અમદાવાદ સહિતના મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવતા હોવાની અરજી
આ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
વ્યક્તિ બહાર શું ખાશે એ નક્કી કરવાનો હક કોર્પોરેશનને કોણે આપ્યો? – ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટ AMC ને નોટીસ ઈસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા હૂકમ કર્યો
WatchGujarat. થોડા દિવસો અગાઉ રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં અરજદારો દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા હોવાનું તેમજ સ્ટ્રીટ વેન્ડર એકટ 2014 પ્રમાણે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ અરજીમાં તેઓએ જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
આ અંગે મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેમાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ પૂછ્યો હતો કે, વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે શું ખાશે એ હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશ્નરને કોણે આવો અધિકાર આપ્યો? અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે, વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં, તેની સાથે જ પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય. મહત્વનું છે કે આ મામલે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટીસ ઇસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા માટે હૂકમ કર્યો છે.
ખોટી રીતે લારી-ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે- અરજદારો
અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ અરજી મુજબ, અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જુદા-જુદા શહેરોમાં લારી-ગલ્લાવાળાઓ સામે કરવામાં આવેલી કાર્યાવહી યોગ્ય નથી. તેમાં વધુમાં જણાવ્યું છે કે, સ્ટ્રીટ વેન્ડર્સ એકટ 2014ની કલમ-3 પ્રમાણે તમામ લારી-ગલ્લા પાથરણા ધારકોનો સર્વે થવો જરૂરી છે, જે બાદ જ ધારા ધોરણ પ્રમાણે 30 દિવસની નોટિસ આપ્યા બાદ જ તેમને દૂર કરી શકાય છે. તે ઉપરાંત કોર્પોરેશન BPMC એકટ હેઠળ લારી-ગલ્લા પાથરણા વાળા સામે કાર્યવાહી કરવાનો દાવો તો કરે છે, પરંતુ 2014 સ્ટ્રીટ વેન્ડર એકટની કલમો, આ વિષયને લાગતા બધા કાયદામાં સર્વોચ્ચ છે. જેથી અરજદાર તરફથી એવી માંગ કરવામાં આવી છે કે, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું રાજ્યમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે. સાથે જ કોર્પોરેશન મારફતે લારી ગલ્લા ધારકોનો સામાન જપ્ત કરવાનો કોઈ અધિકારી નથી.
મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો દિવસ દરમિયાન જાહેરમાં કોઈ પશુ અથવા પક્ષીને કાપીને મારી નાખવામાં આવે, તો અન્ય લોકો માટે વાંધાજનક હોઈ શકે છે, પરંતુ જાહેરમાં તેનું વેચાણ કે તેને આરોગવામાં વાંધો ન હોઈ શકે, તે વ્યક્તિ પસંદગીની બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારના વકીલની એ પણ દલીલ છે કે કેટલાક શાકાહારી લોકો પશુમાંથી આવતા દૂધ, ચીઝ, મધ ખાવાને પણ યોગ્ય નથી માનતા, તો શું તે બંધ કરી દેવામાં આવશે. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, વ્યક્તિની ખાવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં.
અમદાવાદ સહિતના મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવતા હોવાની અરજી
આ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
વ્યક્તિ બહાર શું ખાશે એ નક્કી કરવાનો હક કોર્પોરેશનને કોણે આપ્યો? – ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટ AMC ને નોટીસ ઈસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા હૂકમ કર્યો
WatchGujarat. થોડા દિવસો અગાઉ રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં અરજદારો દ્વારા એક અરજી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા હોવાનું તેમજ સ્ટ્રીટ વેન્ડર એકટ 2014 પ્રમાણે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ અરજીમાં તેઓએ જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
આ અંગે મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેમાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ પૂછ્યો હતો કે, વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે શું ખાશે એ હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશ્નરને કોણે આવો અધિકાર આપ્યો? અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે, વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં, તેની સાથે જ પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય. મહત્વનું છે કે આ મામલે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટીસ ઇસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા માટે હૂકમ કર્યો છે.
ખોટી રીતે લારી-ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે- અરજદારો
અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ અરજી મુજબ, અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી ગલ્લા વાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જુદા-જુદા શહેરોમાં લારી-ગલ્લાવાળાઓ સામે કરવામાં આવેલી કાર્યાવહી યોગ્ય નથી. તેમાં વધુમાં જણાવ્યું છે કે, સ્ટ્રીટ વેન્ડર્સ એકટ 2014ની કલમ-3 પ્રમાણે તમામ લારી-ગલ્લા પાથરણા ધારકોનો સર્વે થવો જરૂરી છે, જે બાદ જ ધારા ધોરણ પ્રમાણે 30 દિવસની નોટિસ આપ્યા બાદ જ તેમને દૂર કરી શકાય છે. તે ઉપરાંત કોર્પોરેશન BPMC એકટ હેઠળ લારી-ગલ્લા પાથરણા વાળા સામે કાર્યવાહી કરવાનો દાવો તો કરે છે, પરંતુ 2014 સ્ટ્રીટ વેન્ડર એકટની કલમો, આ વિષયને લાગતા બધા કાયદામાં સર્વોચ્ચ છે. જેથી અરજદાર તરફથી એવી માંગ કરવામાં આવી છે કે, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું રાજ્યમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે. સાથે જ કોર્પોરેશન મારફતે લારી ગલ્લા ધારકોનો સામાન જપ્ત કરવાનો કોઈ અધિકારી નથી.
મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો દિવસ દરમિયાન જાહેરમાં કોઈ પશુ અથવા પક્ષીને કાપીને મારી નાખવામાં આવે, તો અન્ય લોકો માટે વાંધાજનક હોઈ શકે છે, પરંતુ જાહેરમાં તેનું વેચાણ કે તેને આરોગવામાં વાંધો ન હોઈ શકે, તે વ્યક્તિ પસંદગીની બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારના વકીલની એ પણ દલીલ છે કે કેટલાક શાકાહારી લોકો પશુમાંથી આવતા દૂધ, ચીઝ, મધ ખાવાને પણ યોગ્ય નથી માનતા, તો શું તે બંધ કરી દેવામાં આવશે. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, વ્યક્તિની ખાવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં.