લીગલ સર્વિસ ઓથોરિટી હેલ્પલાઇન સંભાળશે
દરેક કેસ અને ફરિયાદ પ્રમાણે નિરાકરણ લાવવામાં આવશે અને તેના આધારે ઓથોરિટી રિપોર્ટ બનાવશે - કોર્ટ
WatchGujarat. અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે લોકો ફરિયાદ કરી શકે અને ફોટોગ્રાફ સહિત સમસ્યા રજૂ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અને ઇ-પ્લાઝા શરૃ કરવા માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્યની લીગલ સર્વિસિઝ ઓથોરિટીને નિર્દેશ કર્યો છે. અમદાવાદમાં ટ્રાફીક-પાર્કિંગ, બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 માં વિસ્તૃત આદેશો આપ્યા હતા. જો કે નિર્દેશોનું પાલન ન થયું હોવાનું અને હજુ પણ સમસ્યાઓ હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી છે. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠે રખડતાં ઢોર અને રખડતાં શ્વાનોના ત્રાસ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરાકરને કેટકીલ ટકોર કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ, હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ ગતરોજ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, અમદાવાદના અમુક વિસ્તારોને કેટલ ફ્રી ઝોન એટલે કે રખડતા ઢોરથી મુક્ત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેથી ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે કહ્યું હતું કે અહીં પહેલીવાર જ્યારે તેઓ હાઇકોર્ટમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે 10-12 રખડતા ઢોર રસ્તા વચ્ચે બેઠા હતા, જેનાં કારણે તેમની કાર હાઇકોર્ટમાં પ્રવેશ કરી શક્યું નહોતું. ત્યાં રહેલા પોલીસ સ્ટાફે પણ સીટી વગાડી તેમને રસ્તા પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ઢોર ખસ્યા નહોતા.
કોર્ટે વધુ ઉમેરતા કહ્યું હતું કે હવે આ કેસમાં લીગલ સર્વિસિઝ ઓથોરિટીને પણ આ કેસમાં સામેલ કરવામાં આવે છે. જેથી ટોલ ફ્રી હેલ્પલાઇન ચાલુ કરવામાં આવશે. જેમાં ફોટોગ્રાફ સહિત સમસ્યા નોંધાવવામાં આવશે. તેથી દરેક કેસ અને ફરિયાદ પ્રમાણે નિરાકરણ લાવવામાં આવશે અને તેના આધારે ઓથોરિટી રિપોર્ટ બનાવશે. રખડતાં શ્વાનોના ત્રાસ મુદ્દે પણ ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે મને અહીં સલાહ આપવામાં આવી હતી કે ચાલવા માટે રસ્તા પર ન નીકળવું કારણ કે બહાર રખડતાં શ્વાનોનો ત્રાસ છે. મને પણ શ્વાન પસંદ છે અને બે શ્વાન પાળ્યા છે પરંતુ આપણો આનંદ બીજા માટે નુકસાન ન બની રહે તે જોવું જોઇએ. કેસની વધુ સુનાવણી 19 મી જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે.
- લીગલ સર્વિસ ઓથોરિટી હેલ્પલાઇન સંભાળશે
- દરેક કેસ અને ફરિયાદ પ્રમાણે નિરાકરણ લાવવામાં આવશે અને તેના આધારે ઓથોરિટી રિપોર્ટ બનાવશે - કોર્ટ
WatchGujarat. અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે લોકો ફરિયાદ કરી શકે અને ફોટોગ્રાફ સહિત સમસ્યા રજૂ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અને ઇ-પ્લાઝા શરૃ કરવા માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્યની લીગલ સર્વિસિઝ ઓથોરિટીને નિર્દેશ કર્યો છે. અમદાવાદમાં ટ્રાફીક-પાર્કિંગ, બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 માં વિસ્તૃત આદેશો આપ્યા હતા. જો કે નિર્દેશોનું પાલન ન થયું હોવાનું અને હજુ પણ સમસ્યાઓ હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી છે. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠે રખડતાં ઢોર અને રખડતાં શ્વાનોના ત્રાસ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરાકરને કેટકીલ ટકોર કરી હતી.
મીડિયા અહેવાલ મુજબ, હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ ગતરોજ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, અમદાવાદના અમુક વિસ્તારોને કેટલ ફ્રી ઝોન એટલે કે રખડતા ઢોરથી મુક્ત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેથી ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે કહ્યું હતું કે અહીં પહેલીવાર જ્યારે તેઓ હાઇકોર્ટમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે 10-12 રખડતા ઢોર રસ્તા વચ્ચે બેઠા હતા, જેનાં કારણે તેમની કાર હાઇકોર્ટમાં પ્રવેશ કરી શક્યું નહોતું. ત્યાં રહેલા પોલીસ સ્ટાફે પણ સીટી વગાડી તેમને રસ્તા પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ઢોર ખસ્યા નહોતા.
કોર્ટે વધુ ઉમેરતા કહ્યું હતું કે હવે આ કેસમાં લીગલ સર્વિસિઝ ઓથોરિટીને પણ આ કેસમાં સામેલ કરવામાં આવે છે. જેથી ટોલ ફ્રી હેલ્પલાઇન ચાલુ કરવામાં આવશે. જેમાં ફોટોગ્રાફ સહિત સમસ્યા નોંધાવવામાં આવશે. તેથી દરેક કેસ અને ફરિયાદ પ્રમાણે નિરાકરણ લાવવામાં આવશે અને તેના આધારે ઓથોરિટી રિપોર્ટ બનાવશે. રખડતાં શ્વાનોના ત્રાસ મુદ્દે પણ ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે મને અહીં સલાહ આપવામાં આવી હતી કે ચાલવા માટે રસ્તા પર ન નીકળવું કારણ કે બહાર રખડતાં શ્વાનોનો ત્રાસ છે. મને પણ શ્વાન પસંદ છે અને બે શ્વાન પાળ્યા છે પરંતુ આપણો આનંદ બીજા માટે નુકસાન ન બની રહે તે જોવું જોઇએ. કેસની વધુ સુનાવણી 19 મી જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે.