોવસ્ક્યુલર રોગો અને કોરોનરી હાર્ટ રોગોનું જોખમ ઓછું થાય છે. કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામીન બી6 અને મેંગનીઝ હોય છે. બ્લડ પ્રેશર માટે પણ કેળું ફાયદાકારક છે.
- પપૈયાની વાત કરીએ તો તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને કોલેસ્ટ્રોલ પણ નથી હોતું. પપૈયામાં અનેક પ્રકારના વિટામિન, ખનિજ પદાર્થ અને ફાઈટો ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી પેટ સાફ રહે છે અને બાળકોને કબજિયાત નથી થતું. પપૈયામાં ક્રિપ્ટોઝેંથીન, ઝી-એક્ઝેન્થિલ અને બીટા-કેરોટીન હોય છે. તેમાં ભરપુર પ્રમાણમાં વિટામિન એ પણ હોય છે જે બાળકોની ત્વચા અને આંખોની રોશની માટે ફાયદાકાર હોય છે. પપૈયામાં વિટામીન બી કોમ્પેલ્ક્સ અને ફોલિક એસિડ હોય છે. પપૈયામાં ઉપલબ્ધ પોટેશિયમ બાળકના વિકાસ માટે જરુરી હોય છે.
- સફરજન કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેનાથી બાળકોને એનર્જી મળે છે અને તે દિવસભર સક્રિય રહે છે. તેમાં વિટામિન સી, ફાઈબર અને ફાઈટોકેમિકલ પણ હોય છે. સફરજનમાં ડાયટ્રી ફાયબર પણ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. સફરજનમાં એન્ટીઓક્સીડન્ટ અને ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ પણ હોય છે જે આંખો માટે સારા હોય છે. જો ડાયેરિયા થઈ ગયો હોય તો સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય સફરજનમાં શુગર લેવલ પણ બેલેન્સ હોય છે, જે ડાયાબિટિસને દૂર રાખે છે. તેમાં વિટામિન સી હોય છે જે હાડકાં મજબૂત કરવાની સાથે સાથે ઘા રુઝાવવામાં પણ મદદ કરે છે.
WatchGujarat. કરીના તેના લાડલા દીકરા તૈમુરને હેલ્ધી નાસ્તો કરાવે છે શું તમારે પણ તમારા બાળકોને હેલધી નાસ્તો કરાવવા ઈચ્છઓ છો? જો હા, તો જાણો બાળકો માટે અત્યંત હેલધી ખોરાક.
આજની ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરની ઓળખ તરીકે જ નહી પણ બે બાળકોની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે કરીના પોતાના સવાસ્થ્યની સાથે સાથે પોતાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ પુરેપુરુ ધ્યાન આપે છે . હાલમાં જ તેણે પોતાના મોટા દીકરા તૈમુરની નાસ્તાની ડીશનો ફોટો સોશિયલ મીડિયા પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પ્લેટ માં જોવા મળતા વિવિધ ફળો સમારીને મોકવામાં આવ્યા હતા.જેમાં કરીના કપૂરે ફોટો શેર કરીને કહ્યું છે કે ટિમની પ્લેટ હંમેશા ભરેલી હોઈ છે જેમાં કેળું, પપૈયું અને સફરજન મુકવામાં આવ્યા હતા.તે પહેલા કરીનાએ તૈમુર માટે હેલ્ધી અને નુટ્રિશનથી ભરપૂર ડાયટની ડિટેલ શેર કરી હતી. જેમાં લીલા શાકભાજીથી ભરેલી પ્લેટનો ફોટો શેર કર્યો હતો.અહીંયા નીચે મુજબ કેટલાક ફળોનું નુટ્રિશનનું પ્રમાણ અને તેના ફાયદા દશાવ્યા છે.
- કેળાની વાત કરીએ તો કેળામાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે જેનાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલુ રહે છે. કેળું સરળતાથી પચી જાય છે માટે બાળકોના પાચન તંત્ર માટે યોગ્ય છે. ફાઈબર યુક્ત ખોરાકને કારણે કાર્ડિયોવસ્ક્યુલર રોગો અને કોરોનરી હાર્ટ રોગોનું જોખમ ઓછું થાય છે. કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામીન બી6 અને મેંગનીઝ હોય છે. બ્લડ પ્રેશર માટે પણ કેળું ફાયદાકારક છે.
- પપૈયાની વાત કરીએ તો તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને કોલેસ્ટ્રોલ પણ નથી હોતું. પપૈયામાં અનેક પ્રકારના વિટામિન, ખનિજ પદાર્થ અને ફાઈટો ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી પેટ સાફ રહે છે અને બાળકોને કબજિયાત નથી થતું. પપૈયામાં ક્રિપ્ટોઝેંથીન, ઝી-એક્ઝેન્થિલ અને બીટા-કેરોટીન હોય છે. તેમાં ભરપુર પ્રમાણમાં વિટામિન એ પણ હોય છે જે બાળકોની ત્વચા અને આંખોની રોશની માટે ફાયદાકાર હોય છે. પપૈયામાં વિટામીન બી કોમ્પેલ્ક્સ અને ફોલિક એસિડ હોય છે. પપૈયામાં ઉપલબ્ધ પોટેશિયમ બાળકના વિકાસ માટે જરુરી હોય છે.
- સફરજન કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેનાથી બાળકોને એનર્જી મળે છે અને તે દિવસભર સક્રિય રહે છે. તેમાં વિટામિન સી, ફાઈબર અને ફાઈટોકેમિકલ પણ હોય છે. સફરજનમાં ડાયટ્રી ફાયબર પણ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. સફરજનમાં એન્ટીઓક્સીડન્ટ અને ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ પણ હોય છે જે આંખો માટે સારા હોય છે. જો ડાયેરિયા થઈ ગયો હોય તો સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય સફરજનમાં શુગર લેવલ પણ બેલેન્સ હોય છે, જે ડાયાબિટિસને દૂર રાખે છે. તેમાં વિટામિન સી હોય છે જે હાડકાં મજબૂત કરવાની સાથે સાથે ઘા રુઝાવવામાં પણ મદદ કરે છે.